સ્મશાનગૃહમાં જન્મદિવસની પાર્ટી, 100થી વધુ લોકો આવ્યા, જાણો શું ખવડાવ્યું

દેશ ગમે તે ધર્મનો હોય, દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાનું પસંદ કરે છે. ઘણા લોકો સારું જીવન આપવા બદલ ભગવાનનો આભાર માનવા માટે આ દિવસે મંદિર કે ચર્ચમાં પણ જાય છે. કેટલીકવાર લોકો કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે તેમના જન્મદિવસની તારીખ પસંદ કરે છે.

કેક કાપવાની પ્રથા ભારતના હિંદુ ઘરોમાં શરૂ થઈ હશે, પરંતુ તે પહેલા જન્મદિવસના દિવસે શરૂઆત તેને પહેલા કંકુ ચોખા લગાવીને કરવામાં આવે છે. મંદિર હોય, ઘર કે રેસ્ટોરન્ટ હોય તો પણ બરાબર છે પણ શું તમે ક્યારેય તમારો જન્મદિવસ સ્મશાનગૃહમાં ઉજવવાનું વિચાર્યું છે? આનો જવાબ ઘણા લોકો 'ના' જ આપશે, કોઈ પોતાના જન્મદિવસ પર આવા અશુભ સ્થાને જાય? પરંતુ મહારાષ્ટ્રના થાણેમાં એક વ્યક્તિએ આવું જ કંઈક કર્યું છે.

બર્થ-ડેના દિવસે માણસ પોતાને કોઈ રાજકુમારથી ઓછો નથી સમજતો. કહેવાનો અર્થ એ છે કે જન્મદિવસના દિવસે વ્યક્તિ પોતાને જ સર્વસ્વ માને છે. મહારાષ્ટ્રના થાણેમાં રહેતા એક વ્યક્તિએ પોતાના જન્મદિવસે અજાયબી કરી બતાવી. વ્યક્તિએ પોતાની બર્થડે પાર્ટી એક અનોખી જગ્યાએ રાખી હતી. લોકો રેસ્ટોરન્ટમાં પાર્ટી આપે છે. ઘણા લોકો મોટી હોટેલ બુક કરાવે છે. કેટલાક લોકો મેટ્રો કોચ બુક કરાવીને પાર્ટી કરવા બદલ જેલ પણ જાય છે. કેટલાક લોકો મંદિરમાં પણ જાય છે. પરંતુ આ વ્યક્તિએ જન્મદિવસની પાર્ટી સ્મશાનભૂમિમાં રાખી હતી.

થાણેના કલ્યાણ શહેરમાં રહેતા ગૌતમ રતન મોરેએ તેમના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે પાર્ટીનું આયોજન સ્મશાનગૃહમાં કર્યું હતું. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, મોરેએ 19 નવેમ્બરે મોહને સ્મશાનભૂમિમાં તેમના જન્મદિવસની પાર્ટી આપી હતી. સ્મશાન ખાતે જ જન્મદિવસની કેક કાપવામાં આવી હતી. આ સિવાય બિરયાની પણ મેનુમાં સામેલ હતી. ખાસ વાત એ છે કે બર્થડે પાર્ટીમાં બહુ મોટો મેળાવડો થયો હતો. આ મેળાવડામાં 100થી વધુ લોકો હતા. ઘણા લોકો તો તેમના પરિવાર સાથે પણ હાજર રહ્યા હતા.

સૂત્રોના અહેવાલ મુજબ, મોરેએ જણાવ્યું કે 40 મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ મહેમાનો તેમની જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા. મોરેએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તેમને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા સિંધુતાઈ સપકાલ અને જાણીતા રેશનાલિસ્ટ સ્વર્ગસ્થ નરેન્દ્ર દાભોળકર પાસેથી પ્રેરણા મળી હતી. આ લોકોએ કાળા જાદુ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

મોરેએ કહ્યું કે, લોકોને સંદેશ આપવા માટે તેણે આવું કર્યું છે. મોરેએ કહ્યું કે, સ્મશાનગૃહ અને આવી કોઈ પણ જગ્યાઓ પર ભૂત નથી હોતા. મોરેની બર્થડે પાર્ટી ત્યારે ચર્ચામાં આવી જ્યારે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જન્મદિવસ માટે એક બેનર ખાસ છાપવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ કેક કાપવા માટે બેકગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.