બાગેશ્વર ધામમાં મંગળવાર-શનિવારે શાળાએ નથી જતા બાળકો, દુકાનોમાં કામ કરે છે

ગત દિવસોમાં પોતાની ચમત્કારી શક્તિઓના કારણે ચર્ચાઓમાં આવેલા બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે ગઢા ગામમાં દરબાર લગાવે છે ત્યાંની સરકારી શાળામાં ભણતા બાળકોનું શૈક્ષણિક સ્તર સતત ઘટતું જઇ રહ્યું છે. શનિવાર અને મંગળવારે શાળામાં ભણવા જનારા બાળકોની સંખ્યા ન બરાબર જ હોય છે. બાળકો શાળામાં બે દિવસે જતા નથી, તેને લઇને એક અખબારે શાળામાં પહોંચીને બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી.

ગઢા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા એક પરિસરમાં છે, જ્યાં ધોરણ 1 થી લઇને 8 સુધીના બાળકો ભણે છે. શાળામાં ભણતા બાળકોની સંખ્યા લગભગ 300 છે, પરંતુ મંગળવાર અને શનિવારે શાળાએ જનારા બાળકોની સંખ્યા લગભગ 30 ટકા જ રહે છે. જો કે, આ જાણકારી શાળામાં ભણાવનાર શિક્ષકો મુજબ છે. ગ્રામજનોનું કહેવું માનીએ તો મંગળવાર અને શનિવારે કોઇ પણ બાળક શાળાએ જતું નથી.

બાગેશ્વર ધામમાં મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્ત આવે છે. આવનારા ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે આ જ કારણ છે કે શાળામાં ભણતા ઘણા બાળકો મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામ અંદર દુકાન લગાવે છે અને થોડા પૈસા કમાય છે. ગઢા શાળામાં 8માં ધોરણમાં ભનારો હરિશંકર અનુરાગી કહે છે કે તે મંગળવાર અને શનિવારે શાળાએ આવતો નથી કેમ કે તે તે ધામની અંદર ધ્વજ વેચવાનું કામ કરે છે.

તો શાળામાં ભણતો વધુ એક વિદ્યાર્થી હર્ષ પાઠક માત્ર 11 વર્ષનો છે અને છઠ્ઠા ધોરણમાં ભણે છે. હર્ષ બાગેશ્વર ધામની અંદર નારિયેળ પ્રસાદની દુકાન લગાવે છે. હર્ષનું કહેવું છે કે તે પણ શનિવાર અને મંગળવારે 300 રૂપિયા કમાય છે. શાળામાં ભણતા કેટલાક બાળકોનું કહેવું છે કે મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામમાં ભીડ ખૂબ હોય છે આ કારણે તેમના માતા-પિતા તેમને શાળાએ મોકલતા નથી.

શાળાના શિક્ષક જ્વાલા પ્રસાદ શુક્લા કહે છે કે મંગળવાર અને શનિવારે લગભગ 70 ટકા બાળકો શાળાએ આવતા નથી, કેટલાક બાળકો ભીડના કારણે નથી આવતા તો કેટલાક બાળકો ધામમાં દુકાન લગાવે છે. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ચમત્કારવાળા દાવાઓ અને વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં છે. તેઓ માત્ર 26 વર્ષના છે અને તેમમાં લાખો ભક્ત છે. તેમની સામે મોટા-મોટા VIP, નેતા-મંત્રી પણ માથું ઝુકાવતા નજરે પડે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.