દરોડા પડ્યા તો પાડોશીની ટેરેસ પર 2 કરોડ ફેંકી દીધા, સરકારી અધિકારી પકડાયો

ઓડિશાના ભુવનેશ્વરમાં એક સરકારી અધિકારીના ઘર પર ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા પાડવામાં આવેલા દરોડાથી એક વિચિત્ર દ્રશ્ય સામે આવ્યું હતું. વિજીલન્સ અધિકારીને જોઇને કરોડો રૂપિયા પડોશીના ટેરેસ પર ફેંકી દીધા હતા.

ઓડિશાનીરાજધાની ભુવનેશ્વરના શહેરના કાનન વિહાર ખાતે હાલમાં નબરંગપુર જિલ્લામાં વધારાના સબ-કલેક્ટર તરીકે પોસ્ટ કરાયેલા ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) ઓફિસર પ્રશાંત કુમાર રાઉતનો દરવાજો ખટખટાવ્યો ત્યારે હાઇ ડ્રામા સર્જાયો હતો. જ્યારે દરોડો પાડવામાં આવ્યો હતો પડોશીના ટેરેસ પર છ કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવેલી લગભગ 2 કરોડ રૂપિયાની રોકડ ફેંકી દીધી. જો કે, ગેરકાયદે નાણા બચાવવાની તેમની યોજના ફળી ન હતી કારણ કે કેટલાક સતર્ક વિજિલન્સ અધિકારીઓએ એ જોઇ લીધું હતું અને રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી. રાઉતેઓડિશા વિજિલેંસની ટીમો માં વધારાના એસપી, 7 ડિપ્ટી એસપી, 8 ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારીઓ સામેલ છે,જેઓ ભુવનેશ્વર, નબરંગપુર અને ભદ્રક સ્થળ પર એક સાથે દરોડા પાડ્યા છે.

ઓડિશામાં એક સરકારી અધિકારી રંગે હાથે ઝડપાયો છે. તેના ઘરેથી 2 કરોડ રૂપિયા મળી આવ્યા છે. રાજ્યના વિજીલન્સ વિભાગના અધિકારીઓએ શુક્રવારે સવારે તેને 500 રૂપિયાની નોટોના બંડલ સાથે પકડી પાડ્યો હતો. પોતાને બચાવવા માટે, અધિકારી તેના પાડોશીના ઘરની છત પર પૈસા ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નબરંગપુર જિલ્લાના અધિક ઉપ-કલેક્ટર તરીકે નિયુક્ત પ્રશાંત રાઉત વહેલી સવારના દરોડા દરમિયાન ભુવનેશ્વરમાં બે માળના મકાનમાંથી તેના પાડોશીના ટેરેસ પર ચલણી નોટો ફેંકતા રંગે હાથે ઝડપાયો હતો.

અધિકારીઓએ કહ્યું કે પડોશીની ટેરેસ પરથી 6 બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રશાંત રાઉતે તાજેતરમાં જ 2000ની નોટોના બદલામાં 500 રૂપિયાના બંડલ મેળવ્યા હતા. અધિકારીઓએ ક્હયું કે, અત્યાર સુધીમાં અમને 2 કરોડ રૂપિયાની રોકડ મળી છે અને વધારે રકમ મળવાની સંભાવના છે.

પ્રશાંત રાઉત કથિત રીતે નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના સરકારી જમીનમાંથી ખોદકામની મંજૂરી આપીને જિલ્લામાં પથ્થર ખનન માફિયાઓ પાસેથી કથિત રીતે નાણાંની કમાણી કરી હતી. ઓડિશા વિજિલન્સ ટીમમાં બે એડિશનલ એસપી, 7 ડેપ્યુટી એસપી, 8 ઈન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ નવ ટીમો એક સાથે ભુવનેશ્વર, નબરંગપુર અને ભદ્રકમાં નવ સ્થળોએ દરોડા પાડી રહી છે. રાઉત સામે ભ્રષ્ટાચાર અને લાંચના અનેક આરોપો અને ફરિયાદો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.