બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની વૈભવી જીવનશૈલીને લઈને. બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે ડઝનો લક્ઝરી કાર અને ઘણા મોંઘા પ્રાણીઓ છે. આ વખતે બ્રૃજ ભૂષણ સિંહ પોતાના મોંઘા ઘોડાને લઈને ચર્ચામાં છે. આ કોઈ સામાન્ય ઘોડો નથી; તેની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પંજાબથી ગોંડામાં ઘોડો પહોંચતા જ તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. બ્રૃજ ભૂષણ સિંહે પોતે ઘોડાનું સ્વાગત કર્યું અને કહ્યું કે, ‘યાર, હું તો પાગલ થઈ જઈશ.

Brij-Bhushan-Sharan-Singh1
x.com/b_bhushansharan

બ્રૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહ હાલમાં કૈસરગંજથી લોકસભા સાંસદ છે. તેમના પિતાને ભેટમાં ઘોડો આપનાર કરણ ભૂષણ સિંહનો મિત્ર છે. કરણ કૈસરગંજ બેઠક પરથી ભાજપ સાંસદ છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, તેના નામ તેજવીર બરાડ, ગુરપ્રીત અને દીપક છે. ત્રણેય પંજાબમાં એક હોર્સ રેસિંગ એકેડમી સાથે જોડાયેલા છે. અહેવાલો અનુસાર, બ્રૃજ ભૂષણ શરણ સિંહનો 69મો જન્મદિવસ 8 જાન્યુઆરીએ છે. તેથી તેમના પુત્રના મિત્રોએ તેમને જન્મદિવસની ભેટ તરીકે ઘોડો મોકલ્યો છે.

ઘોડાને પંજાબથી ગોંડા સુધી એક મિની ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. બ્રૃજ ભૂષણ સિંહે હવે ઘોડાને તેમના તબેલાના સ્ટાફને સોંપી દીધો છે. કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ખાન-પાનમાં કોઈ કમી ન રહે. તેની નિયમિત ટ્રેનિંગ કરાવવામાં આવે અને તેના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવામાં આવે.  ઘોડા બાબતે માહિતી શેર કરતા બ્રૃજ ભૂષણ શરણ સિંહ કહે છે, ઘોડો માત્ર 2 વર્ષનો છે. આંતરરાષ્ટ્રીય રેસમાં દોડી ચૂક્યો છે અને એક સ્પર્ધામાં 17 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે. ઘોડાનો અલગથી પાસપોર્ટ બન્યો છે, જેથી તે વિદેશમાં સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકે છે.

horse
x.com/b_bhushansharan

તેમના પુત્રના મિત્રો તરફથી મળેલી આ ભેટ બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે પહેલું પ્રાણી નથી. તેમના તબેલામાં પહેલાથી જ ઘણા મોંઘા ઘોડા છે. આ મારવાડી ઘોડા છે, જેની કિંમત લાખો રૂપિયા છે. એકનું નામ બાદલ છે અને તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. બીજાનું નામ બુલેટ છે, અને તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. નવા ઘોડાના આગમન સાથે ઘોડાઓની સંખ્યા હવે 4 થઈ ગઈ છે.

આ ઉપરાંત, પૂર્વ સાંસદ પાસે 150થી વધુ ગાયો છે, જેમાંથી લગભગ 70 ગીર જાતિની છે. એક ગીર ગાયની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. લગભગ 5 વીઘા જમીન પર ફેલાયેલો તબેલો બ્રૃજ ભૂષણ શરણ સિંહના બંગલાની સામે જ આવેલો છે. જ્યારે તેઓ ગોંડામાં હોય છે, ત્યારે જીમ કર્યા બાદ સીધા તબેલા તરફ જાય છે. અહી ઉપસ્થિત બધા ઘોડાઓને ચણા વગેરે ખવડાવે છે. આ દરમિયાન તેઓ ઘણીવાર 2-4 રાઉન્ડની સવારી પણ કરે છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.