આ શહેરથી એક બાદ એક ગધેડા થઇ રહ્યા છે ચોરી, અત્યાર સુધી 25 ગયા

મધ્ય પ્રદેશના બહારામપુરમાં ગધેડાની ચોરીનો મામલો પોલીસ પ્રશાસનની જનસુનાવણીમાં પહોંચતા હાહાકાર મચી ગયો. શહેરથી છેલ્લા એક અઠવાડિયામાં 25 કરતા વધુ ગધેડાઓની ચોરી થઇ ચૂકી છે. હવે પશુપાલકોએ તેની ફરિયાદ પોલીસને કરી છે, પરંતુ FIR નોંધાઇ નથી. ન તો ગધેડાઓને શોધવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો. તેનાથી નારાજ પશુપાલક ફરિયાદ લઇને SPની જનસુનાવણીમાં પહોંચી ગયા. પશુપાલકોએ જણાવ્યું કે, ચોરી થયેલા ગધેડાઓની કિંમત 10 લાખ રૂપિયાથી વધારે છે.

તેનાથી જ તમામ પરિવારોની રોજી રોટી ચાલતી હતી. ગધેડાઓની ચોરીની FIRની માગ કરવા જનસુનાવણીમાં પહોંચેલા પશુપાલકો બોલ્યા ગધેડાઓથી કામ લીધા બાદ રાત્રે 12:00 વાગ્યે તેમને છોડી દેવામાં આવે છે અને સવારે પાછા લાવીને બાંધી દે છે, પરંતુ ગયા અઠવાડિયે 3-4 દિવસમાં એક એક કરીને 25 કરતા વધુ ગધેડા શહેરથી ચોરી થઇ ગયા. આ મામલાની ફરિયાદ કોતવાલી અને શિકારપુરા પોલીસ સ્ટેશનમાં કરી. પોલીસે તપાસ કરવાની વાત કહીને આવેદન આપ્યું, પરંતુ FIR ન નોંધવામાં આવી.

પશુપાલક મદન પ્રજાપતિએ જણાવ્યું કે, બધા પશુપાલક ગધેડાઓની પીઠ પર રેતી વહેવાનું કામ કરે છે. તેમાં ઇંટના ભઠ્ઠાઓ પર ઇંટો બનાવવામાં આવે છે. ગધેડાઓથી જ તેમની રોજી રોટી ચાલે છે, પરંતુ ગધેડાઓની ચોરી થઇ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અરજી આપી, પરંતુ પોલીસ તપાસ બાબતે પણ કોઇ જાણકારી આપી રહી નથી. તેનાથી પશુ પાલક પરેશાન છે. તેમનું કામકાજ પૂરી રીતે બંધ છે. ફરિયાદીએ જણાવ્યું કે, એક ગધેડાની કિંમત 30 થી 40 હજાર રૂપિયા સુધી હોય છે.

થોડા મહિના અગાઉ પણ આ પ્રકારે શહેરમાંથી ગધેડાઓની ચોરી થઇ ગઇ હતી. ત્યારે પણ ફરિયાદ કરવા પર કાર્યવાહી ન થઇ. પશુપાલકોએ ગધેડાઓ ચોરી કરનારા આરોપીઓને પકડવાની માગ કરી.  કોર્ટના એક એડવોકેટ આદિત્ય પ્રજાપતિએ જણાવ્યું કે, અમારા સમાજના લોકોના ગધેડા ચોરી થઇ ગયા છે. જનસુનાવણીમાં SPને મળવા પહોંચ્યા હતા. અમને ભરોસો છે કે નિશ્ચિત જ આ મામલે કાર્યવાહી થશે.

Top News

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ...
Politics 
સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

RCBનું ચેમ્પિયન બનવાનું નક્કી? આ 3 ફેક્ટર PBKSની અપેક્ષાઓ પર પાણી ફેરવી શકે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (...
Sports 
RCBનું ચેમ્પિયન બનવાનું નક્કી? આ 3 ફેક્ટર PBKSની અપેક્ષાઓ પર પાણી ફેરવી શકે છે

ફાઇનલ પહેલા RCB કેપ્ટનનું મોટું નિવેદન, જણાવ્યું કે તેને શા માટે અને કોના માટે IPL ટ્રોફીની છે જરૂર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન રજત પાટીદારે કહ્યું છે કે ટીમ આ વખતે IPL ટાઇટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ...
Sports 
 ફાઇનલ પહેલા RCB કેપ્ટનનું મોટું નિવેદન, જણાવ્યું કે તેને શા માટે અને કોના માટે IPL ટ્રોફીની છે જરૂર
Copyright (c) Khabarchhe All Rights Reserved.