ન્યાયની દેવીની પ્રતિમાને લઈ વિવાદ,પટ્ટી હટાવવાથી સુપ્રીમકોર્ટ બાર એસોસિએશન નારાજ

બાર એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં દાયકાઓ પછી બદલાયેલી ન્યાયની દેવીની પ્રતિમા મુકવામાં આવી રહી હોવા અંગે સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને જૂની પ્રતિમામાં ફેરફાર કર્યા પછી નવી પ્રતિમા સ્થાપિત કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. બાર એસોસિએશને એક ઠરાવ પસાર કર્યો હતો કે, આ ફેરફાર કરતા પહેલા અમારા સભ્યો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, અમારી પાસે કોઈ માહિતી નથી કે, કઈ વ્યાખ્યાના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં સ્થાપિત ન્યાયની દેવીની પ્રતિમામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમાં પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે અને એક હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર એ વાતનું પ્રતિક છે કે ભારતમાં કાયદો ન તો આંધળો છે કે ન તો દંડાત્મક છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એકપક્ષીય રીતે કેટલાક ખુબ જ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો દરમિયાન બાર એસોસિએશન સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો, જેમ કે અમે પણ ન્યાયના વહીવટમાં સમાન હિસ્સેદાર છીએ. કોર્ટ સમક્ષ અમારો પ્રશ્ન એ છે કે, જ્યારે આ ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી હતી, તો અમારી સાથે શા માટે ચર્ચા કરવામાં આવી ન હતી.

ન્યાયની દેવીની જૂની પ્રતિમામાં ત્રાજવું સંતુલન અને ન્યાયીપણું રજૂ કરે છે, જ્યારે તલવાર કાયદાની શક્તિનું પ્રતિનિધિત્વ કરતુ હતું. જો કે, નવી પ્રતિમા ભારતના વસાહતી વારસાને પાછળ છોડતી જોવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ આ ફેરફાર દર્શાવે છે કે, ભારતીય કાયદો આંધળો નથી. ન્યાયની દેવીની નવી પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં મૂકવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ જજોની લાઇબ્રેરીમાં પ્રસ્તાવિત મ્યુઝિયમ સામે વાંધો ઉઠાવ્યો છે. પસાર કરાયેલા ઠરાવમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એસોસિએશને તેના સભ્યોની જરૂરિયાતોને અનુરૂપ કાફે-કમ-લાઉન્જ માટે વિનંતી કરી હતી કારણ કે હાલનું કાફેટેરિયા તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અપૂરતું છે. બાર એસોસિએશન વતી એવું કહેવામાં આવ્યું હતું કે, અમે એ વાતથી ચિંતિત છીએ કે, ન્યાયાધીશોની લાઇબ્રેરીમાં મ્યુઝિયમ બનાવવા અંગે અમારો વાંધો હોવા છતાં પણ તેના પર કામ શરૂ થઈ ગયું છે, જ્યારે અમારા કાફેટેરિયા અંગે કોઈ સુનાવણી થઈ નથી.

About The Author

Top News

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

એક જ વ્યક્તિ, એક જ  માર્કશીટ, 2 જિલ્લા અને 2 સરકારી નોકરીઓ. જી હાં, ઉત્તર પ્રદેશના બારાબંકી...
National 
જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશન (MMCF) દ્વારા આપવામાં આવતા વાર્ષિક MMCF પુરસ્કારો, ભારતમાં એક પ્રતિષ્ઠિત પરંપરા છે જે સમાજ...
National 
MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.