મનરેગાની જગ્યાએ VB-G RAM G યોજના લાગુ, કેન્દ્ર અને તમિલનાડુ સરકાર સામસામે, CM વિજયે PM મોદીને પત્ર લખ્યો

તમિલનાડુના CM વિજયે કેન્દ્ર સરકારની નવી યોજના, વિકાસ ભારત-ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) એક્ટ (VB-G RAM G) હેઠળ ભંડોળ વહેંચણી પેટર્નની ટીકા કરી છે. PM નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, CM વિજયે દાવો કર્યો છે કે, 1 જુલાઈ, 2026થી અમલમાં આવનારી આ નવી યોજનાને કારણે તમિલનાડુ સરકાર પર રૂ. 5,000 કરોડથી વધુનો વધારાનો નાણાકીય બોજ આવશે. તેમણે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર તેના ભંડોળ માળખામાં સુધારો કરે.

CM વિજયે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી અમલમાં રહેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)થી અચાનક VB-G RAM G તરફ ફેરવવું રાજ્યો માટે વ્યવહારુ નથી. નવો કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે 60:40 ખર્ચ ગુણોત્તર નક્કી કરે છે. CM વિજયે ચેતવણી આપી હતી કે, આ અચાનક નાણાકીય બોજ રાજ્યમાં ગ્રામીણ રોજગારના દિવસોમાં ઘટાડો કરશે અથવા અન્ય મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ પર અસર કરશે.

CM-Vijay-PM-Modi
instagram.com

CM વિજયે માંગ કરી હતી કે, કેન્દ્ર સરકાર વેતન અને વહીવટી ખર્ચ માટે 100 ટકા ભંડોળ પૂરું પાડવાનું ચાલુ રાખે, જ્યારે ભૌતિક ખર્ચ 75:25ના ગુણોત્તરમાં વહેંચવો જોઈએ.

CM વિજયે યોજનાના અમલીકરણમાં રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવાની ભલામણ કરી.

તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોનું વર્ગીકરણ અને ભંડોળ ફાળવવાની કેન્દ્રિય પદ્ધતિ 'માઈક્રો મેનેજમેન્ટ'નું એક સ્વરૂપ છે.

એક જ પ્રકારનું રાષ્ટ્રીય સ્તરનું સૂત્ર પ્રાદેશિક સામાજિક-આર્થિક ભિન્નતાને ધ્યાનમાં લેતું નથી, જે પાયાના સ્તરે અસંતુલન ઉભું કરી શકે છે. તેમણે માંગ કરી હતી કે, રાજ્યોને સ્થાનિક જરૂરિયાતોના આધારે ભંડોળ વિતરણની પોતાની પદ્ધતિ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવે.

CM-Vijay-PM-Modi1
primetvindia.com

નવા કાયદા હેઠળ, રાજ્યોને વાર્ષિક 60-દિવસનો એવો સમયગાળો જાહેર કરવાની જરૂર પડશે જ્યારે મુખ્ય વાવણી અને લણણીની ઋતુ દરમિયાન કામ સંપૂર્ણપણે બંધ થઈ જશે. CM વિજયે દલીલ કરી હતી કે, અલ નીનો જેવા આબોહવા પરિવર્તનને કારણે કૃષિ ચક્ર બદલાઈ જાય છે. તેથી, પહેલાથી આ સમયગાળો નક્કી કરવાને બદલે, જિલ્લા કલેક્ટરોને સ્થાનિક પરિસ્થિતિઓના આધારે આ 60 દિવસો જાહેર કરવાની સત્તા આપવી જોઈએ.

CM વિજયે કેન્દ્ર સરકારને 'દરેક માટે ઘર' ધ્યેયની સિદ્ધિને ઝડપી બનાવવા માટે, રાજ્ય-નિધિકૃત આવાસ યોજનાઓને કાયદા હેઠળ સમાવવા વિનંતી કરી. આ સાથે તેમણે આ યોજનામાંથી રાષ્ટ્રપિતાનું નામ દૂર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો, કહ્યું કે આમાં મહાત્મા ગાંધીનું નામ જળવાઈ રહેવું જોઈએ, જેથી કરીને તેમનું સમ્માન સચવાઈ રહે, અને લોકોનો ભરોસો કાયમ રહે.

About The Author

Related Posts

Top News

શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ

ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ચીને ચુપચાપ એક ખેલ કરી દીધો. બુધવારે, ...
World 
શી જિનપિંગે કર્યો મોટો ખેલ; ચીને ચુપચાપ 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરી દીધો, UN કરી રહ્યું છે વિરોધ

2-3 વર્ષના માસૂમ બાળકોને વોશિંગ મશીનમાં નાખી દીધા; 5 કર્મચારીઓ સામે FIR દાખલ થઈ

બેંગલુરુના બ્રુકફિલ્ડમાં સ્થિત IT જાયન્ટ કેપજેમિનીના HAL કેમ્પસમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેમ્પસ ડેકેર સેન્ટરમાં માત્ર 2 થી ...
National 
2-3 વર્ષના માસૂમ બાળકોને વોશિંગ મશીનમાં નાખી દીધા; 5 કર્મચારીઓ સામે FIR દાખલ થઈ

રાજકોટ: લિવ-ઇન પાર્ટનર નીકળ્યો પુરુષ, કાસળ કાઢી નાખ્યું

ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાની સાથે મહિલા બનીને પ્રેમ જાળમાં ફસાવનાર...
Gujarat 
રાજકોટ: લિવ-ઇન પાર્ટનર નીકળ્યો પુરુષ, કાસળ કાઢી નાખ્યું

'જો નેતાગીરી કરવી હોય તો નોકરી છોડી દો...' મંત્રીજીએ વીજળી વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં વીજળી ગુલ થવાના વિવાદ અને વિરોધ કરનારાઓ સામે કેસ દાખલ કરવાને લઈને વહીવટી અને રાજકીય વર્તુળોમાં તણાવ...
National 
'જો નેતાગીરી કરવી હોય તો નોકરી છોડી દો...' મંત્રીજીએ વીજળી વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.