વેચવા માટે ખેતરમાંથી 400 Kg ટામેટા ઘરે લાવ્યો, સવારે બોક્સ ગાયબ, ફરિયાદ નોંધાવી

મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે 400 Kg ટામેટાની ચોરી થઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે, આ ચોરીને કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદી અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું કે, રવિવારે પોતાના ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ તે મજૂરોની મદદથી શિરુર તહસીલ સ્થિત પોતાના ઘરે લાવ્યો હતો. ધોમેએ જણાવ્યું કે, તે આ ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ તે પહેલાં જ કોઈ ટામેટાંના બોક્સ ચોરી કરીને લઇ ગયા હતા.

ટામેટાના ભાવ આ દિવસોમાં આસમાને છે. જેના કારણે ટામેટાના સમાચાર હેડલાઇન્સમાં ચમક્યા કરે છે. મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે ટામેટાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 400 Kg ટામેટાંની ચોરી અંગે ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરના સપ્તાહમાં દેશભરમાં ટામેટાંના ભાવમાં ભારે વધારો થયા બાદ સતત આવા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.

મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે ટામેટાંની ચોરીની ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું કે, આ ચોરીને કારણે તેને લગભગ 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદી અરુણ ધોમેએ પોલીસને જણાવ્યું કે, રવિવારે પોતાના ખેતરમાંથી ટામેટાં તોડ્યા બાદ તે મજૂરોની મદદથી શિરુર તહસીલ સ્થિત પોતાના ઘરે લાવ્યો હતો. ધોમેએ જણાવ્યું કે, તે આ ટામેટાંને બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો, તે પહેલાં જ કોઈ ટામેટાંના બોક્સ ચોરી કરીને લઇ ગયું હતું.

ખેડૂત અરુણ ધોમેએ જણાવ્યું કે, જ્યારે તેઓ સોમવારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે 400 Kg વજનના ટામેટાંના 20 બોક્સ ગાયબ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ધોમેએ શિરુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને ફરિયાદ નોંધાવી છે.' પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

પૂણેના અન્ય એક ખેડૂત તાજેતરમાં 3 કરોડ રૂપિયામાં ટામેટાંના 18,000 બોક્સ વેચીને ચર્ચામાં આવ્યા હતા. ઘણા રાજ્યોમાં ટામેટાં 100 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે ટામેટાંનો પાક લાખો રૂપિયાનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેમની સંભાળ રાખવી પણ ખેડૂતો માટે એક મોટો પડકાર બની રહ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.