મુંબઈમાં ડુપ્લિકેટ મતદારો! 4.33 લાખ નામ રીપિટ કરાયા, એક મતદાતા તો 103 વખત મળ્યો

મુંબઈમાં મતદાર યાદીમાં એક અનોખી અને હેરાન કરી દેનારી સ્થિતિ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મતે, એક જ વ્યક્તિનું નામ 2-3 વખત નહીં, પરંતુ 103 વખત નોંધાયેલું જોવા મળ્યું છે. આ બાબત ચૂંટણી અને વહીવટી પ્રક્રિયાઓની ચોકસાઈ પર પ્રશ્ન ઉઠાવે છે.

મુંબઈ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ મતદાર યાદીના ડેટા અનુસાર, શહેરમાં કુલ 1.3 કરોડ મતદારો છે. તેમાંથી આશરે 4 લાખ 33 હજાર લોકો એક કરતા વધુ વાર નોંધાયેલા છે. વારંવાર નોંધણીને કારણે ડુપ્લિકેટ મતદારોની કુલ સંખ્યા આશરે 11 લાખ સુધી પહોંચી ગઈ છે. જોકે, આ ડુપ્લિકેટ યાદીઓમાં દરેક વ્યક્તિનું નામ કેટલી વાર દેખાય છે તે સ્પષ્ટ નથી, કારણ કે વહીવટીતંત્ર પાસે આ અંગે સચોટ માહિતી નથી.

duplicate-voters2
indiatoday.in

મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિનું નામ યાદીમાં 103 વાર નોંધાય તો પણ મતદાન માત્ર એક જ વાર કરી શકાય છે. આ નિયમ મતદાર ઓળખ અને મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરે છે. આ નામ 227 વોર્ડમાં નોંધાયું છે અને વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ વ્યક્તિ માત્ર એક જ જગ્યાએ મતદાન કરી શકે છે.

ડુપ્લિકેટ મતદારોના નામો દૂર કરવા માટે મ્યુનિસિપલ વહીવટીતંત્રએ એક ખાસ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન 23 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે. આ અભિયાન હેઠળ, સહાયક કમિશનર અને સંબંધિત અધિકારીઓ 24 વોર્ડના ચૂંટણી કાર્યાલયો દ્વારા ડુપ્લિકેટ નામો ઓળખીને દૂર કરશે. વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સાફ કરવાનો અને ડુપ્લિકેટ નામો ઓળખીને યાદીમાં માત્ર એક જ નામ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તેની સાથે જ ભવિષ્યની ચૂંટણીઓમાં કોઈપણ વિસંગતતા અને મતદાર ઓળખના મુદ્દાઓને અટકાવશે.

duplicate-voters
indiatoday.in

આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, મતદાર યાદીમાં સુધારો અને નિયમિત સમીક્ષા કરવાવી કેટલી જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે ડુપ્લિકેટ નામો દૂર કરવાથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા વધશે અને મતદાન પ્રણાલી વધુ વિશ્વસનીય બનશે. વહીવટીતંત્રએ નાગરિકોને આ અભિયાનમાં સહયોગ કરવા અને સંબંધિત કચેરીઓને ડુપ્લિકેટ નામોની જાણ કરવા અપીલ કરી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલ સચોટ અને નિષ્પક્ષ મતદાર યાદી સુનિશ્ચિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.