પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખવા 1.5 લાખની સુપારી આપી, કારણ હતું બાળપણનો પ્રેમ

બિહારના સુપૌલ જિલ્લામાં પોલીસે એક હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે જેમાં એક પત્નીએ તેના બાળપણના પ્રેમી સાથે મળીને પોતાના ગલ્લા વ્યવવસાયી પતિનું કાસળ કાઢી નાખવા માટે ખતરનાક કાવતરું ઘડ્યું હતું. પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં વપરાયેલા હથિયારો અને પૈસા જપ્ત કર્યા છે.

આ ઘટના ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશુઆ વોર્ડ-10માં બની હતી, જ્યાં ગત 26 નવેમ્બરની સાંજે ગુનેગારોએ ગલલના વ્યવસાયી શશિરંજન જાયસ્વાલ પર 4 ગોળીઓ ચલાવી હતી. શરૂઆતમાં પોલીસે તેને એક સામાન્ય ગુનાહિત ઘટના તરીકે ગણી હતી, પરંતુ તપાસમાં કેસની દિશા બદલાઈ ગઈ.

lover
hindi.news18.com

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શશિરંજનની પત્ની સોની કુમારી, લગ્ન પહેલા પણ તેના બાળપણના પ્રેમી બ્રજેશ કુમાર સાથે પ્રેમમાં હતી, અને આ સંબંધ અકબંધ રહ્યો. ધીમે-ધીમે આ સંબંધ ખતરનાક વળાંક પર પહોંચી ગયો. તેના પતિને ખતમ કરવા માટે બંનેએ શશિ રંજનની હત્યાનું કાવતરું ઘડ્યું.

બ્રજેશે તેના બે ગુનેગાર મિત્રો, મધેપુરાનો સુધાંશુ કુમાર અને રૂપેશ કુમારનો સંપર્ક કર્યો. હત્યા માટે 1.5 લાખ રૂપિયામાં સુપારી આપી દેવાઈ, જેમાંથી બ્રજેશે ગુનેગારોને 1 લાખ રૂપિયા અગાઉથી આપ્યા હતા. ચારેયે સાથે મળીને શશિરંજનના ઘર અને દુકાનની રેકી કરી અને હથિયારો ખરીદ્યા.

26 નવેમ્બરની સાંજે લગભગ 7:50 વાગ્યે રૂપેશ અને સુધાંશુ બ્લૂ રંગની અપાચે બાઇક (BR 43 AF 5894) પર મહેશુઆ તળાવ પાસે પહોંચ્યા. શશિરંજન જાયસ્વાલ બજારમાંથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાહ જોઈ રહેલા સુધાંશુએ તેના પર 4 ગોળીઓ ચલાવી. ગુનેગારોએ પોતાનું કાર્ય પૂર્ણ કરી લીધું હોવાનું માનીને, તળાવ પાસે વાંસની ઝાડીઓમાં હથિયારો છુપાવીને ફરાર થઈ ગયા.

lover
zeenews.india.com

SP શરથ આર.એસ.ની સૂચના પર, SDPO વિભાસ કુમારના નેતૃત્વમાં રચાયેલી એક સ્પેશિયલ ટીમે પહેલા ટેક્નિકલ પુરાવાના આધારે બ્રજેશની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન બ્રજેશે સમગ્ર રહસ્ય ખોલી દીધું, ત્યારબાદ પોલીસે સુધાંશુ અને રૂપેશની પણ ધરપકડ કરી. આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે ઘટનામાં વપરાયેલી પિસ્તોલ, એક દેશી બનાવટની પિસ્તોલ, 5 જીવતા કારતૂસ, એક અપાચે બાઇક, 5 મોબાઇલ ફોન અને સુપારીના પૈસામાંથી બચેલા 62,000 રૂપિયા જપ્ત કર્યા. પોલીસે પત્ની સોની કુમારી, પ્રેમી બ્રજેશ કુમાર અને બંને શૂટર સુધાંશુ અને રૂપેશની ધરપકડ કરી છે. અનાજના વેપારી શશિ રંજન જાયસ્વાલની સારવાર ચાલી રહી છે અને તે હવે જોખમથી બહાર છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.