અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો આ તારીખથી કરી શકશે રામલલાના દર્શન

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલુ છે, 22 તારીખે રામલલા વિરાજમાન થવાના છે. ભક્તો રામલલાના દર્શન કરવા આતૂર છે, પરંતુ PM મોદીએ પણ અપીલ કરી છે કે 22 તારીખે જેમને નિમંત્રણ નથી મળ્યું, તેઓ અયોધ્યા આવે નહીં. પરંતુ ભક્તોને સવાલ હતો કે તેઓ ક્યારે રામલલાના દર્શન કરી શકશે, જેના વિશે મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે માહિતી આપી દીધી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિર સામાન્ય જનતા માટે 23 જાન્યુઆરીથી ખૂલશે. 23 જાન્યુઆરીથી જે પણ લોકો આવશે, તેઓ ભગવાન રામના દર્શન કરી શકશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે, મંદિર બનવું આનંદની વાત છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ધ્યાન રાખવું પડશે કે જે સંઘર્ષને કારણે આ સપનું પૂરું થઈ રહ્યું છે, તે સંઘર્ષ ભવિષ્યમાં પણ ચાલુ રહેવો જોઈએ, જેથી લક્ષ્ય મળી જાય.

અયોધ્યામાં જયારે રામ મંદિરના નિર્માણની શરૂઆતનો તબક્કો હતો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સપનેય ખ્યાલ નહોતો કે દેશના લોકો આટલા મોટા દાનની સરવાણી વહાવી દેશે. લોકો પાસેથી ફંડ મેળવીને મંદિર બનાવવાનું નક્કી થયું હતું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવો અંદાજ રાખ્યો હતો કે, દેશના 11 કરોડ લોકો પાસેથી લગભગ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ શકશે, પરંતુ ટ્રસ્ટના અંદાજ કરતા 4 ગણી વધારે રકમ ભેગી થઇ ગઇ. લોકોએ 3200 કરોડ રૂપિયાનું દાન આપી દીધું હતું.

ટ્રસ્ટે આ દાનની રકમને બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં મુકી દીધી હતી અને એના વ્યાજમાંથીજ રામ મંદિરનો પહેલો માળ બની ગયો હતો.

ટ્રસ્ટે કહ્યું છે કે  રામ મંદિરનું સંપૂર્ણ કામ લગભગ 2026-27માં પુરુ થશે અને બાકીની રકમ મંદિરના પરિસરમાં હોસ્પિટલ, વિશ્રામ ગૃહ, ભોજન શાળા, ગૌશાળા વગેરે માટે વપરાશે.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.