મુંબઈમાં ડુપ્લિકેટ મતદારો! 4.33 લાખ નામ રીપિટ કરાયા, એક મતદાતા તો 103 વખત મળ્યો

મુંબઈમાં મતદાર યાદીમાં એક અનોખી અને હેરાન કરી દેનારી સ્થિતિ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે, એક જ વ્યક્તિનું નામ 2-3 વખત નહીં, પરંતુ 103 વખત નોંધાયેલું જોવા મળ્યું છે. આ બાબત ચૂંટણી અને વહીવટી પ્રક્રિયાઓની ચોકસાઈ પર પ્રશ્ન ઉઠાવે છે.

મુંબઈ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ મતદાર યાદીના ડેટા અનુસાર, શહેરમાં કુલ 1.3 કરોડ મતદારો છે. તેમાંથી આશરે 4 લાખ 33 હજાર લોકો એક કરતા વધુ વાર નોંધાયેલા છે. વારંવાર નોંધણીને કારણે ડુપ્લિકેટ મતદારોની કુલ સંખ્યા આશરે 11 લાખ સુધી પહોંચી ગઈ છે. જોકે, આ ડુપ્લિકેટ યાદીઓમાં દરેક વ્યક્તિનું નામ કેટલી વાર દેખાય છે તે સ્પષ્ટ નથી, કારણ કે વહીવટીતંત્ર પાસે આ અંગે સચોટ માહિતી નથી.

duplicate-voters2
indiatoday.in

મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિનું નામ યાદીમાં 103 વાર નોંધાય તો પણ મતદાન માત્ર એક જ વાર કરી શકાય છે. આ નિયમ મતદાર ઓળખ અને મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરે છે. આ નામ 227 વોર્ડમાં નોંધાયું છે અને વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ વ્યક્તિ માત્ર એક જ જગ્યાએ મતદાન કરી શકે છે.

ડુપ્લિકેટ મતદારોના નામો દૂર કરવા માટે મ્યુનિસિપલ વહીવટીતંત્રએ એક ખાસ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન 23 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે. આ અભિયાન હેઠળ, સહાયક કમિશનર અને સંબંધિત અધિકારીઓ 24 વોર્ડના ચૂંટણી કાર્યાલયો દ્વારા ડુપ્લિકેટ નામો ઓળખીને દૂર કરશે. વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સાફ કરવાનો અને ડુપ્લિકેટ નામો ઓળખીને યાદીમાં માત્ર એક જ નામ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તેની સાથે જ ભવિષ્યની ચૂંટણીઓમાં કોઈપણ વિસંગતતા અને મતદાર ઓળખના મુદ્દાઓને અટકાવશે.

duplicate-voters
indiatoday.in

આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, મતદાર યાદીમાં સુધારો અને નિયમિત સમીક્ષા કરવાવી કેટલી જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે ડુપ્લિકેટ નામો દૂર કરવાથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા વધશે અને મતદાન પ્રણાલી વધુ વિશ્વસનીય બનશે. વહીવટીતંત્રએ નાગરિકોને આ અભિયાનમાં સહયોગ કરવા અને સંબંધિત કચેરીઓને ડુપ્લિકેટ નામોની જાણ કરવા અપીલ કરી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલ સચોટ અને નિષ્પક્ષ મતદાર યાદી સુનિશ્ચિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.