પતિએ સૂતેલી પત્નીને મરક્યુરીનું ઇન્જેક્શન આપ્યું... મહિલા 9 મહિના સુધી તડપી પછી...

બેંગલુરુથી એક દિલ હચમચાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અટ્ટીબેલે વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્નીને મરક્યુરીનું ઇન્જેક્શન આપીને મારી નાખી. ઘરેલુ હિંસા અને હત્યાના પ્રયાસનો આ મામલો ડરાવી નાખે તેવો છે. મહિલાના પતિએ કથિત રીતે તેને મરક્યુરીનું ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે તે મહિલા છેલ્લા 9 મહિનાથી જીવન માટે સંઘર્ષ કરી રહી હતી. હવે, તે કાયમ માટે સુઈ ગઈ છે.

Husband-Injects-Mercury4
msn.com

પીડિતા, વિદ્યાએ ગંભીર રીતે બીમાર પડતા પહેલા વિગતવાર નિવેદન આપ્યું હતું. તેના નિવેદનના આધારે, 23 નવેમ્બર, 2025ના રોજ અટ્ટીબેલે પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધવામાં આવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિએ શિવરાત્રી પર તેને મરક્યુરીનું ઇન્જેક્શન આપ્યું હતું.

મૃત્યુ પહેલા પોલીસને આપેલા નિવેદનમાં, વિદ્યાએ કહ્યું હતું કે, તેના લગ્ન બસવરાજ સાથે થયા હતા. શરૂઆતથી જ, તે તેના પતિ અને સસરા તરફથી સતત ત્રાસ, અપમાન અને ઉપેક્ષા સહન કરી હતી. તેનો પતિ વારંવાર તેને પાગલ કહેતો અને ઘરમાં બંધ કરી દેતો હતો. તે તેને તેના સંબંધીઓના ઘરે લઈ જવાનો ઇનકાર કરતો અને દરરોજ તેનું શોષણ કરતો. તેમને એક ચાર વર્ષનું બાળક પણ છે.

Husband-Injects-Mercury1
navbharattimes.indiatimes.com

વિદ્યાએ જણાવ્યું કે 26 ફેબ્રુઆરી, 2025ની રાત્રે, તે સૂઈ ગઈ અને બીજા દિવસે સાંજે જ તેને ભાન આવ્યું. તેને જમણી જાંઘમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો, જાણે તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય. જ્યારે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ, ત્યારે તે 7 માર્ચે એટ્ટીબેલે સરકારી હોસ્પિટલમાં ગઈ, જ્યાં તેને ઓક્સફર્ડ હોસ્પિટલ રિફર કરવામાં આવી.

ઓક્સફર્ડ હોસ્પિટલના ડોકટરોએ તેની તપાસ કરી અને મરક્યુરીના ઝેરનું નિદાન થયું. તેઓએ સર્જરી કરી અને પરીક્ષણ માટે નમૂના મોકલ્યા, જેમાં તેના શરીરમાં મરક્યુરીની હાજરીની પુષ્ટિ થઈ. ત્યાં તેની સારવાર એક મહિના સુધી ચાલી. ડોકટરોએ નક્કી કર્યું કે ઝેર તેના આખા શરીરમાં ફેલાઈ ચૂક્યું હતું, જેનાથી તેની કિડની સહિત ઘણા બધા અવયવોને નુકસાન થયું હતું. ત્યારપછી તેને વિક્ટોરિયા હોસ્પિટલ રિફર કરવામાં આવી. ત્યાં, તેને ડાયાલિસિસ પર મૂકવામાં આવી, પરંતુ તેની સ્થિતિ ગંભીર રહી.

Husband-Injects-Mercury
jagran.com

વિદ્યાએ પોલીસને જણાવ્યું કે તેના પતિ બસવરાજે તેના પિતા મારિસ્વામાચારી સાથે મળીને તેને મારી નાખવાના ઇરાદાથી તેના શરીરમાં મરક્યુરીના ઇન્જેક્શનનું કાવતરું ઘડ્યું હતું. તે નવ મહિના સુધી મરક્યુરીના ઝેરથી પીડાતી હતી અને અંતે તેનું મૃત્યુ થયું. મહિલાના નિવેદનના આધારે પોલીસે તેના પતિ વિરુદ્ધ FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.