ચીનમાં ફેલાઈ રહેલો રોગ નિમોનિયા છે કે પછી બીજું કંઈ? હજારો કેસ આવી રહ્યા છે

ચીનમાં નિમોનિયા એક મોટો ખતરો બનતો જઇ રહ્યો છે. હજારોની સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. નિમોનિયાનો પ્રકોપ એટલો છે કે WHO પણ ચીનમાં વધી રહેલી આ બીમારી પર નજર રાખી કહ્યું છે. કારણ કે કોરોના વાયરસની શરૂઆત પણ ચીનથી જ થઇ હતી. એવામાં નિમોનિયાના વધી રહેલા કેસ મોટા ખતરાનો સંકેત આપી રહ્યો છે.

જણાવીએ કે, નિમોનિયા પણ ફેફસાની એક બીમારી છે. જે એકથી બીજા વ્યક્તિમાં ફેલાઈ છે. હાલમાં એ જાણ નથી થઇ રહી કે ચીનમાં આ બીમારી આટલી ઝડપથી શા માટે ફેલાઈ રહી છે. પણ વધતા કેસોથી નવી મહામારીનું રિસ્ક પણ દેખાઈ રહ્યું છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ચીનમાં નિમોનિયા શા માટે આટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. શું આ કોવિડનું નવું રૂપ છે?

આ વિશે એક્સપર્ટ્સનું કહેવું છે કે, નિમોનિયાના કેસ આટલી ઝડપથી વધી રહ્યા છે તે ખતરાની વાત છે. બની શકે કે નિમોનિયાનો કોઇ નવો સ્ટ્રેન આવ્યો હોય, જેને લીધે કેસોમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં જે લક્ષણ સામે આવી રહ્યા છે તેમાં ખાંસી, ઉદરસ, શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થઇ રહી છે. આવા જ લક્ષણો કોરોનામાં પણ હતા. માટે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો સામે નથી આવ્યો ને, જે બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

આ માઈકોપ્લાઝ્મા નિમોનિયા કે કોરોનાનો નવો સ્ટ્રેન હોઇ શકે

દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં પૂર્વ રેઝિડેન્ટ ડૉ. દીપક કુમાર સુમન જણાવે છે કે, નિમોનિયા પણ ઘણાં પ્રકારના હોય છે. જેમાં એક માઈકોપ્લાઝ્મા નિમોનિયા હોય છે. જેને મેડિકલની ભાષામાં વોકિંગ નિમોનિયા કહેવામાં આવે છે. આ નિમોનિયાનો એક ખતરનાક પ્રકાર છે, જે ઝડપથી ફેલાઈ છે. બની શકે કે ચીનમાં આ જ નિમોનિયા ફેલાઈ રહ્યો હોય. જોકે હજુ સુધી આના વિશે કોઇ સ્પષ્ટતા બહાર આવી નથી, કે ચીનમાં શ્વાસ સંબંધિત બીમારીઓ શા માટે વધી રહી છે. એવું પણ બની શકે કે આ કોરોનાનો જ કોઇ સ્ટ્રેન હોય.

બાળકો શા માટે નિશાના પર

મહામારી વિશેષજ્ઞ ડૉ. અજય કુમાર જણાવે છે કે, હવે ચીનમાં કોરોનાના કેસ ઓછા થયા તો નિમોનિયા આવી ગયો. જે ઘણા હદ સુધી કોરોના જેવો છે. એવામાં એ જોવાનું રહેશે કે આ કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો નથી ને? જે નિમોનિયા જેવા લક્ષણ પેદા કરી રહ્યો છે. કારણ કે કોરોનાની પાછલી લહેરમાં બાળકોમાં સંક્રમણ ઓછું થયું હતું, તો બની શકે કે આ વખતે જે સ્ટ્રેન બદલાયો છે તે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. જોકે, આના વિશે કેસ હિસ્ટ્રી અને જીનોમ સીક્વેસિંગથી જાણ થઇ શકશે.

શું ચીનમાં નવી મહામારી આવશે?

આ સવાલ પર ડૉ. અજય જણાવે છે કે, આ વિશે કશું પણ કહેવું ઉતાવળ રહેશે. હાલમાં એ જોવાનું રહેશે કે નિમોનિયાથી કેટલા બાળકો સંક્રમિત થઇ રહ્યા છે અને તેમાં પણ કેટલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે આ નિમોનિયાની સંક્રામક દર કેટલી છે. હજુ થોડા દિવસ રાહ જોવાની રહેશે, ત્યાર પછી જ ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારીને લઇ તસવીર જરા ખુલ્લી થશે. છતાં આપણે ચેતીને રહેવાની જરૂર છે.

About The Author

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.