શું રોબર્ટ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડશે? કહ્યું-દેશ ઈચ્છે છે કે હું...

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થયું છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી માટે પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી. જો કે એવું માનવામાં આવે છે કે, અમેઠી અને રાયબરેલીથી માત્ર રાહુલ અને પ્રિયંકા ગાંધી જ ચૂંટણી લડશે. દરમિયાન રોબર્ટ વાડ્રાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

વાસ્તવમાં, ઉત્તરાખંડના ઋષિકેશમાં મીડિયા સૂત્રોએ રોબર્ટ વાડ્રાને પૂછ્યું કે, શું તેઓ અમેઠીથી ચૂંટણી લડવાના છે? આ સવાલ પર વાડ્રાએ કહ્યું કે, આખા દેશમાંથી અવાજ આવી રહ્યો છે કે મારે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. હું હંમેશા લોકોની વચ્ચે રહું છું. અમેઠીના વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીએ તેમના વચનો પૂરા કર્યા નથી. ત્યાંના લોકો ઈચ્છે છે કે હું તેમની વચ્ચે રહું.'

સ્મૃતિ ઈરાની પર પ્રહાર કરતા રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'તેમણે (સ્મૃતિ) કોઈ પણ પુરાવા વગર મારા પર આરોપ લગાવ્યા. મેં તેમને સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો. સ્મૃતિએ સંસદમાં મારા નામનો ઉપયોગ કર્યો હતો જે પાયાવિહોણો હતો. તેમણે કરેલા આક્ષેપોને તે સાબિત કરી શકી નથી. મેં તેમને કહ્યું કે, જો કંઈ ખોટું હોય તો સાબિત કરો, અથવા તો આવા પાયાવિહોણા આરોપો ન લગાવો. પ્રથમ તબક્કાનું મતદાન કોંગ્રેસની તરફેણમાં રહ્યું છે. જનતા ગાંધી પરિવારની સાથે છે. રાહુલ અને પ્રિયંકાની મહેનત દરેક લોકો જોઈ રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સ્મૃતિએ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી રેલી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે અમેઠીથી બનેવીની માંગ કરી રહ્યા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે, 'બનેવી હોય કે સાળો હોય, અમેઠીમાં દરેક જણ PM મોદીના દિવાના છે.' સ્મૃતિએ વધુમાં કહ્યું હતું કે બનેવી (રોબર્ટ વાડ્રા) ની નજરો કાગળો પર રહેતી હોય છે. જો બનેવી આવે તો તમારા ઘરના કાગળો સંતાડી દેજો.

સ્મૃતિએ આગળ કહ્યું કે રાહુલ હોય કે બનેવી, અમેઠી વિશે કોઈને કંઈ ખબર નથી. તેમને તો અમેઠીના ગામોના નામ પણ યાદ નહીં હોય. રાહુલ ગાંધીએ પોતાનો પરિવાર બદલી નાખ્યો. હવે તેમણે વાયનાડને પોતાનો પરિવાર કહેવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીના BJP ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 15 વર્ષ સાંસદ રહીને જે કામ કર્યું છે, તેના કરતા વધુ કામ માત્ર 5 વર્ષમાં તેમણે કર્યું છે.

Related Posts

Top News

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર...
National 
જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.