અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો આ તારીખથી કરી શકશે રામલલાના દર્શન

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલુ છે, 22 તારીખે રામલલા વિરાજમાન થવાના છે. ભક્તો રામલલાના દર્શન કરવા આતૂર છે, પરંતુ PM મોદીએ પણ અપીલ કરી છે કે 22 તારીખે જેમને નિમંત્રણ નથી મળ્યું, તેઓ અયોધ્યા આવે નહીં. પરંતુ ભક્તોને સવાલ હતો કે તેઓ ક્યારે રામલલાના દર્શન કરી શકશે, જેના વિશે મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે માહિતી આપી દીધી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિર સામાન્ય જનતા માટે 23 જાન્યુઆરીથી ખૂલશે. 23 જાન્યુઆરીથી જે પણ લોકો આવશે, તેઓ ભગવાન રામના દર્શન કરી શકશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે, મંદિર બનવું આનંદની વાત છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ધ્યાન રાખવું પડશે કે જે સંઘર્ષને કારણે આ સપનું પૂરું થઈ રહ્યું છે, તે સંઘર્ષ ભવિષ્યમાં પણ ચાલુ રહેવો જોઈએ, જેથી લક્ષ્ય મળી જાય.

અયોધ્યામાં જયારે રામ મંદિરના નિર્માણની શરૂઆતનો તબક્કો હતો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સપનેય ખ્યાલ નહોતો કે દેશના લોકો આટલા મોટા દાનની સરવાણી વહાવી દેશે. લોકો પાસેથી ફંડ મેળવીને મંદિર બનાવવાનું નક્કી થયું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવો અંદાજ રાખ્યો હતો કે, દેશના 11 કરોડ લોકો પાસેથી લગભગ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ શકશે, પરંતુ ટ્રસ્ટના અંદાજ કરતા 4 ગણી વધારે રકમ ભેગી થઇ ગઇ. લોકોએ 3200 કરોડ રૂપિયાનું દાન આપી દીધું હતું.

ટ્રસ્ટે આ દાનની રકમને બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં મુકી દીધી હતી અને એના વ્યાજમાંથીજ રામ મંદિરનો પહેલો માળ બની ગયો હતો.

ટ્રસ્ટે કહ્યું છે કે  રામ મંદિરનું સંપૂર્ણ કામ લગભગ 2026-27માં પુરુ થશે અને બાકીની રકમ મંદિરના પરિસરમાં હોસ્પિટલ, વિશ્રામ ગૃહ, ભોજન શાળા, ગૌશાળા વગેરે માટે વપરાશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.