તમારા જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં

(Utkarsh Patel) સૌનું પોતાનું જીવન છે અને સૌની પોતાની નાની નાની દુનિયા છે. સૌના જીવનમાં સ્વજનો છે, મિત્રો છે અને સામાજિક સબંધો પણ છે. સમાજ વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ એટલે સમાજને આપણે જવાબદેહ રહ્યા એ પણ અગત્યનું છે.

ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વાંચી હશે તમે અને નહીં વાંચી હોય તો ભણતા હશો ત્યારે પાઠ્યપુસ્તકમાં વિષય વાંચ્યો તો હશેજ. મેં 10 મા ધોરણના વેકેશનમાં આ પુસ્તક વાંચી હતી ઉપરછલ્લી પછી મેં એના થોડા વર્ષો પછી સમજપૂર્વક એને વાંચી હતી. બસ ત્યારથી મને એક આદત પડી. હું મારા જીવનનું બધુંજ સત્ય સ્વીકારી લેતો થયો. ધીરે ધીરે કરતા આ આદત મારા સ્વભાવમાં આવી ગઈ. હું મારા દ્વારા જાણ્યે અજાણ્યે થયેલી દરેક વાતો સ્વીકારી લવ છું, કોઈને ગમે કે ના ગમે હું મારી સારી અને અન્યોને નરસી જણાતી બધી જ વાતો સહજતાથી સ્વીકારી શકું છું.

હું મારા જીવનના સત્યને સ્વીકારતા ગભરાતો નથી, તમે પણ ના ગભરાશો. હું મારા દરેક કર્મ, નિર્ણય અને સબંધોને ગર્વ સાથે સ્વીકારતા ક્યારેય ખચકાતો નથી અને આજીવન ખચકાઈશ પણ નહીં. હું મારા દરેક નિર્ણય ને અડીખમ સાથ આપું છું અને આપીશ. જીવન આપણું, કર્મ આપણાં અને આપણું કર્મ સ્વીકારવામાં ગભરાટ સંકોચ શાનો? આપણા નિર્ણયો અને કર્મો પર ગર્વ કરતા શીખો. અન્યોની નજરમાં આપણાથી કઈક ખોટું થયું તો વધારામાં વધારે શું થાય? લોકો ખોટું બોલશે, નીંદા કરશે, વાતો કરશે... આપણે એને ગણકારવાનું નહીં. બસ.

આપણો નિર્ણય અન્યોને ભૂલ ભરેલો જણાય, અશોભનીય જણાય તો શું થયું? કઈજ થવાનું નથી લોકો માત્ર તમારી ગેરહાજરીમાં વાતો કરશે, વાતો ફેલાવતા રેહશે અને કેટલાક ભૂલી જશે. નીંદા તો સૌનું ભલું કરશોને તોયે થવાની અને અન્યોને ના ગમે તેવું કરોને તોયે થવાનીજ. દુનિયાદારી અને નિંદકોની હડાબારી રાખશોજ નહીં.

સત્ય સ્વીકારતાં શું કહેશે દુનિયા એ વિચારવાનું છોડી દો. દુનિયા તમને ખવડાવા આવે છે? દુનિયા તમને તમારા દુઃખમાં સાથ આપે છે? ના. ખવડાવશે પણ નહીં અને જો ખવડાવશે તો થોડા સમયમાં સંભળાવશે અને દુઃખમાં કોઇ સાથ આપવાનુ નથી બસ બહાનું કાઢી છટકીજ જવાના છે સૌ. જવાદો આ બધી દુનિયાદારીની પંચાતોની નોંધ લેવાનું રહેવાદો.

સત્ય સ્વીકારવાનો આનંદ અનેરો છે. એનો અનુભવ કરી જોવો. તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે.

હિંમત રાખો, પોતાના નિર્ણયો અને કર્મો પર વિશ્વાસ રાખો., લોકોને જે કહેવું હોય તે કહે, જેને નીંદા કરવી હોય કરે આપણે આપણને ગમને તેમજ કરવાનું પણ એક શરત અને સમજ સાથે... જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં.

અગત્યનું:

આપનું જીવન છે જે ગમે તેજ કરો. તમારા કર્મથી કોઈકને દુઃખ થાયતો બે હાથ જોડી માફી માંગીલેજો પણ જુઠ્ઠું બોલવા કરતા તમારું કર્મ અને જીવનનું સત્ય સ્વીકારવાનું રાખશો તો ભગવાનના ચોપડે સાચું બોલનારાની યાદીમાં જરૂર સમાવેશ પામશો.

જીવનનું સત્ય સ્વીકારો, બિન્દાસ જીવન જીવો.

જેવું જીવન જીવવું ગમે એવું જીવો.

ગર્વ સાથે જીવનના સત્યોને સ્વીકારીને જીવન જીવીલો, મારી જેમ!

(સુદામા)

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.