કોઇ તમારી લાગણી દુભાવે અને સામે વાળી વ્યક્તિ બે હાથ જોડી માફી માંગે પછી શું?

(Utkarsh Patel)

આપણે બે અધ્યાયમાં જીવન જીવતા હોઈએ છીએ. એક કૌટુંબિક જીવન અને બીજું સામાજીક જીવન.

કૌટુંબિક અને સામાજીક બન્નેવ વ્યવસ્થામાં આપણે સૌની માન મર્યાદા જાળવતા હોઈએ છીએ.

ક્યારેક હસવાનું ખસવું થઈ જાય, અને ક્યારેક સહજભાવમાં કઈક એવું પણ ભૂલથી કહેવાય જાય કે કોઈ એક વ્યક્તિની કે સમૂહની/સમાજની લાગણી દુભાઇ જાય.

હવે આવી ઘટના જ્યારે જ્યારે ઘટે ત્યારે લાગણી દુભાઇ હોય એટલે આક્રોશ તો થાય, યોગ્ય પણ હોય શકે પરંતુ જેમના દ્વારા આ ભૂલ થઈ હાય તેઓ વિવેક પૂર્વક સહૃદય ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ? ચાલો કોઈક યુવા હોય તો મીઠો ઠપકો અપાય પણ ખરો પણ કોઈક વડીલથી ભૂલથી કઈક ભૂલચૂક થઈ જાય અને એ વડીલ નાના મોટા સૌને બે હાથ જોડી ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ?

આપણે કોઈ પણ પ્રકારનો આક્રોશ કે લાગણીઓને બાજુપર રાખી તટસ્થ રીતે સામાજીક સમન્વય અને વિશ્વાસની લાગણીઓ જળવાઈ રહે તે દૃષ્ટિકોણથી વિચારીએ તો આવા વિષય કે ઘટનાનું સમાધાન શું હોય શકે?

લાગણી એક એવો વિષય છે કે જેના આધાર પર સંસારના બધાજ સબંધો અને સામાજીક વિષયોનો આધાર રહેલો છે.

હું કોણે શું કરવું જોઈએ એવી કોઈજ સલાહ નથી આપી રહ્યો કે કોઈકની લાગણી દુભાય અને કોઈકને સારું લાગે તેવું પણ નથી કહી રહ્યો, હું માત્ર આવી ઘટનાઓનું સમાધાન વિનય વિવેક બુદ્ધિ અને સારા વાતાવરણમાં ચર્ચા થાય એજ સમજાવા પ્રયત્ન કરી રહ્યો છું.

ઘરની વાત ઘરમાજ પૂરી કરી દઈએ તો કેવી લાજ જાળવાઇ જતી હોય છે એવા કેટલાય આપની કિસ્સા આસપાસ હશે અને સમાજની વાત સમાજના ઠરેલ સમજુ વિવેકી વડીલોની સમજ પૂર્વક સુખરૂપ સમાધાન રૂપે પૂરી થઈ હોય તેવાય કેટલાય કિસ્સા આપણી નજર સમક્ષ છે.

સુખેથી ત્યારે જ જીવી શકાશે જ્યારે ઘરમાં કે સમાજમાં આપણે સૌ વિનય વિવેકથી એકમેકને સમજીશું.

ઉમરમાં હું નાનો રહ્યો અને કદાચ મારી સમજપણ ઓછી હોય શકે. મારા ઉપરોક્ત વિષય સમજ અંગેના પ્રયાસને હકારાત્મક ભાવાર્થે લેવા માટે સૌને વ્યક્તિગત વિનમ્ર પ્રાર્થના કરું છું.

ઉત્કર્ષ

( હું અહીં અટક સાથેનું મારું આખું નામ નથી લખી રહ્યો કેમ કે હું સામાજિક હિતમાં સૌનું સારું વિચારી નિષ્પક્ષ ભાવે મારા અંગત વિચાર રજુ કરી રહ્યો છું)

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.