પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખવા 1.5 લાખની સુપારી આપી, કારણ હતું બાળપણનો પ્રેમ

બિહારના સુપૌલ જિલ્લામાં પોલીસે એક હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે જેમાં એક પત્નીએ તેના બાળપણના પ્રેમી સાથે મળીને પોતાના ગલ્લા વ્યવવસાયી પતિનું કાસળ કાઢી નાખવા માટે ખતરનાક કાવતરું ઘડ્યું હતું. પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં વપરાયેલા હથિયારો અને પૈસા જપ્ત કર્યા છે.

આ ઘટના ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશુઆ વોર્ડ-10માં બની હતી, જ્યાં ગત 26 નવેમ્બરની સાંજે ગુનેગારોએ ગલલના વ્યવસાયી શશિરંજન જાયસ્વાલ પર 4 ગોળીઓ ચલાવી હતી. શરૂઆતમાં પોલીસે તેને એક સામાન્ય ગુનાહિત ઘટના તરીકે ગણી હતી, પરંતુ તપાસમાં કેસની દિશા બદલાઈ ગઈ.

lover
hindi.news18.com

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શશિરંજનની પત્ની સોની કુમારી, લગ્ન પહેલા પણ તેના બાળપણના પ્રેમી બ્રજેશ કુમાર સાથે પ્રેમમાં હતી, અને આ સંબંધ અકબંધ રહ્યો. ધીમે-ધીમે આ સંબંધ ખતરનાક વળાંક પર પહોંચી ગયો. તેના પતિને ખતમ કરવા માટે બંનેએ શશિ રંજનની હત્યાનું કાવતરું ઘડ્યું.

બ્રજેશે તેના બે ગુનેગાર મિત્રો, મધેપુરાનો સુધાંશુ કુમાર અને રૂપેશ કુમારનો સંપર્ક કર્યો. હત્યા માટે 1.5 લાખ રૂપિયામાં સુપારી આપી દેવાઈ, જેમાંથી બ્રજેશે ગુનેગારોને 1 લાખ રૂપિયા અગાઉથી આપ્યા હતા. ચારેયે સાથે મળીને શશિરંજનના ઘર અને દુકાનની રેકી કરી અને હથિયારો ખરીદ્યા.

26 નવેમ્બરની સાંજે લગભગ 7:50 વાગ્યે રૂપેશ અને સુધાંશુ બ્લૂ રંગની અપાચે બાઇક (BR 43 AF 5894) પર મહેશુઆ તળાવ પાસે પહોંચ્યા. શશિરંજન જાયસ્વાલ બજારમાંથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાહ જોઈ રહેલા સુધાંશુએ તેના પર 4 ગોળીઓ ચલાવી. ગુનેગારોએ પોતાનું કાર્ય પૂર્ણ કરી લીધું હોવાનું માનીને, તળાવ પાસે વાંસની ઝાડીઓમાં હથિયારો છુપાવીને ફરાર થઈ ગયા.

lover
zeenews.india.com

SP શરથ આર.એસ.ની સૂચના પર, SDPO વિભાસ કુમારના નેતૃત્વમાં રચાયેલી એક સ્પેશિયલ ટીમે પહેલા ટેક્નિકલ પુરાવાના આધારે બ્રજેશની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન બ્રજેશે સમગ્ર રહસ્ય ખોલી દીધું, ત્યારબાદ પોલીસે સુધાંશુ અને રૂપેશની પણ ધરપકડ કરી. આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે ઘટનામાં વપરાયેલી પિસ્તોલ, એક દેશી બનાવટની પિસ્તોલ, 5 જીવતા કારતૂસ, એક અપાચે બાઇક, 5 મોબાઇલ ફોન અને સુપારીના પૈસામાંથી બચેલા 62,000 રૂપિયા જપ્ત કર્યા. પોલીસે પત્ની સોની કુમારી, પ્રેમી બ્રજેશ કુમાર અને બંને શૂટર સુધાંશુ અને રૂપેશની ધરપકડ કરી છે. અનાજના વેપારી શશિ રંજન જાયસ્વાલની સારવાર ચાલી રહી છે અને તે હવે જોખમથી બહાર છે.

About The Author

Top News

તિરુપતી બાલાજી મંદિરમાં સેવા સાડીનું મોટું કૌભાંડ, સુરતનુ કનેકશન છે

આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતી બાલાજી મંદિરમાં લાડુમાં ખરાબ ઘીના કૌભાંડ પછી હવે બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તિરુપતી સેવા સાડીમં...
National 
તિરુપતી બાલાજી મંદિરમાં સેવા સાડીનું મોટું કૌભાંડ, સુરતનુ કનેકશન છે

ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા. તેમનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ ફિક્સ થઈ ગયું હતું....
Sports 
ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.