પરિવારના 5 લોકો બે માસની બાળકી સહિત જીવતા સળગ્યા

કુશીનગર જિલ્લાના રામકોલા પોલીસમથક ક્ષેત્રના માઘી મઠિયા ગામમાં બુધવારે બપોરે લગભગ બે વાગે ઘરમાં આગ લાગવાથી દિવ્યાંગ માતા પોતાની ચાર માસુમ દિકરીઓ સહિત જીવતા સળગ્યા. મરનારાઓમાં સૌથી નાની દિકરી ફક્ત બે મહિનાની હતી. તેનો મૃતદેહ માતાના ખોળામાં મળ્યો. દિવ્યાંગ હોવાના કારણે માતા પોતાને પણ ન બચાવી શકી અને પોતાની માસૂમ દિકરીઓને પણ ન બચાવી શકી. આગ ઘરની સામેની એક ઝૂંપડીમાંથી ઉઠી હતી. આગ કઇ રીતે લાગી તેની જાણકારી હજુ સુધી નથી મળી શકી.

જાણકારી અનુસાર, માઘી મઠિયા ગામના દિવ્યાંગ શેર મોહમ્મદ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બુધવારના રોજ બપોરે તેમના પરિવારના દરેક લોકો સુતા હતા. ત્યારે તેમના ઘરની સામે નબીહસનની ઝૂપડીમાં કોઇ કારણસર આગ લાગી ગઇ. તડકો અને હવા ચાલવાના કારણે શેર મોહમ્મદનાં ઘરમાં પણ આગ લાગી ગઇ.

ઘરની સામે સ્થિત ઝૂંપડીમાં આગ લાગ્યા પછી શેર મોહમ્મદની દિકરીઓ અને પત્ની અને દાદા દાદી પાકા મકાનમાં છુપાવા માટે ચાલ્યા ગયા. એક રૂમમાં શેર મોહમ્મદની પત્ની અને ચારે દિકરીઓ હતી, તો બીજા રૂમમાં કુલસુમ છુપાઇ હતી. પણ પાકા મકાનમાં પણ આગ લાગી ગઇ. જે રૂમમાં દિકરીઓ છુપાઇ હતી, તેમાં સામાન વધારે હોવાથી રૂમમાં આગ ફેલાઇ ગઇ. જેથી પાંચે જણ એક જ રૂમમાં જીવતા સળગી ગયા. બીજા રૂમમાં હાજર શેર મોહમ્મદ અને દાદા દાદી અને એક દિકરી ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટનાના સમયે શેર મોહમ્મદ રીક્ષા લઇને બહાર ગયા હતા. આગ લાગવાની જાણકારી મળતા જ તેઓ ઘરે પહોંચ્યા. ઘટનામાં શેર મોહમ્મદની 32 વર્ષની પત્ની ફાતિમા, છ વર્ષની દિકરી રોકઇ, ત્રણ વર્ષની અમીના, દોઢ વર્ષની આયશા અને બે મહિનાની ખતીજા જીવતા સળગી ગયા. શેર મોહમ્મદના દાદા 90 વર્ષના સફીદ, 85 વર્ષીય દાદી મોતીરાની અને છ વર્ષની દિકરી કુલસુમ ગંભીર રૂપે સળગી ગયા છે.

આગ લાગ્યા બાદ લગભગ ચાર કલાક સુધી ગામમાં અફરાતફરી મચી ગઇ. ફાયર બ્રિગેડને સૂચના મળ્યા છતાં તેઓ લગભગ બે કલાક મોડા પહોંચ્યા. ડીએમ રમેશ રંજન, એસપી ધવલ જયસવાલ, એડીએમ દેવીદયાળ વર્મા, એસડીએમ સદર મહાત્મા સિંહ, સીએમઓ ડો. સુરેશ પટારિયા સહિત કેટલાક અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

એસપી ધવલ જયસવાલે કહ્યું કે, પોલીસ પ્રશાસન તરફથી મોકા પર પહોંચીને રાહત તથા બચાવ કાર્ય કરવામાં આવ્યું મરનારી મહિલા દિવ્યાંગ હતી. દરેક આગમાં ઘેરાઇ ગયા હતા. તેથી મહિલા પોતાને પણ ન બચાવી શકી અને દિકરીઓને પણ ન બચાવી શકી. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ અજ્ઞાત છે. પીડિત પરિવારને રાહત કોષ પાસેથી મદદ મળશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.