કોઈકની આસપાસ ઊભા રહી ફોટા પડાવવાથી મોટું નથી થવાતું

(Utkarsh Patel) 

પહેલી સ્પષ્ટતા એ કરીશ કે વાત કોઈની ટીકાની નથી, વાત છે આવા ફોટાનો ઉપયોગ કરનારાઓના વ્યક્તિત્વની સહજ સમજની.

જો આપણામાં ત્રેવડ હશેને તો દુનિયા ચોક્કકસથી સમય આવ્યે કદર કરશે પણ એ સમય પહેલા યોગ્યતાનો દેખાડો કરવાનો પ્રયત્ન એટલે કોઈકની આસપાસ ઉભા રહીને ફોટા પડાવી લેવાની અને એવા ફોટાઓનો ઉપયોગ કરવાની આદત.  બાળક તેમને ગમતા પાત્રની પાસે જઈને હરખથી ઉભું રહી જાય અને ફોટો પડાવી લે એમાં નિર્દોષતા છે અને કોઇ વ્યક્તિ એમના આદર્શ વ્યક્તિત્વની પાસે લાગણી રૂપે આશીર્વાદ લેવા પહોચી જાય અને અનાયાશે ફોટો પડી જાય તો એમાં પણ નિર્દોષ લાગણી ભાવ જ કહેવાય. આ પ્રકારના ફોટા થોડુક અભ્યાસપૂર્વક જોઈએ એટલે એમાં રહેલા સહજભાવ જણાઇ આવતા હોય છે.

પરંતુ...

કોઈકની પાસે ઉભા રહીને ફોટાનું પ્રદર્શન કરવાના ભાવથી પડાવેલો ફોટો ઘણું બધું કહી જાય છે. આવી હરકતથી વ્યક્તિની અંદર રહેલી મહત્વકાંક્ષાઓનો પરિચય થાય છે. સરખામણીની મહત્વાકાંક્ષા, દેખાડો કરવાની ભાવના.

હું સોશિયલ મીડિયાના માધ્યમોમાં જ્યારે જ્યારે સામાજિક દબદબો વધારવા લેવાયેલા ફોટા, રાજકીય દબદબો વધારવા મોટી હસ્તીઓ સાથે લેવાયેલા ફોટા મુક્તા લોકોના ફોટા મુકવા પાછળના હેતુનો અભ્યાસ કરુને ત્યારે મોટેભાગે તારણ એ જ આવે છે કે લોકોને આવા ફોટાઓ દ્રાર બતાડો કરવો હોય છે કે તેઓ કેટલીક ચોક્કસ વ્યક્તિઓના ખાસ છે!

સહજ વાર્તાલાપ કરતા કે કોઈક કાર્યમાં સાથે હોવું ને લેવાયેલા ફોટાની વાત જુદી છે, એવા ફોટાઓને યાદગીરી કહી શકાય અને સંસ્મરણોની યાદ રૂપે જોઈ શકાય. અને આવા ફોટા શેર કરવા પણ જોઈએ.

કેટલાક લોકોને નિર્દોષ શોખ હોય છે ફોટા પડાવવાનો અને એ ફોટાઓનો દુરુપયોગ કરી લેવાનો હેતુ પણ હોતો નથી. આવા નિર્દોષ લોકો પણ છે.  આવા ફોટા પણ ઉત્સાહ સાથે શેર કરવા જોઈએ.

દરેક ફોટો કે તસવીર સ્વયં મૌન સાંકેતિક ભાષા બોલે છે. ક્યારેક કોઇકના કોઇકની સાથેના પડાવેલા ફોટા નીરખીને જોશો તો એમાં રહેલા સૌના ભાવ તમને જણાઇ આવશે, જાણેકે ફોટો તમને કહી દેશે કે ફોટામાં રહેલા પ્રત્યેક વ્યક્તિઓનું વ્યક્તિત્વ શું છે!

જીવનમાં કોઈકની આસપાસ ઉભા રહીને ફોટા પડાવી લેવા કરતા કોઇ તમારી પાસે આવીને તમારી સાથે ગર્વ સાથે ફોટો પડાવી લેવાની તક શોધે એવા બનવાનો પ્રયત્ન તો કરી જોવો. તમને તમારા પર ગર્વ થશે જ્યારે કોઇ આપની પાસે આવી સહજભાવે ફોટો પડાવે અને ખુશ થાય.

એક વાત કહું... દેખાડાની હોડના પ્રવાહમાં ના જશો.

નિર્દોષ ફોટા પડાવજો, જ્યારે પણ એવા ફોટો જોશોને જીવનભર ગર્વ, લાગણીઓ અને આનંદની યાદો તાજી થશે.

કોઇકને જાણ્યે અજાણ્યે ખોટું લાગી ગયું હોય તો મારા પ્રત્યે ક્ષમાભાવ દાખવજો અને હું શું કહેવા માંગું છું એને હકારાત્મક રીતે સમજવાનો પ્રયત્ન કરજો.

મજાના ફોટા પડાવજો!

હવે તમે જ તમારી વિવેકબુદ્ધિથી નક્કી કરજો...

તમે કોઈકની આસપાસ હોવ તેવો ફોટો પડાવશો કે કોઈક તમારી આસપાસ હોય અને ફોટો પડે તેવો ફોટો પડાવશો.

About The Author

UD Picture

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.