સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 6 લોકોના મોત

હરિયાણાના પાનીપત જિલ્લામાં આજે સવારે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સવારે ભોજન બનાવતી વખત સિલિન્ડરમાં આગ લાગી ગઇ હતી. રૂમનો દરવાજો ન ખૂલ્યો, જેના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા. પાનીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોતથી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો છે. પાનીપત તાલુકા કેમ્પ ક્ષેત્રમાં મૃતક ભાડા પર રહેતા હતા. સિલિન્ડરમાં આગ કેમ લાગી, તેનો ખુલાસો થઇ શક્યો નથી.

ઘટનાની જાણકારી બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને આ મામલાની તપાસમાં લાગી ગઇ છે. મૃતકોમાં દંપત્તિ સહિત બે દીકરીઓ અને બે દીકરા સામેલ છે. દંપત્તિનું નામ અબ્દુલ (ઉંમર 42 વર્ષ) અને અફરોજ (ઉંમર 40 વર્ષ) છે. તેમની બે દીકરીઓ રેશ્મા (ઉંમર 20 વર્ષ) અને ઇશરત (ઉંમર 17 વર્ષ), બે દીકરા અબ્દુલ (ઉંમર 12 વર્ષ) અને અકફાન (ઉંમર 10 વર્ષ) છે. ઘટનાસ્થળ પર પોલીસ પ્રશાસન પહોંચી ચૂક્યું છે. અધિકારી છતના માર્ગે દરવાજા તોડીને અંડર દાખલ થયા છે. ફાયર વિભાગની ટીમે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે.

શબોને શબગૃહ મોકલી આપવામાં આવ્યા છે. આસપાસના ક્ષેત્રમાં ભયનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત જય ભગવાન શર્માના મકાનમાં થયો છે. મૃતક પરિવાર ઉત્તર દિનજપુર બંગાળનો રહેવાસી હતો. પાનીપતના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવનનું કહેવું છે કે, મકાનોમાં આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી લાગી નથી, તે આગ ગેસ સિલિન્ડર ગેસ લિકેબ બાદ લાગી હતી. આ અગાઉ મધ્ય પ્રદેશના સતનામાં પણ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી.

રવિવારે સવારે એક રેસ્ટોરાંમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ જોરદાર ધમાકો થયો હતો. તેનાથી વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જોધપુરમાં જાન જવા અગાઉ ઘરમાં થયેલા બ્લાસ્ટમાં 50 કરતા વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઘણા લોકો અત્યારે પણ હૉસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન બનાવવા દરમિયાન સિલિન્ડરમાં ધમાકો થયો હતો.

About The Author

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.