RCBનું ચેમ્પિયન બનવાનું નક્કી? આ 3 ફેક્ટર PBKSની અપેક્ષાઓ પર પાણી ફેરવી શકે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) સામસામે હશે. બંને ટીમો વર્ષ 2008થી IPL રમી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ટ્રોફી જીતી શકી નથી, પરંતુ આ વખત એક ટીમનું નસીબ જરૂર ચમકશે અને IPLને એક નવો ચેમ્પિયન મળશે, પરંતુ RCBને આ ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. એમ શા માટે તેની પાછળતા 3 કારણો અમે તમને બતાવી રહ્યા છીએ.

Virat
BCCI

 

વિરાટ કોહલીનું ફોર્મ અને અનુભવ

વિરાટ કોહલી RCBનો સૌથી મોટો સ્ટાર છે. તેણે ટીમને ઘણી વખત ફાઇનલમાં પહોંચાડી, પરંતુ ટ્રોફી જીતી ન શક્યો. આ વખત પણ કોહલી 614 રન બનાવીને શાનદાર ફોર્મમાં છે. ટ્રોફી જીતીને તે પોતાનું સપનું પૂરું કરી શકે છે. તેનો અનુભવ અને નોકઆઉટ મેચોમાં તેનું સંયમ ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.

RCB1
BCCI

 

PBKSને 2 વખત હરાવી

રજત પાટીદારને કેપ્ટન બનાવીને ટીમમાં એક નવો જોશ આવ્યો છે. આ સીઝનમાં, ટીમે પંજાબ કિંગ્સ વિરુદ્ધ સતત 2 મેચ જીતી છે, જેથી તેનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. ક્વોલિફાયર-1 મેચમાં, RCBએ પંજાબ કિંગ્સની કલાઈ મરોડી દીધી હતી. RCBના બોલરોએ પંજાબની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી. એવામાં, RCBનો આત્મવિશ્વાસ હાઇ રહેશે.

ફાઇનલ રમવાનો અનુભવ અને ટીમ સંયોજન

RCB 3 વખત ફાઇનલ રમી ચૂકી છે, પરંતુ જીતી શકી નથી. હવે તેની પાસે જૂની હારનો હિસાબ ચૂકવવાનો અને ઇતિહાસ રચવાનો અવસર છે. તેની પાસે ફાઇનલમાં રમવાનો અનુભવ છે, જ્યારે પંજાબ 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. તો, RCBની બોલિંગ અને બેટિંગ પંજાબ કરતા વધુ સંતુલિત છે. સાથે જ, RCB અનુભવી ખેલાડીઓના મામલે પણ RCB આગળ છે.

IPL2
in.mashable.com

 

અત્યાર સુધી IPLના વિજેતાઓની પૂરી લિસ્ટ 2008

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હરાવી

2009 ડેક્કન ચાર્જર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 રનથી હરાવી

2010 ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 22 રનથી હરાવી

2011 ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 58 રનથી હરાવી

2012 કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી

2013 મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 23 રનથી હરાવી 2014 કોલકાતા નાઈટ રાઇડર્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવી

2015 મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 41 રનથી હરાવી

2016 સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હરાવી

2017 મુંબઈ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને 1 રનથી હરાવી

2018 ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી

2019 મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી

2020 મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી 5 વિકેટથી

2021 ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવી

2022 ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી

2023 ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી

2024 કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.