110 વર્ષ અગાઉ થયો હતો ભારતનો પહેલો ટ્રેન અકસ્માત, અથડાઇ હતી ટ્રેન સાથે માલગાડી

રેલગાડીની સફર આજે પણ દેશમાં સૌથી સુરક્ષિત સફરની રીત માનવામાં આવે છે, પરંતુ ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ રેલ અકસ્માતે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1100 લોકો અત્યારે ઇજાગ્રસ્ત છે. ઘટનાની CBI તપાસ શરૂ થઈ ગઈ છે, જેમાં એ સવાલોના જવાબ શોધવામાં આવશે કે કઈ રીતે માલગાડીના ટ્રેક પર પેસેન્જર ટ્રેનને ગ્રીન સિગ્નલ મળી ગયું. અકસ્માત પાછળ કોણ જવાબદાર અને સેકડો લોકોના મોત પાછળ કોની ચૂંક સામેલ છે.

જો કે, રેલ અકસ્માતોનો ઇતિહાસ જૂનો છે. વર્ષ 1981માં બિહારની બાગમતી નદી પર થયેલા ટ્રેન અકસ્માતે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. નદી પર બનેલા પુલને પાર કરતા ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ હતી અને આખી ગાડી, મુસાફરો સહિત નદીમાં સમાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 750 કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. દેશમાં રેલ અકસ્માતોનો ઇતિહાસ શોધીએ તો પહેલી વખત વર્ષ 1907માં 2 ટ્રેનોના ટકરાવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા. 24 ઓક્ટોબરની તારીખને કોટ લખપત (જએ અત્યારે પાકિસ્તાનમાં છે)માં એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે ટકરાઇ ગઈ હતી.

પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા એક ઉપર એક ચડી ગયા હતા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. રેલ દુર્ઘટનામાં લોકોના મોત થવા ગંભીર મામલો છે. સવાલ ઉઠે છે કે, ટ્રેક પર ઉપસ્થિત ગાડીની જાણકારી વિના બીજી ગાડી એ જ ટ્રેક પર કઈ રીતે આવી જાય છે? સવાલ એ છે કે તેનું સમાધાન શું છે. છેલ્લા 8 વર્ષોમાં જ 2 ટ્રેનો એક-બીજા સાથે ટકારવા 22 ઘટના આવી ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે, ઘટનામાં દોષી અધિકારીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે કે કર્મચારીઓ પર કાર્યવાહી કરીને પતાવટ કરી દેવામાં આવશે.

રેલવે મુજબ, ભારતમાં રોજ 12 કરોડ કરતા વધુ લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. આ 12 કરોડ લોકો રોજ 14 હજાર ટ્રેનોની સવારી કરે છે. રેલ સુરક્ષામાં સુધાર માટે સરકારી પ્રયાસો છતા, ભારતીય રેલવેમાં દર વર્ષે ઘણી ઘટનાઓ થાય છે. મોટા ભાગની ઘટનાઓમાં માનવ ત્રુટિ કે જીના સિગ્નલિંગ ઉપકરણનો ઉપયોગ બતાવવામાં આવે છે. 1980થી લગભગ 2002 સુધી દર વર્ષે લગભગ 475 ટ્રેન ટ્રેક પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી. હાલના વર્ષોમાં રેલ સુરક્ષામાં વધારો થયો છે. ગંભીર ટ્રેન દુર્ઘટનાઓની કુલ સંખ્યા 2 દશકમાં 300 થી વર્ષ 2020માં ઘટીને 22 થઈ ગઈ. વર્ષ 2017 સુધી દર વર્ષ 100 કરતા વધુ પેસેન્જર, ટ્રેન દુર્ઘટનામાં મોતને ભેટતા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.