બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે શિક્ષણજગતને હચમચાવી દીધું છે, નડિયાદમાં એક લંપટ આચાર્યએ 2 બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી હતી. આ વાતથી આઘાતમાં સારી પડેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો.

teacher3
divyabhaskar.co.in

મળતી માહિતી મુજબ, નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના બે બાળકો અભ્યાસ કરતા હતાં. મહિલાએ બાળકોની સ્કૂલ બદલવાની હતી એટલે પીડિત મહિલાના સંતાનોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ  મેળવવા માટે તેણે નડિયાદની એક શાળામાં અરજી કરી હતી. આ કામ માટે ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને રૂબરૂ મળવા દબાણ કર્યું હતું અને અંતે અમદાવાદની એક હોટલમાં બોલાવી હતી. આચાર્યએ સત્તાનો દુરુપયોગ કરી બાળકનું ભવિષ્ય સુધારવાને બદલે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

teacher
divyabhaskar.co.in

આચાર્યના જણાવ્યા મુજબ, મહિલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રોયલ ઇન હોટલમાં પહોંચી હતી. હોટલના રૂમ નંબર 304માં આચાર્ય પહેલાંથી જ હાજર હતો. મહિલા જ્યારે હોટલના રૂમમાં પહોંચી તેની ગણતરીની મિનિટોમાં જ મહિલાના પરિવારના સભ્યો પણ હોટલના રૂમમાં પહોંચ્યા હતા. આ તમામ લોકોએ હોટલમાં હોબાળો કર્યો હતો. આચાર્ય પાસેથી હોટલ રૂમમાંથી જ LC બુક પણ મળી હતી. પરિવારે હોબાળો કરીને વીડિયો ઉતારતા આચાર્ય વીડિયોમાં પોતાનું મોઢું ઢાંકતો નજરે પડ્યો હતો.

teacher2
divyabhaskar.co.in

પીડિત મહિલાએ જણાવ્યું કે મારા બાળકોને સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં મૂકવા હતા એટલે મેં LC માગ્યું હતું. પ્રિન્સિપાલે મને કહ્યું કે મળી જશે, જે બાદમાં વોટ્સએપમાં ખોટા મેસેજ કર્યા હતા. મહિલાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે આચાર્ય તેને સતત પરેશાન કરી રહ્યો હતો.

આ સમગ્ર મામલે બજરંગ દળના કાર્યકરોને જાણ કરવામાં આવી હતી. કાર્યકરોએ વટવા GIDC વિસ્તારમાં આવેલી હોટલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં આચાર્ય પાસેથી સ્કૂલની સત્તાવાર LC બુકના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જે નિયમ વિરુદ્ધ શાળાની બહાર લાવવામાં આવ્યા હતા.

teacher1
divyabhaskar.co.in

આ સમગ્ર મામલે મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે. હાલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP...
Politics 
મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે શિક્ષણજગતને હચમચાવી દીધું છે, નડિયાદમાં એક લંપટ આચાર્યએ 2 બાળકોના લિવિંગ...
Gujarat 
બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પર નજર રાખવા માટે બિહારની રાજધાની પટનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા સતત કાર્યવાહી કરી રહ્યા છે....
National 
રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ...
Sports 
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.