બ્રિટિશ મ્યુઝીયમમાંથી સોના-હીરા સહિતની 2000 કલાકૃતિઓની ચોરી,અબજોમાં કિંમત

બ્રિટિશ મ્યુઝીયમમાંથી ગોલ્ડ અને ડાયમંડ સહિતની અત્યંત કિંમતી કલાકૃતિઓની ચોરી થઇ ગઇ છે. તે પણ એક બે નહીં 2000 કલાકૃતિઓની ચોરી કરવામાં આવી છે.આ બ્રિટિશ મ્યુઝીમની સુરક્ષાની મોટી ખામી સામે આવી છે.

દુનિયાભરમાં મશહૂર લંડનના બ્રિટિશ મ્યુઝીયમમાં લાંબા સમયથી સોનાના ઘરેણાં અને ડાયમંડ સહિત લગભગ 2000 જેટલી કલાકૃતિઓની ચોરી થઇ ગઇ છે. જેને પાછા મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લાખો પાઉન્ડની લગભગ 2000 જેટલી કલાકૃતિઓ બ્રિટિશ મ્યુઝીયમના એક વરિષ્ઠ ક્યૂરેટર ચોરી કરી લીધી હતી. મ્યૂઝિયમે તાજેતરમાં જાણકારી આપી હતી કે કલાકૃતિઓની ચોરી થઇ છે અને સ્ટાફના એક માણસને કાઢી મુકવામાં આવ્યો છે.

CNNના એક રિપોર્ટ મુજબ બ્રિટશ મ્યુઝીયમના અધ્યક્ષ જ્યોર્જઓસબોર્ને કહ્યું કે મ્યુઝીયમમાંની વસ્તુઓ ફરી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યો છે, જે ચોરી લેવામાં આવી હતી અને Online વેચી દેવામાં આવી હતી. ઓસ્બોર્નની ટિપ્પણીઓ એવા ખુલાસા પછી સામે આવી હતી કે મ્યુઝીયમ ચેતવણીઓનું ધ્યાન રાખવામાં નિષ્ફળ ગયું હતું કે તેના સંગ્રહમાંથી વસ્તુઓ કથિત રીતે ઓનલાઈન વેચાણ માટે ઓફર કરવામાં આવી રહી હતી. એ પહેલા ચોરી કરવામાં આવેલી કલાકૃતિઓની સંખ્યા સ્પષ્ટ નહોતી.

બ્રિટિશ મ્યુઝિયમે કહ્યું હતું કે ગુમ થયેલી મોટાભાગની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખવામા આવેલા સ્મોલ પીસીસ હતા. તેમાં 15મી સદી BCથી 19મી સદી AD સુધીના સોનાના આભૂષણો, કિંમતી ડાયમંડ અને કાચના વાસણોનો સમાવેશ થાય છે. આમાંની કોઈપણ આઇટમ તાજેતરમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવી ન હતી.

બ્રિટિશ મ્યુઝિયમના અધ્યક્ષ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે લગભગ 2,000 કલાકૃતિઓ ગુમ થઈ ગઈ હતી, જેમાંથી કેટલીક પહેલાથી જ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. ઓસ્બોર્ને કહ્યું કે 'અમે ઘણા પ્રમાણિક લોકો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ, જેઓ ચોરાયેલી વસ્તુઓ પરત કરશે, અન્ય કદાચ નહીં કરે. એવું માનવામાં આવી રહ્યુ છે કે બ્રિટિશ મ્યુઝીયમમાંથી ચોરીનું કૌભાંડ 2021થી છે. જ્યારે એક ડેનિશ આર્ટ ડીલરે બ્રિટશ મ્યુઝીયમનો સંપર્ક કરીને કહ્યું હતું કે મ્યુઝીયમની અનેક કલાકૃતિઓ તેણે Online વેચાણ માટે જોઇ હતી.ઓસબોર્ને કહ્યું કે બ્રિટિશ મ્યુઝીયમે શરૂઆતમાં તપાસ પુરી કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસ અધુરી જણાઇ હતી. ઓસબોર્ને કહ્યું કે અમારે સ્પષ્ટ રીતે સુરક્ષામાં સુધારો કરવો પડશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.