આ શહેરથી એક બાદ એક ગધેડા થઇ રહ્યા છે ચોરી, અત્યાર સુધી 25 ગયા

મધ્ય પ્રદેશના બહારામપુરમાં ગધેડાની ચોરીનો મામલો પોલીસ પ્રશાસનની જનસુનાવણીમાં પહોંચતા હાહાકાર મચી ગયો. શહેરથી છેલ્લા એક અઠવાડિયામાં 25 કરતા વધુ ગધેડાઓની ચોરી થઇ ચૂકી છે. હવે પશુપાલકોએ તેની ફરિયાદ પોલીસને કરી છે, પરંતુ FIR નોંધાઇ નથી. ન તો ગધેડાઓને શોધવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો. તેનાથી નારાજ પશુપાલક ફરિયાદ લઇને SPની જનસુનાવણીમાં પહોંચી ગયા. પશુપાલકોએ જણાવ્યું કે, ચોરી થયેલા ગધેડાઓની કિંમત 10 લાખ રૂપિયાથી વધારે છે.

તેનાથી જ તમામ પરિવારોની રોજી રોટી ચાલતી હતી. ગધેડાઓની ચોરીની FIRની માગ કરવા જનસુનાવણીમાં પહોંચેલા પશુપાલકો બોલ્યા ગધેડાઓથી કામ લીધા બાદ રાત્રે 12:00 વાગ્યે તેમને છોડી દેવામાં આવે છે અને સવારે પાછા લાવીને બાંધી દે છે, પરંતુ ગયા અઠવાડિયે 3-4 દિવસમાં એક એક કરીને 25 કરતા વધુ ગધેડા શહેરથી ચોરી થઇ ગયા. આ મામલાની ફરિયાદ કોતવાલી અને શિકારપુરા પોલીસ સ્ટેશનમાં કરી. પોલીસે તપાસ કરવાની વાત કહીને આવેદન આપ્યું, પરંતુ FIR ન નોંધવામાં આવી.

પશુપાલક મદન પ્રજાપતિએ જણાવ્યું કે, બધા પશુપાલક ગધેડાઓની પીઠ પર રેતી વહેવાનું કામ કરે છે. તેમાં ઇંટના ભઠ્ઠાઓ પર ઇંટો બનાવવામાં આવે છે. ગધેડાઓથી જ તેમની રોજી રોટી ચાલે છે, પરંતુ ગધેડાઓની ચોરી થઇ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અરજી આપી, પરંતુ પોલીસ તપાસ બાબતે પણ કોઇ જાણકારી આપી રહી નથી. તેનાથી પશુ પાલક પરેશાન છે. તેમનું કામકાજ પૂરી રીતે બંધ છે. ફરિયાદીએ જણાવ્યું કે, એક ગધેડાની કિંમત 30 થી 40 હજાર રૂપિયા સુધી હોય છે.

થોડા મહિના અગાઉ પણ આ પ્રકારે શહેરમાંથી ગધેડાઓની ચોરી થઇ ગઇ હતી. ત્યારે પણ ફરિયાદ કરવા પર કાર્યવાહી ન થઇ. પશુપાલકોએ ગધેડાઓ ચોરી કરનારા આરોપીઓને પકડવાની માગ કરી.  કોર્ટના એક એડવોકેટ આદિત્ય પ્રજાપતિએ જણાવ્યું કે, અમારા સમાજના લોકોના ગધેડા ચોરી થઇ ગયા છે. જનસુનાવણીમાં SPને મળવા પહોંચ્યા હતા. અમને ભરોસો છે કે નિશ્ચિત જ આ મામલે કાર્યવાહી થશે.

Top News

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

સુરત : મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ "ભ્રમ" 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. "હું...
Entertainment 
'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વીની...
National 
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી...
National  Politics 
INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.