- National
- 16 વર્ષ પહેલા લોકસભામાં ભાજપના 3 સાંસદોએ ટેબલ પર નોટોના બંડલોનો ઢગલો કરેલો
16 વર્ષ પહેલા લોકસભામાં ભાજપના 3 સાંસદોએ ટેબલ પર નોટોના બંડલોનો ઢગલો કરેલો
6 ડિસેમ્બરે લોકસભામાં 222 નંબરની સીટ પરથી 50,000 રૂપિયાનું 500ની નોટનું એક બંડલ મળ્યું અને એ નોટ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીનું હતું એ વાતે હોબાળો મચેલો, પરંતુ આજે તમને 16 વર્ષ પહેલાની એક ઘટના વિશે વાત કરીશું જ્યારે ભાજપના 3 સાંભ્યોએ લોકસભામાં નોટોના બંડલોનો ઢગલો કરી દીધેલો.
22 જુલાઇ 2008નો એ દિવસ હતો અને સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. તે વખતે ભાજપના 3 સાંસદો અશોક અર્ગલ, ફગ્ગનસિંહ ફુલસ્તે અને મહાવીર ભગારો, નોટોના બંડલો ભરેલી બેગ લઇને લોકસભામાં પ્રવેશ્યા અને ટેબલ પર બંડલોનો ઢગલો કરી દીધો હતો. 1 કરોડ રૂપિયા રોકડા હતા.

ભાજપના સાંસદોએ આરોપ લગાવ્યો કે આ રૂપિયા UPA સરકારને સમર્થન આપવા અમને લાંચ પેટે એડવાન્સ આપવામાં આવ્યા છે અને કુલ 9 કરોડ રૂપિયામાં ડીલ થઇ છે. ભાજપનો આરોપ હતો કે તે વખતની કોંગ્રેસની સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહે 1 કરોડ રૂપિયા આપ્યા હતા.
લાંબા વર્ષો સુધી આ કેસ ચાલ્યો અને આખરે એ એક કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં ચાલ્યા ગયા.

