પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખવા 1.5 લાખની સુપારી આપી, કારણ હતું બાળપણનો પ્રેમ

બિહારના સુપૌલ જિલ્લામાં પોલીસે એક હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે જેમાં એક પત્નીએ તેના બાળપણના પ્રેમી સાથે મળીને પોતાના ગલ્લા વ્યવવસાયી પતિનું કાસળ કાઢી નાખવા માટે ખતરનાક કાવતરું ઘડ્યું હતું. પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં વપરાયેલા હથિયારો અને પૈસા જપ્ત કર્યા છે.

આ ઘટના ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશુઆ વોર્ડ-10માં બની હતી, જ્યાં ગત 26 નવેમ્બરની સાંજે ગુનેગારોએ ગલલના વ્યવસાયી શશિરંજન જાયસ્વાલ પર 4 ગોળીઓ ચલાવી હતી. શરૂઆતમાં પોલીસે તેને એક સામાન્ય ગુનાહિત ઘટના તરીકે ગણી હતી, પરંતુ તપાસમાં કેસની દિશા બદલાઈ ગઈ.

lover
hindi.news18.com

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શશિરંજનની પત્ની સોની કુમારી, લગ્ન પહેલા પણ તેના બાળપણના પ્રેમી બ્રજેશ કુમાર સાથે પ્રેમમાં હતી, અને આ સંબંધ અકબંધ રહ્યો. ધીમે-ધીમે આ સંબંધ ખતરનાક વળાંક પર પહોંચી ગયો. તેના પતિને ખતમ કરવા માટે બંનેએ શશિ રંજનની હત્યાનું કાવતરું ઘડ્યું.

બ્રજેશે તેના બે ગુનેગાર મિત્રો, મધેપુરાનો સુધાંશુ કુમાર અને રૂપેશ કુમારનો સંપર્ક કર્યો. હત્યા માટે 1.5 લાખ રૂપિયામાં સુપારી આપી દેવાઈ, જેમાંથી બ્રજેશે ગુનેગારોને 1 લાખ રૂપિયા અગાઉથી આપ્યા હતા. ચારેયે સાથે મળીને શશિરંજનના ઘર અને દુકાનની રેકી કરી અને હથિયારો ખરીદ્યા.

26 નવેમ્બરની સાંજે લગભગ 7:50 વાગ્યે રૂપેશ અને સુધાંશુ બ્લૂ રંગની અપાચે બાઇક (BR 43 AF 5894) પર મહેશુઆ તળાવ પાસે પહોંચ્યા. શશિરંજન જાયસ્વાલ બજારમાંથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાહ જોઈ રહેલા સુધાંશુએ તેના પર 4 ગોળીઓ ચલાવી. ગુનેગારોએ પોતાનું કાર્ય પૂર્ણ કરી લીધું હોવાનું માનીને, તળાવ પાસે વાંસની ઝાડીઓમાં હથિયારો છુપાવીને ફરાર થઈ ગયા.

lover
zeenews.india.com

SP શરથ આર.એસ.ની સૂચના પર, SDPO વિભાસ કુમારના નેતૃત્વમાં રચાયેલી એક સ્પેશિયલ ટીમે પહેલા ટેક્નિકલ પુરાવાના આધારે બ્રજેશની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન બ્રજેશે સમગ્ર રહસ્ય ખોલી દીધું, ત્યારબાદ પોલીસે સુધાંશુ અને રૂપેશની પણ ધરપકડ કરી. આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે ઘટનામાં વપરાયેલી પિસ્તોલ, એક દેશી બનાવટની પિસ્તોલ, 5 જીવતા કારતૂસ, એક અપાચે બાઇક, 5 મોબાઇલ ફોન અને સુપારીના પૈસામાંથી બચેલા 62,000 રૂપિયા જપ્ત કર્યા. પોલીસે પત્ની સોની કુમારી, પ્રેમી બ્રજેશ કુમાર અને બંને શૂટર સુધાંશુ અને રૂપેશની ધરપકડ કરી છે. અનાજના વેપારી શશિ રંજન જાયસ્વાલની સારવાર ચાલી રહી છે અને તે હવે જોખમથી બહાર છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.