સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં ક્રિશ્ચિયન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળાની વિવિધ અનિયમિતતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત ક્ષતિઓ, વહીવટી માળખામાં પારદર્શિતાનો અભાવ, અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ સહિતની ગંભીર બાબતો ટાંકવામાં આવી હતી. ત્યારબાદ સરકારે પોતે સ્કૂલનો વહીવટ સંભાળવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિદ્યાર્થી અને વાલીઓ માટે પણ રાહત આપનારો છે.

Seventh-Day2
gujaratsamachar.com

DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે પછી આ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં. પરંતુ આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં. તેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.

Seventh-Day3
gujaratsamachar.com

હાલમાં આ શાળામાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. સરકારે સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે મહત્ત્વની અસર કરી શકે છે.

Seventh-Day4
gujaratsamachar.com

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને તેના જ જૂનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારી દીધા હતા અને ત્યારબાદ આ વિદ્યાર્થીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

Seventh-Day
deshgujarat.com

સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેણે બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી. જેના કારણે રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.