- National
- વરરાજાએ સુહાગરાતે સ્પર્શ કર્યો તો દુલ્હને મારી દીધી છરી, પછી પ્રેમી કાકા સાથે ફરાર થઈ ગઈ
વરરાજાએ સુહાગરાતે સ્પર્શ કર્યો તો દુલ્હને મારી દીધી છરી, પછી પ્રેમી કાકા સાથે ફરાર થઈ ગઈ
ઉત્તર પ્રદેશના હાથરસથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુહાગરાતે દુલ્હને વરરાજા પર છરીથી હુમલો કરી દીધો, જેથી તેને ઇજા પહોંચી હતી. ત્યારબાદ દુલ્હન પ્રેમી કાકા સાથે ભાગી ગઈ. સૌથી મોટી વાત એ છે કે દુલ્હન ઘરથી દાગીના અને રોકડ રકમ પણ લઈ ગઈ. આ સમગ્ર મામલો નાગલા બસ્તીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એવું કહેવાય છે કે દુલ્હનનું તેના કાકા સાથે અફેર હતું. પરંતુ 21 ફેબ્રુઆરીએ લગ્ન બાદ 22 ફેબ્રુઆરીએ તે સાસરિયાના ઘરે પહોંચી હતી. સુહાગરાત પર વરરાજાને સ્પર્શ કરવા પણ ન દીધો. જ્યારે વરરાજાએ તેને સ્પર્શ કર્યો, ત્યારે તેણે તેના પર છરીથી હુમલો કરી દીધો અને પછી તેના કાકા સાથે ભાગી ગઈ. હાલમાં પીડિતની ફરિયાદ બાદ, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
પીડિત વરરાજાએ જણાવ્યું કે, ‘હું 22 તારીખે, સુહાગરાતના દિવસે રાત્રે 9:00 વાગ્યે તેની પાસે ગયો. ત્યારબાદ મેં તેને સ્પર્શ કર્યો, પરંતુ તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે, ‘મારાથી દૂર રહેજે. હું મરી જઈશ અથવા મારી નાખીશ.’ પછી તેણે છરી કાઢી અને મારા હાથ પર ઘા કર્યો, જેનાથી મારો હાથ થોડો કપાઈ ગયો. આ ઘટના બાદ મેં સવારે તેના પરિવારજનોને ફોન કર્યો.
ફોન કરતા તેના કાકા-કાકી અને માતા આવ્યા. બધા સમજાવી રહ્યા હતા કે નવા-નવા લગ્ન કર્યા છે તો આવું થાય છે. પછી તેઓ બધા ચાલ્યા ગયા. ત્યારબાદ હું રાત્રે આ ડરથી તેનાથી અલગ ખાટલા પર સૂઈ ગયો. લગ્નના ત્રીજા દિવસે તે ઘરેથી ભાગી ગઈ. તે પોતાની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીના પણ લઈ ગઈ. જ્યારે તે ઘરથી ભાગી ગઈ, ત્યારે તેણે પરિવારના ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો, જેના કારણે હું અને બીજા બધા બેભાન થઈ ગયા.
જ્યારે પરિવાર સવારે ઉઠ્યો, ત્યારે તે ન મળી. આ દરમિયાન આખા ઘરમાં તેની શોધખોળ કરવામાં આવી અને તેના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોઈ માહિતી ન મળી. આ દરમિયાન, જાણકારી સામે આવી કે તે તેના કાકા સાથે ભાગી ગઈ છે. કારણ કે તેના કાકા સાથે જ તેનું અફેર ચાલી રહ્યું હતું.

