અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો આ તારીખથી કરી શકશે રામલલાના દર્શન

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલુ છે, 22 તારીખે રામલલા વિરાજમાન થવાના છે. ભક્તો રામલલાના દર્શન કરવા આતૂર છે, પરંતુ PM મોદીએ પણ અપીલ કરી છે કે 22 તારીખે જેમને નિમંત્રણ નથી મળ્યું, તેઓ અયોધ્યા આવે નહીં. પરંતુ ભક્તોને સવાલ હતો કે તેઓ ક્યારે રામલલાના દર્શન કરી શકશે, જેના વિશે મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે માહિતી આપી દીધી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિર સામાન્ય જનતા માટે 23 જાન્યુઆરીથી ખૂલશે. 23 જાન્યુઆરીથી જે પણ લોકો આવશે, તેઓ ભગવાન રામના દર્શન કરી શકશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે, મંદિર બનવું આનંદની વાત છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ધ્યાન રાખવું પડશે કે જે સંઘર્ષને કારણે આ સપનું પૂરું થઈ રહ્યું છે, તે સંઘર્ષ ભવિષ્યમાં પણ ચાલુ રહેવો જોઈએ, જેથી લક્ષ્ય મળી જાય.

અયોધ્યામાં જયારે રામ મંદિરના નિર્માણની શરૂઆતનો તબક્કો હતો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સપનેય ખ્યાલ નહોતો કે દેશના લોકો આટલા મોટા દાનની સરવાણી વહાવી દેશે. લોકો પાસેથી ફંડ મેળવીને મંદિર બનાવવાનું નક્કી થયું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવો અંદાજ રાખ્યો હતો કે, દેશના 11 કરોડ લોકો પાસેથી લગભગ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ શકશે, પરંતુ ટ્રસ્ટના અંદાજ કરતા 4 ગણી વધારે રકમ ભેગી થઇ ગઇ. લોકોએ 3200 કરોડ રૂપિયાનું દાન આપી દીધું હતું.

ટ્રસ્ટે આ દાનની રકમને બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં મુકી દીધી હતી અને એના વ્યાજમાંથીજ રામ મંદિરનો પહેલો માળ બની ગયો હતો.

ટ્રસ્ટે કહ્યું છે કે  રામ મંદિરનું સંપૂર્ણ કામ લગભગ 2026-27માં પુરુ થશે અને બાકીની રકમ મંદિરના પરિસરમાં હોસ્પિટલ, વિશ્રામ ગૃહ, ભોજન શાળા, ગૌશાળા વગેરે માટે વપરાશે.

About The Author

Related Posts

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.