આ નગર પાલિકાનો નિર્ણયઃ ધર્મસ્થળો કે સ્મશાન ઘાટની પાસે માંસ વેચાશે નહીં

દેશની રાજધાનીમાં કોઇપણ માંસની દુકાન ધાર્મિક સ્થળો કે સ્મશાન ઘાટથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેશે. દિલ્હી નગર નિગમે 31 ઓક્ટોબરે સાંજે નવી નીતિ બહાર પાડી આ જાણકારી આપી છે. દિલ્હી નગર નિગમ(MCD)એ માંસની દુકાનો અને મીટ પ્રોસેસિંગ યૂનિટ્સને નવા લાયસન્સ આપવા અને તેના રિન્યૂઅલ માટે નવો પ્રસ્તાવ પાસ કર્યો છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, MCDએ જણાવ્યું કે માંસની દુકાન અને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, સ્મશાન ઘાટ કે કબ્રસ્તાન જેવા ધાર્મિક સ્થળોની વચ્ચે ઓછામાં ઓછું 150 મીટરનું અંતર હોવું જરૂરી છે. તો મસ્જિદોથી 150 મીટરનું અંતરની આ શરત માત્ર સૂવરના માંસની દુકાનો પર લાગૂ પડશે.

MCD સદનમાં થયેલી બેઠકમાં 31 ઓક્ટોબરે આની સાથે જ 54 પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા. જેમાં 5000 સફાઈ કર્મચારીઓને નિયમિત કરવા, સારા પ્રશિક્ષણ માટે MCD સ્કૂલોના પ્રિંસિપલોને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં મોકલવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. MCDમાં કુલ 58 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આના માટે બધા સફાઈ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, MCDમાં 5000 સફાઈકર્મીઓને નિયમિત કરવાનો પ્રસ્તાવ આમ આદમી પાર્ટીએ પાસ કરી દીધો છે. અમે જે વાયદો કર્યો હતો તે પૂરો કર્યો. દિવાળી પર મળેલી આ શાનદાર ભેટ માટે નિયમિત થનારા દરેક સફાઈ કામદારો અને તેમના પરિજનોને ખૂબ ખૂબ શુભેચ્છા. મન લગાવીને દિલ્હીના લોકોની સેવા કરો. આપણે સાથે મળીને દિલ્હીને એક સ્વચ્છ અને સુંદર શહેર બનાવીશું.

ત્યાર બાદ દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે કહ્યું કે, સદનની બેઠકમાં આમ આદમી પાર્ટીની MCD સરકારે સર્વસંમત્તિથી દિલ્હીના નાગરિકો અને કર્મચારીઓના હિતમાં જરૂરી પ્રસ્તાવ પાસ કર્યા. સદનમાં લાવવામાં આવેલા બધા પ્રસ્તાવોથી દિલ્હીના નાગરિકો અને MCD કર્મચારીઓને મોટી રાહત મળશે.

તેમણે જણાવ્યું કે, દિલ્હીની સફાઈ વ્યવસ્થાને મજબૂત કરવા અને કચરાના પહાડોને હટાવવા માટે એક સમાંતર એજન્સી તૈનાત કરવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

Related Posts

Top News

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.