રાજસ્થાની વ્યક્તિને થતી હતી લોહીની ઉલટી, ડૉક્ટરોએ પેટમાંથી કાઢી 56 રેઝર બ્લેડ

રાજસ્થાનના સાંચોરના દાતા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડોક્ટરોએ એક માણસના પેટમાંથી 56 રેઝર બ્લેડ કાઢી નાખી છે. 25 વર્ષીય યશપાલ સિંહને લોહીની ઉલટી થઈ રહી હતી, જેના પછી તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ એક્સ-રેમાં યશપાલના પેટમાં મેટલની હાજરી જોવા મળી હતી અને ત્યાર પછી સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી કરાવી હતી તેમાં પેટમાં બ્લેડ હોવાનું જણાયું હતું.

ડૉક્ટરોએ ઓપરેશન કરીને તેના પેટમાંથી 56 બ્લેડ કાઢી નાખી. વ્યક્તિએ રેઝર બ્લેડ શા માટે ખાધી તેનું કારણ આપવામાં આવ્યું નથી. વ્યક્તિ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તે તેના ચાર મિત્રો સાથે રહેતો હતો. જ્યારે તેને લોહીની ઉલ્ટી થવાની શરૂ થઇ ત્યારે તે ઘરે એકલો હતો. તેની તબિયત વધારે બગડતાં તેના મિત્રોને આ વાતની જાણ કરવામાં આવી હતી.

સાંચોરની ખાનગી હોસ્પિટલમાં પહોંચીને ડૉ.નરસીરામ દેવસીએ એક્સ-રે કરાવ્યો. તેના પેટમાં ધાતુની હાજરી જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ સમજવા માટે ડૉક્ટરે સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી કરાવી. પરીક્ષણો સ્પષ્ટપણે દર્શાવે છે કે, વ્યક્તિના પેટમાં મેટલ બ્લેડ હતા. એના પછી તરત જ, તાત્કાલિક સર્જરી કરવામાં આવી અને તેના પેટમાંથી 56 બ્લેડ ઓપરેશન કરીને કાઢવામાં આવી હતી.

ડોક્ટરે જણાવ્યું કે વ્યક્તિની હાલત સ્થિર છે. તબીબોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ કાગળના કવર સાથે ઢાંકેલી બ્લેડ ખાધી હતી. કાગળને કારણે તે સમયે તેને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ કાગળ પેટની અંદર ઓગળતા જ તેની તબિયત બગડવા લાગી હતી.

ત્યાર પછી ગેસ બનવા લાગ્યો અને વ્યક્તિને ઉલ્ટી થવાનું શરૂ થયું હતું. ડૉક્ટરે કહ્યું કે, દર્દીએ બ્લેડ ખાધા પહેલા તેના બે ટુકડા કરી નાખ્યા હતા. વ્યક્તિના સંબંધીઓએ કહ્યું કે, તેઓ પણ નથી જાણતા કે તેણે આવું કેમ કર્યું.

અહીં હજુ પણ બ્લેડ ખાવાના મામલે અસમંજસ પ્રવર્તી રહી છે. યુવકના પરિવારજનો પણ આ હકીકતથી અજાણ છે. જ્યારે, યુવાન તરફથી હજી સુધી આ વિશે કંઇ કહેવામાં આવ્યું નથી. તબીબોના જણાવ્યા અનુસાર યુવકે બ્લેડના લગભગ 3 થી 4 પેકેટ ખાઈ લીધા હતા, જેના કારણે અંદર ઘણું નુકસાન થયું હતું અને તેના કારણે તેને લોહીની ઉલ્ટી થવા લાગી હતી, જેની સારવાર કરવામાં આવી છે. તબીબો ડિપ્રેશનને પણ એક કારણ માની રહ્યા છે. હાલમાં યુવકની હાલત સારી છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.