અતીક-અશરફની હત્યાના કેસમાં પોલીસ ચાર્જશીટમાં થયા આ ખુલાસા, ન સોપારી કિલિંગ, ન...

માફિયા ડૉન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની એપ્રિલમાં પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહમદ અને અશરફ પ્રયાગરાજમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા ઉમેશપાલ હત્યાકાંડના આરોપી હતા. પોલીસે અતીક અહમદ અને અશરફની હત્યાના કેસમાં ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી દીધી. પોલીસે પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે અતીક-અશરફની હત્યામાં સુપારી કિલિંગ અને મોટા ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસે પોતાની ચાર્જશીટમાં ઘટનાસ્થળ પરથી ધરપકડ કરાયેલા અરુણ મૌર્ય, સની અને લવલેશ તિવારીને જ આરોપી બતાવ્યા છે. SIT તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર કોર્ટે ધ્યાનમાં લઈને પ્રતાપગઢ જેલમાં બંધ 3 આરોપીઓને શુક્રવારે સમન્સ પાઠવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ધોળાદિવસે ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. ઉમેશ પાલની પત્નીની ફરિયાદ પર પોલીસે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ, તેના પુત્ર અસદ સહિત 9 લોકોને આરોપી બનાવ્યા હતા.

પોલીસ પૂછપરછ માટે સાબરમતી જેલમાં બંધ અતીક અને બરેલીમાં બંધ અશરફને પ્રયાગરાજ લઈ ગઈ હતી. ત્યાં 15 એપ્રિલની રાત્રે પોલીસ અતીક અને અશરફને મેડિકલ માટે હૉસ્પિટલ લઈ જઈ રહી હતી. હૉસ્પિટલ બહાર અરુણ મૌર્ય, સની અને લવલેશ પત્રકાર બનીને પહોંચ્યા અને જેવા જ અતીક અને અશરફે મીડિયા સાથે વાત કરવાની શરૂઆત કરી, ત્રણેયએ જોરદાર ફાયરિંગ કરી દીધી. આ દરમિયાન 18 રાઉન્ડ ગોળીઓ ચાલી, જેમાં 8 ગોળી અતીક અહમદને લાગી. બંનેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.

અતીક-અશરફની હત્યાના કેસમાં પોલીસે 2,056 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. તેમાંથી 2,000 પેજમાં પોલીસની કેસ ડાયરી, નકસો નજરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ચલણ, ફોટો પરીક્ષણ રિપોર્ટ, સાક્ષીઓના નિવેદન, CCTV ફૂટેજના વિવરણ વગેરે સામેલ છે. ચાર્જશીટ 56 પેજમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 307, 34, 120 (B), 419, 420, 467, 468, 471 અને આર્મ્સ એક્ટની કલમ 3, 7, 25, 27 અને ક્રિમિનલ લૉ અમેડમેન્ટ એક્ટની કલમ 7 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

ચાર્જશીટ મુજબ, પોલીસને અતીક-અશરફની હત્યામાં કોઈ પ્રકારની સુપારી કિલિંગ, કોઈ મોટું ષડયંત્ર કે અન્ય માસ્ટરમાઈન્ડના ઇશારા પર હત્યા કરવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે ત્રણેય આરોપી, સંબંધીઓ અને મિત્રોના નિવેદનોને પણ પોતાની તપાસનો હિસ્સો બનાવ્યા છે. તેના આધાર પર પોલીસે શૂટરોની પ્રવૃત્તિને આક્રમક અને જલદી નામ કમાવાના ઉદ્દેશ્યવાળી બતાવી. પોલીસે ત્રણેય શૂટરોમાં સની સિંહને ગુનાહિત પ્રવૃત્તિનો બતાવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો કે ત્રણેય શૂટર તો 13 એપ્રિલના રોજ જ અતીક અને અશરફની હત્યા કરવા માગતા હતા.

ત્રણેય કોર્ટ પણ પહોંચ્યા હતા, પરંતુ વકીલોની ભીડ અને ભારે પોલીસ બંદોબસ્ત જોઈને ઘટનાને અંજામ ન આપી શક્યા. CCTV ફૂટેજના આધાર પર પોલીસે દાવો કર્યો કે, 15 એપ્રિલના રોજ સૌથી પહેલા શૂટર લવલેશ તિવારી કૉલ્વિન હૉસ્પિટલ પહોંચ્યો હતો. તેના 12 મિનિટ બાદ સની સિંહ અને અરુણ મૌર્ય ત્યાં પહોંચ્યા. અતીક અને અશરફના પહોંચવા પર લવલેશ તિવારીએ વીડિયો પણ બનાવ્યો. એટલું જ નહીં સની સિંહ અને અરુણ મૌર્યએ બાકી મીડિયાકર્મીઓ સાથે ઊભા રહીને હળવા-મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

લવલેશ વીડિયો બનાવરો કૉલ્વિન હૉસ્પિટલમાં મીડિયાકર્મી તરીકે ઘૂસ્યો હતો. જેવા જ અતીક અહમદ અને અશરફ હૉસ્પિટલના ગેટની અંદર પહોંચ્યા સની સિંહ અને લવલેશ તિવારીએ પોતાની જિગાના બંદૂકથી ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી, જ્યારે અરુણ મૌર્યની બંદૂકથી માત્ર 2 ફાયર થઈ અને બંદૂક ફસાઈ ગઈ. પોલીસે પોતાની ચાર્જશીટમાં શૂટર સની સિંહને જ આ હત્યાકાંડનો અસલી માસ્ટરમાઈન્ડ બતાવ્યો છે.

સની સિંહે જ અતીક અને અશરફની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો અને તેના માટે ત્રણેય ચિત્રકૂટના નકલી એડ્રેસ પર ત્રણેયના આધાર કાર્ડ બનાવડાવ્યા હતા. જો કે, પોલીસે પોતાની તપાસમાં એ સ્પષ્ટ ન કરી શકી કે ત્રણેય શૂટરોના આધાર કોની મદદથી બનાવવામાં આવ્યા હતા. તો પોલીસનું કહેવું છે કે, સની દિલ્હીની કુખ્યાત ગોગી ગેંગના સંપર્કમાં હતો. આ જ ગોગી ગેંગ દ્વારા સનીને જિગાના બંદૂક મળી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.