જો તમે આ માછલી ખાતા હોવ તો થઈ જજો સાવધાન, નહીં તો ગુમાવવો પડી શકે છે જીવ

માછલી ઘણા બધા લોકોનો મનપસંદ માંસાહારી ખોરાક છે, અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ આ ફાયદાને વ્યવસાય બનાવી લીધો છે અને તેઓ થોડાં પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે લોકોને વિદેશી માંગુર માછલી ખાવાથી સાવધાન કર્યા છે કારણ કે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મત્સ્ય વિભાગે આફ્રિકી અને વિદેશી માંગુર (થાઈ માંગુર) માછલીને લઈને લોકોમાં જાગ્રુતતા લાવવા માટે ફીસ માર્કેટમાં પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટમાં લોકોને આ માછલીઓ ન ખાવાની અપીલ કરવા સાથે તેનાથી થતી બીમારીઓ વિશે જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે અત્યારસુધીમાં 28 ટન વિદેશી માંગુર માછલીને જપ્ત કરી છે અને તેને દફનાવી દીધી છે. સાથે જ મુંબઈના ભિવંડી બજારમાંથી માત્ર 15 ટન માંગુર માછલી પકડીને તેને મારી નાંખવામાં આવી છે. ઈંદાપુર અને ભંડારામાં પણ 8 ટન અને 7 ટન આ પ્રજાતિની માછલીઓને જપ્ત કરીને તેને મારી નાંખી છે. પોલીસે આ મામલામાં 5 લોકો વિરુદ્ધ FIR પણ નોંધી છે.

મહારાષ્ટ્ર સરકારે આવનારા 10 દિવસોમાં આખા રાજ્યમાંથી આ માછલીના ભંડારને નષ્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને એ સ્પષ્ટ કરી દીધુ છે કે, જે પણ આ માછલીનું પાલન કરતા કે વેચતા પકડાશે તો તેની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ માછલી પ્રકૃતિની સાથે જ માણસો માટે પણ નુકસાનકારક છે. આ માછલીને ખાવાથી કેન્સર, ડાયાબિટીસ જેવી ઘાતક બીમારીઓ થઈ શકે છે. દેશી માંગુર પાલન, વેચવા અને ખાવા પર કોઈ પ્રતિબંધ મહારાષ્ટ્ર અથવા દેશના કોઈપણ રાજ્યમાં નથી. કેરળ સરકારે પહેલીવાર 1998માં આફ્રિકન માંગુર પર પ્રતિબંધ લગાવ્યો હતો.

NGTએ સરકારને આ માછલી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2000માં ભારત સરકારે NGTના આદેશ પર અમલ કરતા તેના પાલન અને વેચાણ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.