શું કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાના છે? ખડગેએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની શક્યતા પર મોટું નિવેદન આપ્યું છે. કેટલાક પાર્ટી નેતાઓની ટિપ્પણીઓ પર તેમણે સોમવારે કહ્યું કે, આવા મામલાઓ પર હાઈકમાન્ડ નિર્ણય લેશે અને કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઉભી ન કરવી જોઈએ. ઓક્ટોબરમાં મુખ્યમંત્રી બદલવા અંગે રાજ્યના કેટલાક કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં ખડગેએ કહ્યું, 'જુઓ, તે હાઈકમાન્ડના હાથમાં છે. અહીં કોઈ કહી શકતું નથી કે હાઈકમાન્ડના મનમાં શું ચાલી રહ્યું છે. તે હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યું છે અને તેમને આગળનો કોઈ નિર્ણય લેવાનો અધિકાર છે. પરંતુ કોઈએ બિનજરૂરી સમસ્યાઓ ઉભી ન કરવી જોઈએ.'

Mallikarjun Kharge
bhaskar.com

અહીં તમને જણાવી દઈએ કે મે 2023માં કર્ણાટકમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા પછી CM પદ માટે ત્યારે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડ DK શિવકુમારને DyCMનું પદ સ્વીકાર કરવા માટે મનાવવામાં સફળ રહ્યું હતું.

Mallikarjun Kharge
tv9hindi.com

જ્યારે 2023માં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર અઢી અઢી વર્ષ માટે રાજ્યનું નેતૃત્વ કરશે. જોકે, પાર્ટીએ આવા દાવાઓની પુષ્ટિ કે ખંડન કર્યું નથી (વારાફરતી CM બનાવવાના). હાલમાં, સિદ્ધારમૈયા CM છે અને શિવકુમાર DyCM છે. કોંગ્રેસના ધારાસભ્ય HA ઇકબાલ હુસૈને રવિવારે દાવો કર્યો હતો કે, શિવકુમારને આગામી બે થી ત્રણ મહિનામાં રાજ્યના CM બનવાની તક મળી શકે છે. શિવકુમારના નજીકના ગણાતા ધારાસભ્યની આ ટિપ્પણી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આવી છે.

Mallikarjun Kharge
oneindia.com

ઇકબાલ હુસૈનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સહકાર મંત્રી KN રાજન્નાએ તાજેતરમાં સપ્ટેમ્બર પછી રાજ્યમાં ક્રાંતિકારી રાજનીતિક ઘટના બનાવાના સંકેત આપ્યા હતા. રામનગરમાં જ્યારે શિવકુમારને પૂછવામાં આવ્યું કે, શું તમારી પાસે CM બનવાની તક છે, ત્યારે હુસૈને કહ્યું હતું કે, 'તમે બધા જાણો છો કે, આ સરકાર સત્તામાં આવતા પહેલા અમારી તાકાત શું હતી. બધા જાણે છે કે કોણે સંઘર્ષ કર્યો, પરસેવો પાડ્યો, સખત મહેનત કરી અને કોણ આ જીત મેળવવામાં રસ ધરાવતું હતું. શિવકુમારની રણનીતિ અને કાર્યક્રમો હવે ઇતિહાસ બની ગયા છે. હું અટકળોમાં માનતો નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે કે હાઇકમાન્ડ પરિસ્થિતિથી વાકેફ છે અને તેમને તક આપવા માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.