તમારા જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં

On

(Utkarsh Patel) સૌનું પોતાનું જીવન છે અને સૌની પોતાની નાની નાની દુનિયા છે. સૌના જીવનમાં સ્વજનો છે, મિત્રો છે અને સામાજિક સબંધો પણ છે. સમાજ વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ એટલે સમાજને આપણે જવાબદેહ રહ્યા એ પણ અગત્યનું છે.

ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ વાંચી હશે તમે અને નહીં વાંચી હોય તો ભણતા હશો ત્યારે પાઠ્યપુસ્તકમાં વિષય વાંચ્યો તો હશેજ. મેં 10 મા ધોરણના વેકેશનમાં આ પુસ્તક વાંચી હતી ઉપરછલ્લી પછી મેં એના થોડા વર્ષો પછી સમજપૂર્વક એને વાંચી હતી. બસ ત્યારથી મને એક આદત પડી. હું મારા જીવનનું બધુંજ સત્ય સ્વીકારી લેતો થયો. ધીરે ધીરે કરતા આ આદત મારા સ્વભાવમાં આવી ગઈ. હું મારા દ્વારા જાણ્યે અજાણ્યે થયેલી દરેક વાતો સ્વીકારી લવ છું, કોઈને ગમે કે ના ગમે હું મારી સારી અને અન્યોને નરસી જણાતી બધી જ વાતો સહજતાથી સ્વીકારી શકું છું.

હું મારા જીવનના સત્યને સ્વીકારતા ગભરાતો નથી, તમે પણ ના ગભરાશો. હું મારા દરેક કર્મ, નિર્ણય અને સબંધોને ગર્વ સાથે સ્વીકારતા ક્યારેય ખચકાતો નથી અને આજીવન ખચકાઈશ પણ નહીં. હું મારા દરેક નિર્ણય ને અડીખમ સાથ આપું છું અને આપીશ. જીવન આપણું, કર્મ આપણાં અને આપણું કર્મ સ્વીકારવામાં ગભરાટ સંકોચ શાનો? આપણા નિર્ણયો અને કર્મો પર ગર્વ કરતા શીખો. અન્યોની નજરમાં આપણાથી કઈક ખોટું થયું તો વધારામાં વધારે શું થાય? લોકો ખોટું બોલશે, નીંદા કરશે, વાતો કરશે... આપણે એને ગણકારવાનું નહીં. બસ.

આપણો નિર્ણય અન્યોને ભૂલ ભરેલો જણાય, અશોભનીય જણાય તો શું થયું? કઈજ થવાનું નથી લોકો માત્ર તમારી ગેરહાજરીમાં વાતો કરશે, વાતો ફેલાવતા રેહશે અને કેટલાક ભૂલી જશે. નીંદા તો સૌનું ભલું કરશોને તોયે થવાની અને અન્યોને ના ગમે તેવું કરોને તોયે થવાનીજ. દુનિયાદારી અને નિંદકોની હડાબારી રાખશોજ નહીં.

સત્ય સ્વીકારતાં શું કહેશે દુનિયા એ વિચારવાનું છોડી દો. દુનિયા તમને ખવડાવા આવે છે? દુનિયા તમને તમારા દુઃખમાં સાથ આપે છે? ના. ખવડાવશે પણ નહીં અને જો ખવડાવશે તો થોડા સમયમાં સંભળાવશે અને દુઃખમાં કોઇ સાથ આપવાનુ નથી બસ બહાનું કાઢી છટકીજ જવાના છે સૌ. જવાદો આ બધી દુનિયાદારીની પંચાતોની નોંધ લેવાનું રહેવાદો.

સત્ય સ્વીકારવાનો આનંદ અનેરો છે. એનો અનુભવ કરી જોવો. તમારા આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે.

હિંમત રાખો, પોતાના નિર્ણયો અને કર્મો પર વિશ્વાસ રાખો., લોકોને જે કહેવું હોય તે કહે, જેને નીંદા કરવી હોય કરે આપણે આપણને ગમને તેમજ કરવાનું પણ એક શરત અને સમજ સાથે... જીવનનું સત્ય સ્વીકારતા ક્યારેય ગભરાશો નહીં.

અગત્યનું:

આપનું જીવન છે જે ગમે તેજ કરો. તમારા કર્મથી કોઈકને દુઃખ થાયતો બે હાથ જોડી માફી માંગીલેજો પણ જુઠ્ઠું બોલવા કરતા તમારું કર્મ અને જીવનનું સત્ય સ્વીકારવાનું રાખશો તો ભગવાનના ચોપડે સાચું બોલનારાની યાદીમાં જરૂર સમાવેશ પામશો.

જીવનનું સત્ય સ્વીકારો, બિન્દાસ જીવન જીવો.

જેવું જીવન જીવવું ગમે એવું જીવો.

ગર્વ સાથે જીવનના સત્યોને સ્વીકારીને જીવન જીવીલો, મારી જેમ!

(સુદામા)

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.