LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ મહિનાના પહેલા દિવસથી દેશમાં પણ ઘણા મોટા ફેરફારો (1 એપ્રિલથી નિયમમાં ફેરફાર) લાગુ થશે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે. આ ફેરફારો એલપીજી સિલિન્ડરની કિંમતો, તમારા બેંક ખાતા, ડેબિટ કાર્ડથી લઈને ક્રેડિટ કાર્ડ પર દેખાશે. એટલું જ નહીં, હાઈવે પર મુસાફરી કરવી પણ મોંઘી થઈ શકે છે, કારણ કે ઘણા રૂટ પર ટોલ ટેક્સ વધવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ આવા 10 મોટા ફેરફારો વિશે...

પ્રથમ ફેરફાર- એલપીજીના ભાવ

દર મહિનાની પહેલી તારીખે, તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરે છે અને 1 એપ્રિલ, 2025ના રોજ પણ ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે લાંબા સમયથી એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત છે. આવી સ્થિતિમાં, નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, લોકોને 14 કિલોના સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા છે. 

બીજો ફેરફાર- CNG-PNG અને ATFના ભાવ

એલપીજી સિલિન્ડરની કિંમતો ઉપરાંત સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ પહેલી તારીખથી ફેરફાર થઈ શકે છે.તો કંપનીઓ  એર ટર્બાઇન ઇંધણ એટલે કે ATFની કિંમતમાં પણ 1 એપ્રિલ, 2025 ના રોજ ફેરફાર કરી શકે છે. CNGના ભાવમાં વધઘટ જ્યારે તમારા વાહનના ખર્ચમાં વધારો કરી શકે છે અથવા રાહત આપી શકે છે, ત્યારે ATFના ભાવમાં વધારો હવાઈ મુસાફરી મોંઘી બનાવી શકે છે. 

ત્રીજો ફેરફાર- UPI ID થશે બંધ 

1 એપ્રિલ, 2025 થી આગામી ફેરફાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI સાથે સંબંધિત છે અને જે મોબાઇલ નંબર સાથએ જોડાયેલ UPI એકાઉન્ટ્સ લાંબા સમયથી એક્ટિવ નથી, બેંક રેકોર્ડમાંથી હટાવવામાં આવશે. જો તમારો ફોન નંબર UPI એપ સાથે લિંક છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી, તો તેની સેવાઓ બંધ કરવામાં આવી શકે છે. 

Rules Changed
inkhabar.com

ચોથો ફેરફાર- ડેબિટ કાર્ડના નવા નિયમો 

RuPay ડેબિટ સિલેક્ટ કાર્ડમાં કેટલાક મોટા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે, જે 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે. આમાં ફિટનેસ, વેલનેસ, મુસાફરી અને મનોરંજનનો સમાવેશ થાય છે. અપડેટ્સ વિશે વાત કરીએ તો, એક ક્વાર્ટરમાં મફત ડોમેસ્ટિક લાઉન્જ વિઝિટ અને સિલેક્ટેડ લાઉન્જમાં એક વર્ષમાં બે ઇન્ટરનેશનલ લાઉન્જ વિઝિટની સુવિધા મળશે. આ સિવાય આકસ્મિક મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા માટે રૂ. 10 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર મળશે. દર ક્વાર્ટરમાં ફ્રી જિમ મેમ્બરશીપની સુવિધા મળશે. 

પાંચમો ફેરફાર- યુપીએસની શરૂઆત

નવા ટેક્સ વર્ષની શરૂઆત સાથે 1લી એપ્રિલથી કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન પ્રદાન કરવાવાળી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ થવા જઇ રહી છે. પોર્ટલ પર  1 એપ્રિલથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અરજી કરી શકશે. જો કર્મચારી યુપીએસ હેઠળ પેન્શન મેળવવા માંગે છે તો તેણે યુપીએસનો વિકલ્પ પસંદ કરવા માટે ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. જો તેઓ યુપીએસ પસંદ કરવા માંગતા ન હોય તો તેઓ એનપીએસની પસંદગી કરી શકે છે. આ અંતર્ગત 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓએ UPS અને NPS વચ્ચે પસંદગી કરવાની રહેશે. કેન્દ્ર સરકાર UPS વિકલ્પ પસંદ કરતા તમામ કર્મચારીઓને(બેઝિક સેલેરી + મોંઘવારી ભથ્થું) નો અંદાજિત  8.5% વધારાનો ફાળો પણ આપશે. UPS હેઠળ લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા પ્રતિ માસ હશે, જે UPS દ્વારા ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવા પર આપવામાં આવશે. 

