13 કરોડની જમીન 54 કરોડમાં ખરીદી... જમીન કૌભાંડની સંપૂર્ણ કહાની: કેવી રીતે 2 IAS અધિકારીઓએ આખો ખેલ પાડ્યો?

ઉત્તરાખંડમાં બહુચર્ચિત પુષ્કર સિંહ ધામી સરકારે હાઇ-પ્રોફાઇલ હરિદ્વાર જમીન ખરીદી કૌભાંડ અંગે મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિ પર ચાલતા સરકારે આ કેસમાં સંડોવાયેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સામે કડક પગલાં લીધાં છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વરુણ ચૌધરીને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. તો, તત્કાલીન DM, કરમેન્દ્ર સિંહને તેમની સત્તાવાર ફરજો અને જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં ઘોર બેદરકારી બદલ દોષિત ઠેરવ્યા બાદ મોટી સજા લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને અધિકારીઓ સામે કાર્યવાહી માટે ભલામણો કર્મચારી અને તાલીમ વિભાગને મોકલવામાં આવી છે. ચાલો જાણીએ કે આખરે હરિદ્વાર જમીન ખરીદી કૌભાંડ શું છે, જેમાં બે વરિષ્ઠ IAS અધિકારીઓ સામે કાર્યવાહી થઈ.

હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમીન ખરીદી કૌભાંડની મુખ્ય વાતો...

19 સપ્ટેમ્બર, 2024ના રોજ 33 વિઘા જમીન ખરીદવા માટે કાગળકામ શરૂ થયું હતું.

ખરીદી પહેલા, આ જમીનને 6 ઓક્ટોબર, 2024ના રોજ '143'ની શ્રેણી (બિન-કૃષિ ઉપયોગ)માં બદલવામાં આવી હતી.

26 ઓક્ટોબર સુધીમાં જમીન ખરીદી માટેના તમામ દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

નવેમ્બર 2024માં, 33 વિઘા જમીન ત્રણ અલગ-અલગ તારીખોમાં અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ખરીદવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને ₹13 કરોડની જમીન ₹53.70 કરોડમાં ખરીદી.

તત્કાલીન SDM, અજય વીર સિંહે અરજીની તારીખથી જમીન ટ્રાન્સફર ઓર્ડર (પરવાના અમલદારમદ)ના અંતિમ અમલ સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર છ દિવસમાં પૂર્ણ કરી હતી.

અધિકારીઓના આ ખેલથી સરકારી તિજોરીને ₹39 કરોડથી વધુનું નુકસાન થયું.

હરિદ્વારના મેયર કિરણ જયસ્વાલે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો.

મુખ્યમંત્રી કાર્યાલયે વિભાગીય તપાસનો આદેશ આપ્યો; પ્રાથમિક તપાસમાં તમામ અધિકારીઓ દોષિત જણાયા.

3 જૂન, 2025ના રોજ, હરિદ્વારના તત્કાલીન DM કર્મેન્દ્ર સિંહ, મ્યુનિસિપલ કમિશનર વરુણ ચૌધરી અને SDM અજય વીર સહિત 12 વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વધુ તપાસ રાજ્યના વિજિલન્સ વિભાગને સોંપવામાં આવી હતી.

હરિદ્વાર જમીન ખરીદી કૌભાંડની સંપૂર્ણ કહાની

આ સમગ્ર મામલો હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરાય ગામમાં ખરીદેલી 33 વીઘા જમીન સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયેલી જમીન કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે આવેલી ખેતીની જમીન હતી, અને તેની ખરીદીની તાત્કાલિક જરૂર પણ નહોતી. આમ છતા જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી.

CM-Dhami1
ndtv.com

તપાસમાં જાણવા મળ્યું કે, જે ખેતીની જમીનની મૂળ કિંમત આશરે 13-15 કરોડ હતી, તેને ખરીદ પ્રક્રિયા દરમિયાન માત્ર છ દિવસમાં જ વાણિજ્યિક જમીન તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવી હતી. ત્યારબાદ, મ્યુનિસિપલ કોર્પોરેશને તે જ જમીન લગભગ ₹53.70 કરોડમાં ખરીદી. આ સોદાથી રાજ્યના ખજાનાને ₹39 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી તેને ઉત્તરાખંડના સૌથી હાઇ-પ્રોફાઇલ જમીન કૌભાંડોમાંનું એક માનવામાં આવ્યું.

આ મામલો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સુધી પહોંચ્યા પછી, સરકારી સ્તરે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી. સચિવ સ્તરના અધિકારીની આગેવાની હેઠળની તપાસમાં જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની પુષ્ટિ થઈ. લગભગ 100 પાનાંના તપાસ અહેવાલમાં અસંખ્ય વહીવટી અને પ્રક્રિયાગત ભૂલો સામે આવી હતી. અહેવાલમાં જમીન પસંદગી, મૂલ્યાંકન અને સંપાદનની પ્રક્રિયાઓમાં પારદર્શિતાનો અભાવ પણ જોવા મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયા હતા.

dhami
news.abplive.com

પ્રારંભિક તપાસમાં અનિયમિતતાના સંકેતો બાદ, સરકારે તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ કર્મેન્દ્ર સિંહ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વરુણ ચૌધરી સહિત કુલ 12 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આમાં બે IAS અધિકારીઓ અને એક PCS અધિકારીનો સમાવેશ થાય છે. ત્યારબાદ, સરકારે વિષેશ તપાસ અને ઓડિટ દ્વારા સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ હાથ ધરી. તપાસ હવે પૂર્ણ થતા દોષિત IAS અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

સરકારે તત્કાલીન SDM અજયવીર સિંહ સામે પણ કાર્યવાહી માટે નિર્દેશો જાહેર કર્યા છે. તેમના સર્વિસ રેકોર્ડમાં પ્રતિકૂળ એન્ટ્રી નોંધવા સાથે-સાથે ત્રણ વાર્ષિક પગાર વધારાને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો મત છે કે જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન વહીવટી સ્તરે જરૂરી તકેદારી અને જવાબદારી રાખવામાં આવી નહોતો, જેના કારણે સરકારી ભંડોળનો દુરુપયોગ થયો.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર અને જનધનના દુરુપયોગના કેસોમાં કોઈપણ સ્તરે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ભાર મૂક્યો હતો કે શાસન-પ્રશાશનમાં પારદર્શિતા, જવાબદારી અને જનહિત સર્વોપરી છે. દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે જનતાના નાણાંનો દુરુપયોગ કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં, અને ભવિષ્યમાં પણ આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ વધી રહી છે. ખાસ કરીને સ્કુટર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઇલેક્ટ્રિક બાઇક...
Tech and Auto 
ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

એક સમયે વૈશ્વિક રાજકારણના બે સૌથી મોટા પોસ્ટર બોય અને નજીકના મિત્રો ગણાતા, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના ...
World 
શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

ઇઝરાયેલમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલના ઓપિનિયન...
World 
ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી

આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute...
Charcha Patra 
પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.