સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 6 લોકોના મોત

હરિયાણાના પાનીપત જિલ્લામાં આજે સવારે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સવારે ભોજન બનાવતી વખત સિલિન્ડરમાં આગ લાગી ગઇ હતી. રૂમનો દરવાજો ન ખૂલ્યો, જેના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા. પાનીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોતથી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો છે. પાનીપત તાલુકા કેમ્પ ક્ષેત્રમાં મૃતક ભાડા પર રહેતા હતા. સિલિન્ડરમાં આગ કેમ લાગી, તેનો ખુલાસો થઇ શક્યો નથી.

ઘટનાની જાણકારી બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને આ મામલાની તપાસમાં લાગી ગઇ છે. મૃતકોમાં દંપત્તિ સહિત બે દીકરીઓ અને બે દીકરા સામેલ છે. દંપત્તિનું નામ અબ્દુલ (ઉંમર 42 વર્ષ) અને અફરોજ (ઉંમર 40 વર્ષ) છે. તેમની બે દીકરીઓ રેશ્મા (ઉંમર 20 વર્ષ) અને ઇશરત (ઉંમર 17 વર્ષ), બે દીકરા અબ્દુલ (ઉંમર 12 વર્ષ) અને અકફાન (ઉંમર 10 વર્ષ) છે. ઘટનાસ્થળ પર પોલીસ પ્રશાસન પહોંચી ચૂક્યું છે. અધિકારી છતના માર્ગે દરવાજા તોડીને અંડર દાખલ થયા છે. ફાયર વિભાગની ટીમે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે.

શબોને શબગૃહ મોકલી આપવામાં આવ્યા છે. આસપાસના ક્ષેત્રમાં ભયનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત જય ભગવાન શર્માના મકાનમાં થયો છે. મૃતક પરિવાર ઉત્તર દિનજપુર બંગાળનો રહેવાસી હતો. પાનીપતના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવનનું કહેવું છે કે, મકાનોમાં આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી લાગી નથી, તે આગ ગેસ સિલિન્ડર ગેસ લિકેબ બાદ લાગી હતી. આ અગાઉ મધ્ય પ્રદેશના સતનામાં પણ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી.

રવિવારે સવારે એક રેસ્ટોરાંમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ જોરદાર ધમાકો થયો હતો. તેનાથી વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જોધપુરમાં જાન જવા અગાઉ ઘરમાં થયેલા બ્લાસ્ટમાં 50 કરતા વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઘણા લોકો અત્યારે પણ હૉસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન બનાવવા દરમિયાન સિલિન્ડરમાં ધમાકો થયો હતો.

About The Author

Top News

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.