શું રોબર્ટ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડશે? કહ્યું-દેશ ઈચ્છે છે કે હું...

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થયું છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી માટે પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી. જો કે એવું માનવામાં આવે છે કે, અમેઠી અને રાયબરેલીથી માત્ર રાહુલ અને પ્રિયંકા ગાંધી જ ચૂંટણી લડશે. દરમિયાન રોબર્ટ વાડ્રાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

વાસ્તવમાં, ઉત્તરાખંડના ઋષિકેશમાં મીડિયા સૂત્રોએ રોબર્ટ વાડ્રાને પૂછ્યું કે, શું તેઓ અમેઠીથી ચૂંટણી લડવાના છે? આ સવાલ પર વાડ્રાએ કહ્યું કે, આખા દેશમાંથી અવાજ આવી રહ્યો છે કે મારે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. હું હંમેશા લોકોની વચ્ચે રહું છું. અમેઠીના વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીએ તેમના વચનો પૂરા કર્યા નથી. ત્યાંના લોકો ઈચ્છે છે કે હું તેમની વચ્ચે રહું.'

સ્મૃતિ ઈરાની પર પ્રહાર કરતા રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'તેમણે (સ્મૃતિ) કોઈ પણ પુરાવા વગર મારા પર આરોપ લગાવ્યા. મેં તેમને સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો. સ્મૃતિએ સંસદમાં મારા નામનો ઉપયોગ કર્યો હતો જે પાયાવિહોણો હતો. તેમણે કરેલા આક્ષેપોને તે સાબિત કરી શકી નથી. મેં તેમને કહ્યું કે, જો કંઈ ખોટું હોય તો સાબિત કરો, અથવા તો આવા પાયાવિહોણા આરોપો ન લગાવો. પ્રથમ તબક્કાનું મતદાન કોંગ્રેસની તરફેણમાં રહ્યું છે. જનતા ગાંધી પરિવારની સાથે છે. રાહુલ અને પ્રિયંકાની મહેનત દરેક લોકો જોઈ રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સ્મૃતિએ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી રેલી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે અમેઠીથી બનેવીની માંગ કરી રહ્યા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે, 'બનેવી હોય કે સાળો હોય, અમેઠીમાં દરેક જણ PM મોદીના દિવાના છે.' સ્મૃતિએ વધુમાં કહ્યું હતું કે બનેવી (રોબર્ટ વાડ્રા) ની નજરો કાગળો પર રહેતી હોય છે. જો બનેવી આવે તો તમારા ઘરના કાગળો સંતાડી દેજો.

સ્મૃતિએ આગળ કહ્યું કે રાહુલ હોય કે બનેવી, અમેઠી વિશે કોઈને કંઈ ખબર નથી. તેમને તો અમેઠીના ગામોના નામ પણ યાદ નહીં હોય. રાહુલ ગાંધીએ પોતાનો પરિવાર બદલી નાખ્યો. હવે તેમણે વાયનાડને પોતાનો પરિવાર કહેવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીના BJP ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 15 વર્ષ સાંસદ રહીને જે કામ કર્યું છે, તેના કરતા વધુ કામ માત્ર 5 વર્ષમાં તેમણે કર્યું છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.