કોણ છે ગાલિબફ? જેને અમેરિકા અસલી સુપ્રીમ લીડર બનાવવા માંગે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે સસ્પેન્સ યથાવત છે. એક તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વાટાઘાટો શરૂ થઈ ગઈ છે; બીજી તરફ ઈરાનનું કહેવું છે કે, તેણે અમેરિકા સાથે કોઈ વાત કરી નથી. આ દરમિયાન, યુદ્ધવિરામને લઈને અમેરિકના એક પ્લાનનો ખુલાસો થયો છે. અમેરિકા ઇરાનના એક કટ્ટરપંથીને પોતાના પક્ષમાં કરવા માંગે છે, જે આગામી સમયમાં તેના માટે કામ કરે. તેના માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ આ અધિકારીને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અધિકારીનું નામ છે મોહમ્મદ બી. ગાલિબફ છે.

અમેરિકન મીડિયા આઉટલેટ એક્સિયોસએ વ્હાઇટ હાઉસના સૂત્રોના સંદર્ભે જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગાલિબફને વિશ્વાસમાં લઈ રહ્યું છે. વહીવટીતંત્રને લાગે છે કે, ગાલિબફ દ્વારા ઈરાનમાં તેના હિતોને આગળ વધારી શકાય છે. ગાલિબફ સાથે વાતચીત કરવા માટે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના ઉપરાષ્ટ્રપતિ, જે.ડી. વાન્સને મોકલવા માટે પણ તૈયાર છે.

MB-Ghalibaf2
en.puic.org

કોણ છે બી. ગાલિબફ?

ગાલિબફને ઈરાનમાં કટ્ટરપંથી નેતા માનવામાં આવે છે. હાલમાં, તેઓ ઈરાની સંસદના સ્પીકર છે. તેમને અગાઉ ઈરાનના બીજા સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઇના નજીકના વિશ્વાસુ માનવામાં આવતા હતા. ગાલિબફે તેમની કારકિર્દીની શરૂઆત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના એક જવાનના રૂપમાં કરી હતી. બાદમાં તેમને કોર્પ્સમાં જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લશ્કર છોડ્યા બાદ, ગાલિબફને તેહરાનના મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગાલિબફે બે વાર ઈરાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી છે. તેઓ પહેલી વાર 2013માં રાષ્ટ્રપતિની રેસમાં મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ હસન રૂહાનીએ તેમને હરાવી દીધા હતા. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ગાલિબફ ફરી એકવાર મસૂદ પેઝેશ્કિયાન સામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

MB-Ghalibaf1
ndtv.com

અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ગાલિબફ હાલમાં એકમાત્ર નેતા છે જે મોજતબા ખામેનેઇના નિર્ણય લેવામાં દખલઅંદાજી કરી શકે છે. ખામેનેઇ તેમના નિર્ણય માની શકે છે. આ જ કારણ છે કે અમેરિકા ગાલિબફ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકન વહીવટીતંત્ર આગામી સર્વોચ્ચ નેતા તરીકે ગાલિબફને પસંદ કરે છે. તેમની ઇચ્છા છે કે ગાલિબફને મોજતબાના સ્થાને સર્વોચ્ચ નેતાના પદ પર નિયુક્ત કરવામાં આવે. સોમવારે (23 માર્ચ) પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે ઈરાનના સર્વોચ્ચ નેતા સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રિત કરીશું.

MB-Ghalibaf1
ndtv.com

જ્યારે આ બાબતે વધુ સવાલ કરવામાં આવ્યા, ત્યારે ટ્રમ્પે ટિપ્પણી કરી કે, ‘હું વધુ કંઈ કહીશ નહીં, કારણ કે તેમનો જીવ લઈ શકાય છે.

જોકે, અમેરિકન મીડિયામાં ટ્રમ્પ વહીવટીતંત્રના ગાલિબફ સાથે વાત કરવાના સમાચાર અમેરિકન મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયા, ત્યારે ગાલિબફ પોતે સોશિયલ મીડિયા પર સામે આવ્યા. તેમણે એક પોસ્ટ દ્વારા કોઈની સાથે કોઈ વાત ન થઈ હોવાની દાવો કર્યો.

About The Author

Related Posts

Top News

યુદ્ધને કારણે ઘર બનાવવું હવે મુશ્કેલ બન્યું છે, અચાનક જ સળિયા અને સિમેન્ટના ભાવ વધી ગયા

ઘરનું બાંધકામ કરવું હવે સરળ અને સસ્તું કામ રહ્યું નથી, તે આજે સૌથી મોંઘા સાહસોમાંનું એક બની ગયું છે....
Business 
યુદ્ધને કારણે ઘર બનાવવું હવે મુશ્કેલ બન્યું છે, અચાનક જ સળિયા અને સિમેન્ટના ભાવ વધી ગયા

કોણ છે ગાલિબફ? જેને અમેરિકા અસલી સુપ્રીમ લીડર બનાવવા માંગે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે સસ્પેન્સ યથાવત છે. એક તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે...
World 
કોણ છે ગાલિબફ? જેને અમેરિકા અસલી સુપ્રીમ લીડર બનાવવા માંગે છે

2 પત્ની-18 બાળકોનો પરિવાર છતાં ઘણી મહિલા સાથે સંબંધ, ગુલશનનું જીવન...

બે લગ્ન, 18 બાળકોનો મોટો પરિવાર... અને તે પછી પણ, અનેક મહિલાઓ સાથે સતત સંપર્ક. પ્રતાપગઢના ભૂતપૂર્વ મુખ્ય...
National 
2 પત્ની-18 બાળકોનો પરિવાર છતાં ઘણી મહિલા સાથે સંબંધ, ગુલશનનું જીવન...

અનુસૂચિત જાતિના દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મ અપનાવ્યો તો...

સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ફક્ત હિન્દુ, ...
National 
અનુસૂચિત જાતિના દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો, હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મ અપનાવ્યો તો...

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.