બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની વૈભવી જીવનશૈલીને લઈને. બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે ડઝનો લક્ઝરી કાર અને ઘણા મોંઘા પ્રાણીઓ છે. આ વખતે બ્રૃજ ભૂષણ સિંહ પોતાના મોંઘા ઘોડાને લઈને ચર્ચામાં છે. આ કોઈ સામાન્ય ઘોડો નથી; તેની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પંજાબથી ગોંડામાં ઘોડો પહોંચતા જ તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. બ્રૃજ ભૂષણ સિંહે પોતે ઘોડાનું સ્વાગત કર્યું અને કહ્યું કે, ‘યાર, હું તો પાગલ થઈ જઈશ.

Brij-Bhushan-Sharan-Singh1
x.com/b_bhushansharan

બ્રૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહ હાલમાં કૈસરગંજથી લોકસભા સાંસદ છે. તેમના પિતાને ભેટમાં ઘોડો આપનાર કરણ ભૂષણ સિંહનો મિત્ર છે. કરણ કૈસરગંજ બેઠક પરથી ભાજપ સાંસદ છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, તેના નામ તેજવીર બરાડ, ગુરપ્રીત અને દીપક છે. ત્રણેય પંજાબમાં એક હોર્સ રેસિંગ એકેડમી સાથે જોડાયેલા છે. અહેવાલો અનુસાર, બ્રૃજ ભૂષણ શરણ સિંહનો 69મો જન્મદિવસ 8 જાન્યુઆરીએ છે. તેથી તેમના પુત્રના મિત્રોએ તેમને જન્મદિવસની ભેટ તરીકે ઘોડો મોકલ્યો છે.

ઘોડાને પંજાબથી ગોંડા સુધી એક મિની ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. બ્રૃજ ભૂષણ સિંહે હવે ઘોડાને તેમના તબેલાના સ્ટાફને સોંપી દીધો છે. કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ખાન-પાનમાં કોઈ કમી ન રહે. તેની નિયમિત ટ્રેનિંગ કરાવવામાં આવે અને તેના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવામાં આવે.  ઘોડા બાબતે માહિતી શેર કરતા બ્રૃજ ભૂષણ શરણ સિંહ કહે છે, ઘોડો માત્ર 2 વર્ષનો છે. આંતરરાષ્ટ્રીય રેસમાં દોડી ચૂક્યો છે અને એક સ્પર્ધામાં 17 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે. ઘોડાનો અલગથી પાસપોર્ટ બન્યો છે, જેથી તે વિદેશમાં સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકે છે.

horse
x.com/b_bhushansharan

તેમના પુત્રના મિત્રો તરફથી મળેલી આ ભેટ બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે પહેલું પ્રાણી નથી. તેમના તબેલામાં પહેલાથી જ ઘણા મોંઘા ઘોડા છે. આ મારવાડી ઘોડા છે, જેની કિંમત લાખો રૂપિયા છે. એકનું નામ બાદલ છે અને તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. બીજાનું નામ બુલેટ છે, અને તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. નવા ઘોડાના આગમન સાથે ઘોડાઓની સંખ્યા હવે 4 થઈ ગઈ છે.

આ ઉપરાંત, પૂર્વ સાંસદ પાસે 150થી વધુ ગાયો છે, જેમાંથી લગભગ 70 ગીર જાતિની છે. એક ગીર ગાયની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. લગભગ 5 વીઘા જમીન પર ફેલાયેલો તબેલો બ્રૃજ ભૂષણ શરણ સિંહના બંગલાની સામે જ આવેલો છે. જ્યારે તેઓ ગોંડામાં હોય છે, ત્યારે જીમ કર્યા બાદ સીધા તબેલા તરફ જાય છે. અહી ઉપસ્થિત બધા ઘોડાઓને ચણા વગેરે ખવડાવે છે. આ દરમિયાન તેઓ ઘણીવાર 2-4 રાઉન્ડની સવારી પણ કરે છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.