વર્લ્ડ કપ માટે કુતરાઓનો જીવ લેવાય રહ્યો છે? આ દેશ પર લાગ્યો ગંભીર આરોપ

મોરોક્કો પર એક ગંભીર આરોપ લાગ્યો છે, જે 2030 ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ સાથે જોડાયેલો છે. સ્પેન અને પોર્ટુગલ સાથે ટૂર્નામેન્ટની સહ-મેજબાની કરનાર મોરોક્કો પર હજારો રખડતા કૂતરાઓનો જીવ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફક્ત બીજી વખત હશે, જ્યારે આફ્રિકન મહાદ્વીપમાં વર્લ્ડ કપ થશે, પરંતુ આ તૈયારીઓ વચ્ચે, એનિમલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનોના અવાજ તેજ થઈ રહ્યા છે, જેઓ દાવો કરી રહ્યા છે કે મોરોક્કો રખડતા કૂતરાઓની વસ્તી ઘટાડવાના નામે મોટા પ્રમાણમા કતલ કરી રહ્યું છે.

મોરોક્કોમાં  લગભગ 3 મિલિયન રખડતા કૂતરાઓ રસ્તા પર ફરતા હોય છે, જેને સ્થાનિક સ્તર પર  સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોખમી માનવામાં આવે છે. એનિમલ વેલ્ફેર જૂથો અનુસાર, સરકારે 2030 વર્લ્ડ કપ માટે લાખો કૂતરાઓનો જીવ લેવાની યોજના બનાવી છે. તાજેતરના અહેવાલોમાં એક ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં એક રખડતા કૂતરાને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત લોહીથી લથપથ લાશોના ઢગ અને એક નવજાત કુરકુરિયાને લાત મારીને જીવ લઈ લેવાની તસવીરો સામે આવી છે.

dogs
firstpost.com

ઇન્ટરનેશનલ એનિમલ્લ વેલ્ફેર એન્ડ પ્રોટેક્ષણ કોલિનેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોરોક્કોને સહ-યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી છે અને હવે નિયંત્રણ બહાર છે. આ મુદ્દો આગામી મહિને શરૂ થઈ રહેલા આફ્રિકા કપ ઓફ નેશન્સને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ બની ગયો છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, દેશની સરકાર પર રસ્તાઓને સાફ કરવા માટે હજારો રખડતા કૂતરાઓને મારી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

dogs
telegraph.co.uk

વર્લ્ડ કપ 2030 દરમિયાન મોરોક્કોના 6 શહેરોમાં 6 અઠવાડિયા સુધી મેચો રમાશે. મોરોક્કોનો ફૂટબોલ ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. 1970માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચનારી આફ્રિકન ટીમ, 1986માં નોકઆઉટ સ્ટેજમાં પહોંચી હતી અને 2022માં સેમીફાઇનલ રમવામાં પણ સફળ રહી હતી, પરંતુ આ ઉપલબ્ધીઓ હવે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. જો કે, મોરોક્કન સરકાર આ આરોપોને ધરમૂળથી નકારે છે. લંડનમાં સ્થિત મોરોક્કન દૂતાવાસે પણ સ્પષ્ટતા કરી છે કે રખડતા કૂતરાઓની હત્યાનો વર્લ્ડ કપ સાથે કોઈ સંબંધ નથી. તેમણે દાવો કર્યો હતો કે વર્ષના અંત સુધીમાં 5 શહેરોમાં વધુ કૂતરા આશ્રયસ્થાનો સ્થાપિત કરવામાં આવશે. તો રબાતના જણાવ્યા અનુસાર, સરકાર કતલને સમર્થન આપતી નથી અને રખડતા પ્રાણીઓનું સંચાલન સ્થાનિક નગરપાલિકાઓ પર છોડી દેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.