ત્રીજા લગ્ન કરવા બેઠો હતો વરરાજો, ત્યારે જ પહેલી પત્ની પહોંચી ગઈ અને કોલર પકડીને મેથીપાક ચખાડ્યો

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પુરુષ ત્રીજા લગ્ન કરી રહ્યો હતો ત્યારે જ તેની પહેલી પત્ની પહોંચી. ત્યારબાદ પહેલી પત્નીએ લગ્ન સમારંભમાં હોબાળો કરતા પતિનો કોલર પકડી લીધો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો. હોબાળો થતો જોઈને, મહિલા સાથે પહોંચેલી પોલીસ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિ શાંત કરી. પોલીસે આરોપી પતિની અટકાયત કરી, પરંતુ બાદમાં તેને છોડી દીધો. મહિલા અને તેના પતિનો  કરિયાવર ઉત્પીડનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આખો મામલો મહોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

મછરેહટા પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગંજની એક મહિલાના લગ્ન 2018માં કોતવાલી દેહાત વિસ્તારના પીતપુરના રહેવાસી બિપિન રાજવંશી ઉર્ફે સોનૂ સાથે થયા હતા. લગ્ન બાદ જ, બિપિનના પરિવારે કરિયાવરમાં વધારાના 4 લાખ રૂપિયાની માંગણી કરતા અને મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લગ્નના 10 દિવસ બાદ જ મહિલાના સાસરિયાઓએ તેને તેના માતા-પિતાના ઘરે છોડી આવ્યા હતા. આ દરમિયાન, પરિવારે 2021માં કોર્ટમાં કરિયાવર ઉત્પીડનનો દાવો દાખલ કર્યો, જે હજુ પણ પેન્ડિંગ છે.

Marriage1
hindi.news18.com

આ દરમિયાન, 5 ફેબ્રુઆરીના રોજ, પીડિતાને માહિતી મળી કે તેનો પતિ, બિપિન રાજવંશી મહોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંસ્કાર ગેસ્ટ હાઉસમાં ત્રીજા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. માહિતી મળતા જ, પીડિતાએ સૌપ્રથમ માચરેહટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ, માચરેહટા પોલીસ મહિલા સાથે મહોલી પોલીસ સ્ટેશન ગઈ, જ્યાં બંને પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક પીડિતાના ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યા, જ્યાં આરોપી લગ્નની વિધિઓમાં વ્યસ્ત જોવા મળ્યો. પીડિતાએ તેના પતિ બિપિનને જેવો જ લગ્નના પોશાકમાં જોયો, તેવી જ તે ગુસ્સે થઈ ગઈ, તેનો કોલર પકડી લીધો અને તેને મારવા લાગી.

Marriage2
livehindustan.com

લગ્નની વિધિ દરમિયાન થયેલા હોબાળાને કારણે સમારોહમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલા સાથે આવેલી પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત કરી. પોલીસે ઘટનાસ્થળેથી બિપિન રાજવંશીની અટકાયત કરી અને તેને માચરેહટા પોલીસ સ્ટેશન લઈ ગઈ. પીડિતાએ આરોપ લગાવ્યો કે જો તે સમયસર ન પહોંચી હોત તો આરોપીએ ત્રીજા લગ્ન કરી લીધા હોત. તેણે કહ્યું કે કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતા તેનો પતિ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. તો, પોલીસ અધિકારીઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

About The Author

Related Posts

Top News

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
Opinion 
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

Opinion

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું? એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
Copyright (c) Khabarchhe All Rights Reserved.