શું સંચાર સાથી એપ મોબાઈલથી ડિલીટ કરી શકાશે? સરકારે કરી સ્પષ્ટતા

સંચાર સાથી (Sanchar Saathi) એપ અને ટેલિકોમ નિયમ '7B' ને લઈને ચાલી રહેલા વિવાદ અને અફવાઓ પર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે સંસદમાં અને જાહેર મંચ પર સ્પષ્ટ કહ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય માત્ર નાગરિકોની સુરક્ષા છે અને આ એપને લઈને ફેલાયેલી વાતો પાયાવિહોણી છે.

સિંધિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જાહેર ક્ષેત્રમાં જે અફવાઓ ચાલી રહી છે તેના પર ધ્યાન ન આપો. નિયમ 7B ક્યાંય એવું નથી કહેતો કે તમે (યુઝર) એપને અનઇન્સ્ટોલ (ડિલીટ) કરી શકતા નથી. સમસ્યા એ છે કે જ્યારે આપણે વિગતોમાં નથી જતા ત્યારે વાસ્તવિકતા ક્યાંક ખોવાઈ જાય છે."

https://twitter.com/ANI/status/1996126116927377898

 

નિયમ 7B કોના માટે છે?: સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, "7B નિયમ યુઝર્સ માટે નથી, તે મોબાઈલ ઉત્પાદકો (manufacturers) માટે છે. આ નિયમ મુજબ ઉત્પાદકોએ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે અને યુઝર તેને સરળતાથી એક્સેસ કરી શકે તેમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. પરંતુ ક્યાંય એવું લખ્યું નથી કે યુઝર આ એપને ડિલીટ ન કરી શકે."

નિયમનો ખોટો અર્થ: તેમણે કહ્યું કે 7B નિયમનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યો છે (misconstrued).

સરકારનો ઉદ્દેશ્ય: તેમણે સંસદમાં આપેલા નિવેદનનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, "અમારો એક જ ઉદ્દેશ્ય છે - સામાન્ય જનતાની સુરક્ષા. આપણે સામાન્ય લોકોને છેતરપિંડી (Fraud) નામના કેન્સરથી બચાવવાના છે. હવે આપણે નક્કી કરવું પડશે કે લોકોને આ ફ્રોડથી બચાવવા છે કે પછી આ ફ્રોડને ચાલવા દેવો છે."

02

નિયમોમાં ફેરફારની તૈયારી: અંતમાં તેમણે ખાતરી આપી કે સરકાર જનતાનો અવાજ સાંભળી રહી છે. "અમને જે ફીડબેક મળ્યો છે તેના આધારે અમે નિયમોમાં સુધારો કરવા માટે તૈયાર છીએ અને મેં સંસદમાં પણ આ વાત કહી છે. અમે કોઈ જીદ પકડીને બેઠા નથી (We are not adamant)."

વિપક્ષે શું ચિંતા વ્યક્ત કરી હતી?

પ્રશ્નકાળ દરમિયાન, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ગોપનીયતા (Privacy) અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, "સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન માટેનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. મંત્રીજી કહે છે કે યુઝર તેને ડિલીટ કરી શકે છે. પરંતુ જ્યારે કોઈ એપ પ્રી-લોડેડ (પહેલેથી જ ફોનમાં) હોય છે, ત્યારે તેને ડિસેબલ કર્યા પછી પણ યુઝર્સને ખબર નથી હોતી કે તેના તમામ ફીચર્સ બંધ થયા છે કે નહીં. શું આ પ્રાઈવસી પર હુમલો નથી? જાસૂસી અંગે ચિંતાઓ છે." 

કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાના પ્રશ્નનો જવાબ આપતા સિંધિયાએ કહ્યું:

  • સુરક્ષા પ્રાથમિકતા: "હું રાષ્ટ્રની સામે તમામ તથ્યો મૂકવા માંગુ છું. આપણી પાસે એક અબજ મોબાઈલ યુઝર્સ છે, પરંતુ કેટલાક તત્વો તેનો નકારાત્મક રીતે ઉપયોગ કરે છે. નાગરિકોને સુરક્ષિત રાખવાની સરકારની ફરજ છે. આ ઉદ્દેશ્ય સાથે 2023માં સંચાર સાથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું અને 2025માં એપ લાવવામાં આવી."

  • એપ કેવી રીતે કામ કરશે: "અમે નાગરિકોને પસંદગીનો અધિકાર આપ્યો છે. જો તમારા ફોનમાં એપ છે, તો તેનો અર્થ એ નથી કે તે આપમેળે કામ કરશે. જ્યાં સુધી યુઝર એપમાં રજીસ્ટ્રેશન ન કરે ત્યાં સુધી તે ઓપરેટ થશે નહીં."

  • જાસૂસીનો ઇનકાર: "જાસૂસી શક્ય નથી અને કરવામાં પણ આવશે નહીં. લોકશાહીમાં દરેક નાગરિકને અધિકાર છે, તેથી હું અન્ય કોઈ પણ એપની જેમ આ એપને પણ ડિલીટ કરી શકું છું."

  • નિયમોમાં ફેરફારની તૈયારી: મંત્રીએ ખાતરી આપી કે જો જનતાનો ફીડબેક એવો હશે તો સરકાર ટેલિકોમ વિભાગ (DoT) ના આદેશમાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે. એપની સફળતા જનભાગીદારી પર આધારિત છે.

 

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.