છઠ્ઠો ફેરફાર- ટેક્સ સ્લેબ સંબંધિત નિયમો

બજેટ 2025માં, સરકારે મધ્યમ વર્ગને રાહત આપતા ઘણી મોટી જાહેરાતો કરી હતી, જેમાં ટેક્સ સ્લેબમાં બદલાવથી લઈને, TDS, ટેક્સ રિબેટ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. જૂના આવકવેરા અધિનિયમ 1961ની જગ્યાએ એક નવું આવકવેરા બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. આ તમામ ફેરફારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. નવા ટેક્સ સ્લેબ હેઠળ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા લોકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. વધુમાં, પગારદાર કર્મચારીઓ રૂ. 75,000ની સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે પાત્ર હશે. આનો અર્થ એ થયો કે 12.75 લાખ રૂપિયા સુધીની પગારની આવકને હવે ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. જો કે, આ છૂટ ફક્ત એ લોકોને જ લાગૂ થશે જે નવા ટેક્સ વિકલ્પને પસંદ કરે છે. 

સાતમો ફેરફાર- TDS મર્યાદામાં વધારો

આ ઉપરાંત, TDS નિયમો પણ અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બિનજરૂરી કપાત ઘટાડવા અને કરદાતાઓ માટે કેશ ફ્લોમાં સુધારો કરવા માટે વિવિધ વિભાગોમાં મર્યાદા વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે, વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવી છે, જેનાથી વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષામાં વધારો થશે. તેવી જ રીતે, ભાડાની આવક પર મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. 6 લાખ કરવામાં આવી છે, જેનાથી મકાનમાલિકો પરનો બોજ ઓછો થયો છે અને શહેરી વિસ્તારોમાં ભાડાના બજારને વેગ મળી શકે છે.

Rules Changed
navbharattimes.indiatimes.com

આઠમો ફેરફાર- ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

1 એપ્રિલ, 2025થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે, જે તેના પર ઉપલબ્ધ રેવોર્ડ અને અન્ય સુવિધાઓને અસર કરશે. એક તરફ, SBI તેના SimplyCLICK ક્રેડિટ કાર્ડ પર સ્વિગી રિવોર્ડને 5 ગણાથી ઘટાડીને અડધા કરશે. તો એર ઈન્ડિયા સિગ્નેચર પોઈન્ટ્સ 30 થી ઘટાડીને 10 કરવામાં આવશે. આ સિવાય IDFC ફર્સ્ટ બેંક ક્લબ વિસ્તારા માઈલસ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે. 

નવમો ફેરફાર- બેંક ખાતા સંબંધિત ફેરફાર

પહેલી એપ્રિલથી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. બેંક ખાતાધારકના લઘુત્તમ બેલેન્સ માટે સેક્ટર મુજબની નવી મર્યાદા નક્કી કરશે અને ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવામાં ન આવે તો દંડ લાદવામાં આવી શકે છે. 

દસમો ફેરફાર- ટોલ ટેક્સમાં વધારો

નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) આજે એટલે કે 31મી માર્ચ મધ્યરાત્રિથી ટોલ ટેક્સના દરમાં વધારો કરી શકે છે, જેની સીધી અસર તમારી હાઈવેની મુસાફરી પર પડી શકે છે. જો અહેવાલોનું માનીએ તો, NHAI એ 1 એપ્રિલથી વિવિધ ટોલ પ્લાઝા પર વધેલા દરો લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. આ મુજબ લખનૌમાંથી પસાર થતા હાઈવે પર હળવા વાહનો માટે ટોલમાં 5 રૂપિયાનો વધારો થઈ શકે છે. જ્યારે ભારે વાહનો માટે આ વધારો 20 થી 25 રૂપિયા હોઈ શકે છે. લખનૌ-કાનપુર, અયોધ્યા, રાયબરેલી, અને બારાબંકી જેવા વ્યસ્ત હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા પર આ નવા દર લાગુ થઈ શકે છે. આ સિવાય દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે અને NH-9 પરથી પસાર થતા મુસાફરોને પણ ટોલ ટેક્સ તરીકે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. 

About The Author

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.