નવપરિણીત દંપતિ કારમાં કરી રહ્યું હતું કિસ, ટોલ પ્લાઝાના મેનેજરે બનાવી લીધો વીડિયો

સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તૈનાત એન્ટી-ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS)ના મેનેજરે જે કરતૂત કરી, તેણે સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. જે કેમેરાઓનું કામ મુસાફરોની સુરક્ષા, ટ્રાફિક દેખરેખ અને અકસ્માત નિવારણ સુનિશ્ચિત કરવા માટે હોય છે, તે જ કેમેરાઓથી હવે કારની અંદરની ક્ષણોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે થઈ રહ્યો છે. ત્યારબાદ આ વીડિયો સાથે સંબંધિત વ્યક્તિને બ્લેકમેલિંગ પણ કરવામાં આવી રહી છે. આવી જ એક ઘટનાનો ખુલાસો થતા જ આરોપીને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસવે ટોલ પ્લાઝા પર એક એન્ટી-ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સિસ્ટમ સમગ્ર એક્સપ્રેસવે પર લાગેલા હાઇ-રિઝોલ્યૂશન CCTV કેમેરા દ્વારા વાહનની ગતિવિધિ પર નજર રાખે છે. તેનો મુખ્ય હેતુ અકસ્માતો, ઓવરસ્પિડિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર તાત્કાલિક નિયંત્રણ ટીમને ચેતવણી આપવાનો છે. જો કે, આ સિસ્ટમના મેનેજર આશુતોષ સરકારે પોતાની જવાબદારીઓને અવગણીને તેને વ્યક્તિગત આવકના સ્ત્રોતમાં ફેરવી દીધી.

asutosh-sarkar1
aajtak.in

ફરિયાદીઓના જણાવ્યા મુજબ, આશુતોષ લાંબા સમયથી એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહનોની ખાનગી ગતિવિધિઓ પ્રેમ સંબંધો અને કાર રેકોર્ડિંગના વીડિયોનો દુરુપયોગ કરી રહ્યો હતો. એવો પણ આરોપ છે કે તે એક્સપ્રેસ વેની નજીકના ગામડાઓની મહિલાઓના વીડિયો પણ કેપ્ચર કરતો હતો, જેમાં મહિલાઓ શૌચ કરતી હોય અથવા અન્ય ખાનગી ગતિવિધિઓના વીડિયોનો પણ સમાવેશ થાય છે અને પછી તેને વાયરલ કરતો હતો. એટલે કે જે કેમેરા સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા અને ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવવા માટે થઈ રહ્યો હતો.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કારની અંદર બેઠેલા એક યુગલનો ઇન્ટિમેટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. તપાસમાં જાણવા મળ્યું કે આ ફૂટેજ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લાગેલા એક સત્તાવાર કેમેરાનો છે. આ ખુલાસાએ મુસાફરોની ગોપનીયતા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. વીડિયો વાયરલ થયા બાદ, પીડિતોએ મુખ્યમંત્રીને પ્રાર્થનાપત્ર મોકલીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી. ફરિયાદ પત્ર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો, જેથી આ મુદ્દાને વધુ વેગ મળ્યો.

ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે મેનેજર આશુતોષ સરકાર માત્રન માત્ર વીડિયો બનાવીને છોડતો નહોતો, પરંતુ પીડિતોનો સંપર્ક કરીને તેમની ખાનગી ગતિવિધિઓના વીડિયો બતાવ્યા હતા અને મોટી રકમની માંગણી કરી હતી. ઘણા કિસ્સાઓમાં આ વસૂલી કર્યા બાદ વીડિયો વાયરલ પણ કરતો હતો. લોકો ડર, શરમ અને સામાજિક કલંકને કારણે ચૂપચાપ પૈસા ચૂકવતા હતા, પરંતુ આ મામલો ધીમે-ધીમે સામે આવ્યો. કેટલાક ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે તે નજીકના ગામડાઓમાં મહિલાઓને બહાર જાય ત્યારે પણ વીડિયો રેકોર્ડિંગ કાઢીને તેમને મોકલતો હતો, તેમને ધમકી આપતો હતો. આ ઘૃણાસ્પદ ઉપયોગથી માત્ર સિસ્ટમની વિશ્વસનીયતા જ નહીં પરંતુ લોકોની મૂળભૂત ગોપનીયતા પણ ગંભીર રીતે જોખમમાં મુકાઈ હતી.

Pune-Hostel--Pregnancy-Test2
statemirror.com

ATMS પર 3 કર્મચારીઓ કાર્યરત રહે છે, જેમને અકસ્માતો અટકાવવા, મોનિટરિંગ કરવા અને ચેતવણીઓ આપવા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, મેનેજરે પોતાની જવાબદારીઓ ઓળંગીને સમગ્ર સિસ્ટમની બદનામી કરી. વિભાગનું કહેવું છે કે, CCTV ફૂટેજ સુધી મર્યાદિત અને ફાયરવોલથી સંરક્ષિત ઍક્સેસની સુરક્ષામાં ક્યાં ખામી થઈ છે, તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

આરોપી મેનેજર આશુતોષ સરકાર પૂર્વાંચલ એક્સપ્રેસવેના પેકેજ-3 પર આઉટસોર્સિંગ કંપની, સુપર વેવ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર પદ પર તૈનાત હતો. કંપની NHAI હેઠળ કાર્ય કરી રહી છે અને તેને મોનિટરિંગ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જોકે, આ મામલો વિભાગ સુધી પહોંચતા જ, કંપનીએ તાત્કાલિક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરી દીધી. મેનેજમેન્ટે સ્પષ્ટ કહ્યું કે, મુસાફરોની ગોપનીયતાનું ઉલ્લંઘન અને સિસ્ટમનો દુરુપયોગ કરવો અસહ્ય છે.

મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદ મોકલવામાં આવ્યા બાદ આ મામલાએ જોર પકડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે. એ વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, સિસ્ટમ સુધી વ્યક્તિગત એક્સેસ કેવી રીતે મળ્યું અને શું તેમાં કોઈ અન્યની સંડોવણી છે?

About The Author

Top News

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

ધોરણ 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર છપાયેલા QR કોડે સોશિયલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો...
Education 
ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

પાકિસ્તાનમાં તેલનું ભયાનક સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે ઓફિસો

આર્થિક કંગાળીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે 'તેલ સંકટ' (Oil Crisis) ના વાદળો ઘેરાયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા...
World 
પાકિસ્તાનમાં તેલનું ભયાનક સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે ઓફિસો

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.