ચીનમાં ફેલાઈ રહેલો રોગ નિમોનિયા છે કે પછી બીજું કંઈ? હજારો કેસ આવી રહ્યા છે

ચીનમાં નિમોનિયા એક મોટો ખતરો બનતો જઇ રહ્યો છે. હજારોની સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. નિમોનિયાનો પ્રકોપ એટલો છે કે WHO પણ ચીનમાં વધી રહેલી આ બીમારી પર નજર રાખી કહ્યું છે. કારણ કે કોરોના વાયરસની શરૂઆત પણ ચીનથી જ થઇ હતી. એવામાં નિમોનિયાના વધી રહેલા કેસ મોટા ખતરાનો સંકેત આપી રહ્યો છે.

જણાવીએ કે, નિમોનિયા પણ ફેફસાની એક બીમારી છે. જે એકથી બીજા વ્યક્તિમાં ફેલાઈ છે. હાલમાં એ જાણ નથી થઇ રહી કે ચીનમાં આ બીમારી આટલી ઝડપથી શા માટે ફેલાઈ રહી છે. પણ વધતા કેસોથી નવી મહામારીનું રિસ્ક પણ દેખાઈ રહ્યું છે. એવામાં એ જાણવું જરૂરી છે કે ચીનમાં નિમોનિયા શા માટે આટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. શું આ કોવિડનું નવું રૂપ છે?

આ વિશે એક્સપર્ટ્સનું કહેવું છે કે, નિમોનિયાના કેસ આટલી ઝડપથી વધી રહ્યા છે તે ખતરાની વાત છે. બની શકે કે નિમોનિયાનો કોઇ નવો સ્ટ્રેન આવ્યો હોય, જેને લીધે કેસોમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં જે લક્ષણ સામે આવી રહ્યા છે તેમાં ખાંસી, ઉદરસ, શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થઇ રહી છે. આવા જ લક્ષણો કોરોનામાં પણ હતા. માટે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો સામે નથી આવ્યો ને, જે બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

આ માઈકોપ્લાઝ્મા નિમોનિયા કે કોરોનાનો નવો સ્ટ્રેન હોઇ શકે

દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં પૂર્વ રેઝિડેન્ટ ડૉ. દીપક કુમાર સુમન જણાવે છે કે, નિમોનિયા પણ ઘણાં પ્રકારના હોય છે. જેમાં એક માઈકોપ્લાઝ્મા નિમોનિયા હોય છે. જેને મેડિકલની ભાષામાં વોકિંગ નિમોનિયા કહેવામાં આવે છે. આ નિમોનિયાનો એક ખતરનાક પ્રકાર છે, જે ઝડપથી ફેલાઈ છે. બની શકે કે ચીનમાં આ જ નિમોનિયા ફેલાઈ રહ્યો હોય. જોકે હજુ સુધી આના વિશે કોઇ સ્પષ્ટતા બહાર આવી નથી, કે ચીનમાં શ્વાસ સંબંધિત બીમારીઓ શા માટે વધી રહી છે. એવું પણ બની શકે કે આ કોરોનાનો જ કોઇ સ્ટ્રેન હોય.

બાળકો શા માટે નિશાના પર

મહામારી વિશેષજ્ઞ ડૉ. અજય કુમાર જણાવે છે કે, હવે ચીનમાં કોરોનાના કેસ ઓછા થયા તો નિમોનિયા આવી ગયો. જે ઘણા હદ સુધી કોરોના જેવો છે. એવામાં એ જોવાનું રહેશે કે આ કોરોનાનો કોઇ નવો સ્ટ્રેન તો નથી ને? જે નિમોનિયા જેવા લક્ષણ પેદા કરી રહ્યો છે. કારણ કે કોરોનાની પાછલી લહેરમાં બાળકોમાં સંક્રમણ ઓછું થયું હતું, તો બની શકે કે આ વખતે જે સ્ટ્રેન બદલાયો છે તે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. જોકે, આના વિશે કેસ હિસ્ટ્રી અને જીનોમ સીક્વેસિંગથી જાણ થઇ શકશે.

શું ચીનમાં નવી મહામારી આવશે?

આ સવાલ પર ડૉ. અજય જણાવે છે કે, આ વિશે કશું પણ કહેવું ઉતાવળ રહેશે. હાલમાં એ જોવાનું રહેશે કે નિમોનિયાથી કેટલા બાળકો સંક્રમિત થઇ રહ્યા છે અને તેમાં પણ કેટલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે આ નિમોનિયાની સંક્રામક દર કેટલી છે. હજુ થોડા દિવસ રાહ જોવાની રહેશે, ત્યાર પછી જ ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારીને લઇ તસવીર જરા ખુલ્લી થશે. છતાં આપણે ચેતીને રહેવાની જરૂર છે.

About The Author

Top News

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ...
Opinion 
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં...
National 
દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.