એન્જિનિયર યુવરાજના નિધન પછી ચૂંટણી પંચ કમિશનર જ્ઞાનેશ કુમારના દીકરી DM મેધા રૂપમ કેમ વિવાદમાં છે?

નોઇડાના સેક્ટર 150માં એક નિર્માણાધીન મોલના ભોંયરામાં કાર ડૂબી જવાથી મૃત્યુ પામેલા 27 વર્ષીય એન્જિનિયર યુવરાજ મહેતાના દુ:ખદ અવસાને સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટના પછી, યોગી સરકારે નોઇડાના ઓથોરિટીના CEO M. લોકેશને દૂર કર્યા. જોકે, હવે, જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના પ્રભારી DM મેધા રૂપમ પર આંગળી ચીંધાઈ રહી છે. જ્યારે પત્રકારોએ નોઇડાના જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમને પ્રશ્ન કર્યો, ત્યારે તેઓ કેમેરાથી બચતા રહેતા દેખાયા હતા. તેમણે પત્રકારોના કેમેરા જોઈને પોતાની કારની બારીનો કાચ ઉપર કરી દીધો. તો, અમે તમને જણાવી દઈએ કે, મેધા રૂપમ કોણ છે અને તેમની આટલી ચર્ચા કેમ થઈ રહી છે.

IAS-Megha-Rupam3
uptak.in

મેધા રૂપમ ગૌતમ બુદ્ધ નગરના પ્રથમ મહિલા જિલ્લા મેજિસ્ટ્રેટ છે. તે 2014 બેચના IAS અધિકારી છે. તેમણે UPSC પરીક્ષામાં 10મું સ્થાન મેળવ્યું હતું. તેમના પિતા, જ્ઞાનેશ કુમાર, નિવૃત્ત IAS અધિકારી છે અને હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવનાર મેધાએ ઉત્તર પ્રદેશના બરેલી, મેરઠ, હાપુર અને કાસગંજ જેવા જિલ્લાઓમાં સેવા આપી છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના રાઇફલ શૂટર છે અને કેરળ રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. મેધાના પતિ મનીષ બંસલ પણ 2014 બેચના અધિકારી છે અને હાલમાં સહારનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ છે.

Trump-Greenland-U-Turn1
financialexpress.com

ગૌતમ બુદ્ધ નગરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સીધા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ આવે છે. આપત્તિ વ્યવસ્થાપન યોજનાના પાના 8માં સ્પષ્ટપણે જણાવાયું છે કે, DM પ્રતિભાવ અધિકારી તરીકે સેવા આપે છે. અકસ્માતની રાત્રે યુવરાજ મહેતા બે કલાક સુધી મદદ માટે બુમ પાડતો રહ્યો હતો. બચાવ ટીમ સમયસર કેમ ન પહોંચી? નબળી દૃશ્યતાનો ઉલ્લેખ કરીને ટીમ કેમ પાછળ હટી ગઈ? આ બધા માટે DM જવાબદાર છે.

Trump-Greenland-U-Turn4
thepavlovictoday.com

સપ્ટેમ્બર 2024માં, મેધા રૂપમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ ટ્રેક્ટર પર બેસીને પાણી ભરાઈ ગયેલા સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારપછી લોકોએ તેમને 'એક્શન-ઓરિએન્ટેડ DM' કહ્યા હતા. પરંતુ યુવરાજ મહેતા કેસમાં, મંગળવારે જ્યારે SIT ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ, જિલ્લા મેજિસ્ટ્રેટ પત્રકારોના સવાલોને ટાળતા દેખાયા. પત્રકારોના કેમેરા જોઈને તેમણે પોતાની કારની બારીનો કાચ ઉપર કરી દીધો હતો. સોસાયટીના રહેવાસીઓ કહે છે કે, સમગ્ર આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી, અને 90 કલાક પછી કારની રિકવરી વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે.

IAS-Megha-Rupam2
theindiadaily.com

CM યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી ત્રણ સભ્યોની SIT હવે આ કેસની તપાસ કરી રહી છે. મંગળવારે સવારે, ટીમે પહેલા નોઇડા ઓથોરિટી સાથે બેઠક કરી અને પછી સ્થળનું નિરીક્ષણ કર્યું. હવે એ જોવાનું બાકી છે કે, શું આ તપાસ, અધિકારીઓના ટ્રાન્સફર સુધી મર્યાદિત રહેશે કે સલામતીના ધોરણોને અવગણનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.