બળદગાડી પર વરરાજો, ઊંટ અને ઘોડાઓ પર જાનૈયા, બિઝનેસમેનના દીકરાની નીકળી અનોખી જાન

લગ્નો દરમિયાન તમે ઘણી તસવીરો જોઈ હશે. કોઈમાં હેલિકોપ્ટરથી વરરજો, દુલ્હનને લેવા જાય છે, તો કોઈ લક્ઝરી ગાડીમાં દુલ્હનને લેવા લેવા જાય છે. હાલમાં જ એક એવા લગ્ન સામે આવ્યા છે જેમાં વરરાજા બળદગાડામાં બેસીને, જ્યારે જાનૈયા ઘોડાઓ અને ઊંટ પર બેસીને દુલ્હનને લેવા જાય છે. વરરજાનો પિતા પ્રહલાદ મીણા અમદાવાદમાં બિઝનેસ કરે છે. એવામાં દુલ્હનના પરિવારને આશા હતી કે વરરાજો મોટી મોટી ગાડીઓમાં આવશે.

રામગઢ પચવારા વિસ્તારના અમરાબાદના રહેવાસી ભામાશાહ પ્રહલાદ મીણાએ પોતાના દીકરા વિનોદની જાન બળદગાડાઓ, ઊંટ અને ઘોડાઓ પર કાઢી. હાલમાં તો ધામધૂમ બેંડવાજા કે ડી.જે. સાથે જાન નીકળે છે, જ્યારે અહીં ઓર્કેસ્ટ્રાની ચમક-ધમકથી દૂર પારંપરિક અંદાજમાં ઊંટ અને બળદગાડાઓ પર જાન કાઢવામાં આવી. જાન માટે ઊંટો અને ઘોડાઓને એ જ અંદાજમાં સજાવવામાં આવ્યા હતા.

એક સાથે સજેલી-ધજેલી 8 ઊંટ ગાડીઓ, 10 ઊંટ, 7 બળદગાડા, 10 ઘોડાઓ પર જાનૈયા બેઠા હતા. જાનૈયાનો ઉત્સાહ જોતા જ બનતો હતો. અનોખી જાનમાં સામેલ થયેલા જાનૈયાઓને ખૂબ આનંદ આવ્યો. તેઓ નાચતા-ગાતા જઈ રહ્યા હતા. જાન અમદાવાદથી રાયલમલપુરા પહોંચવામાં 3 કલાકનો સમાય લાગ્યો હતો. જાનૈયા તૈયાર થઈને ઊંટ ગાડીઓ, બળદગાડાઓ, ઊંટ અને ઘોડાઓ પર સવાર થઈને ગયા હતા.

આ લગ્ન બળદગાડાથી જ યાદગાર ન બન્યા, પરંતુ આ લગ્નઅને કરિયાવર મુક્ત પણ રાખવામાં આવ્યા હતા. એટલે વિનોદના પરિવારજનોએ માત્ર એક નારિયેળ અને એક રૂપિયો લીધો. બધા ઘરેણાં પણ પોતે જ લઈને પહોંચ્યા. વરરાજા વિનોદે જણાવ્યું કે, સમજમાં કરિયાવારની મોટી સમસ્યા છે, આ પરંપરાને તોડીને એક સારી શરૂઆત કરીશું. વરરાજાના પિતા પ્રહલાદ મીણાએ જણાવ્યું કે, જ્યારે અમે કન્યા પક્ષ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને ખેડૂતો વચ્ચે પશુઓનું મહત્ત્વ છે.

પહેલા બળદગાડાઓ પર જ જાન આવતી-જતી હતી. સમય સાથે હવે બધુ જ બદલાઈ ગયું. એટલે આ પરંપરાને યુવાઓમાં પરત લાવવા માટેની આ પહેલ છે. દુલ્હને કહ્યું કે, સાંભળતા હતા કે પહેલાના જમાનામાં જાન બળદગાડા પર આવતી હતી, આજે જ્યારે મારા લગ્નમાં જાનૈયા બળદગાડાથી આવ્યા તો અમને ખૂબ સારું લાગ્યું. દૂર દૂરથી લોકો જાનૈયાઓને જોવા માટે આવ્યા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.