BBC ઈન્ડિયા પર EDએ 3.44 કરોડ રૂપિયાનો દંડ કેમ ફટકારી દીધો?

તપાસ એજન્સી EDBBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા (BBC WS India) ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) નિયમોના કથિત ઉલ્લંઘન બદલ સંસ્થા પર 3 કરોડ 44 લાખ 48 હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ બ્રિટિશ બ્રોડકાસ્ટર્સ વિરુદ્વ એક આદેશ જાહેર કરતા તેના 3 ડિરેક્ટરો પર 1.14 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો.

BBC1

FEMA કાયદા હેઠળના વિભિન્ન ઉલ્લંઘનો માટે 4 ઑગસ્ટ, 2023ના રોજ, BBC WS India, તેના 3 ડિરેક્ટરો અને ફાઇનાન્સ ચીફને કારણ બતાવો નોટિસ જાહેર કર્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, BBC WS India, જે 100 ટકા FDI ધરાવતી કંપની છે, તે ડિજિટલ મીડિયાના માધ્યમથી સમાચારો અને વર્તમાન બાબતોને અપલોડ/સ્ટ્રીમ કરવાનું કામ કરે છે, પરંતુ તેણે પોતાની FDI ઘટાડીને 26 ટકા કરી નથી, પરંતુ તેને 100 ટકા જ રાખી છે, જે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.

BBC

અધિકારીઓએ જણાવ્યું કે BBC WS Indiaને કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 15 ઓક્ટોબર 2021 થી નિયમોનું પાલન કરવાની તારીખ સુધી રોજ 5,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. BBCના 3 ડિરેક્ટર્સ- જાઈલ્સ એન્ટોની હંટ, ઈન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબન્સ પર ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીની કામગીરીની દેખરેખમાં તેમની ભૂમિકા બદલ 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ...
Business 
ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.