પિતાની સરકાર દીકરા પાસે વસૂલશે 21 કરોડ રૂપિયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી પેઢીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સરકારે પેઢીને 21 કરોડ રૂપિયાની બાકી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ મામલો પુણેમાં થયેલા વિવાદાસ્પદ જમીન ડીલ સાથે જોડાયેલો છે. મહારાષ્ટ્ર સ્ટેમ્પ રજિસ્ટ્રેશન વિભાગે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને અંતિમ આદેશ જાહેર કર્યો છે, જેમાં પાર્થ પવાર ભાગીદાર હોવાનું કહેવામાં આવે છે. વિભાગે પેઢીને 1.47 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

પુણેના મુંઢવામાં સરકારી જમીનના વિવાદિત વેચાણ સાથે સંબંધિત 500 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી સવાલોના ઘેરામાં છે. પેઢીએ મુક્તિ મેળવવા માટે વિગતવાર જવાબ રજૂ કર્યો હતો, પરંતુ વિભાગે તેને નામંજૂર કરી દીધો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવાર 11 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે પેઢીએ સંપૂર્ણ બાકી રકમ ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે બાકી રકમ ઉપરાંત, રજીસ્ટ્રેશનની તારીખથી 1% દંડ પણ ભરવો પડશે. વિવાદિત જમીન માટે વેચાણ દસ્તાવેજ મે 2025માં થયા હતા. એટલે કે પેઢીએ 21 લાખ રૂપિયે દર મહિનાના હિસાબે 7 મહિના સુધીનો દંડ થશે., જે 1.47 કરોડ રૂપિયા થાય છે. પેઢીએ 60 દિવસની અંદર પૂરી રકમ ચૂકવવાની રહેશે. પેઢી અથવાતો રકમ ચૂકવી શકે છે અથવા ચીફ કંટ્રોલિંગ રેવન્યૂ ઓથોરિટી (CCRA) પાસે આદેશ વિરુદ્ધ અપીલ કરી શકે છે.

parth-pawar2
hindustantimes.com

વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેડિયાએ 21 કરોડ રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ચાર્જને ખોટો ગણાવ્યો હતો. દિગ્વિજય પાટિલ અને પાર્થ પવાર પેઢીમાં ભાગીદાર છે. ગુરુવારે, પેઢીએ વિભાગને જણાવ્યું હતું કે તેઓ 21 કરોડ રૂપિયાની છૂટ મેળવવાના હકદાર છે તેના માટે તેમણે 20-મુદ્દાની પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. જોકે, મહારાષ્ટ્ર સરકારના નોંધણી વિભાગે પેઢીને કોઈ રાહત આપી નહોતી.

ગુરુવારે, વિભાગે પેઢીના વકીલોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ અંતિમ સુનાવણી છે અને તેમને ફરીથી બોલાવવામાં નહીં આવે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તેમણે અમારા આદેશમાં આપેલા સમયમર્યાદામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ફક્ત સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ સાથે સંબંધિત છે. તો બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્ર જમીન વેચાણ દસ્તાવેજ રદ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મે મહિનામાં થયેલા એક જમીન ડીલમાં 300 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાં ફક્ત 500 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી.

brothers
gujaratsamachar.com

આ ડીલ માટે અંદાજિત સ્ટેમ્પ ડ્યૂટી 21 કરોડ હતી. પુણે ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી સેન્ટરના જનરલ મેનેજરના લેટર ઓફ ઇંતેન્તના આધારે આ કથિત છૂટ આપવામાં આવી હતી. સરકારે સેલ ડિડ રજીસ્ટર કરનાર મામલતદાર સૂર્યકાંત યેવાલે અને સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં પોલીસે તારુની ધરપકડ કરી હતી.

મુંઢવા વિસ્તારમાં 40 એકર જમીન કથિત રીતે અમેડિયા એન્ટરપ્રાઇઝિસ LLPને વેચવામાં આવી હતી. જમીનનું બજાર મૂલ્ય લગભગ 1,800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો, પરંતુ તે ખૂબ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. એવો આરોપ છે કે 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરવામાં આવી હતી. પાછળથી એવું બહાર આવ્યું કે જમીન મહારાષ્ટ્ર સરકારની હતી, જેને વેંચી શકાતી નહોતી.

About The Author

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.