અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે

ભારતના સૌથી સફળ T20 આંતરરાષ્ટ્રીય બૉલર અર્શદીપ સિંહ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ પોતાના જ ઘરેલુ મેદાન પર તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેને જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો છે. અર્શદીપે બીજી T20Iમાં એક એવી ભૂલ કરી, જેના કારણે ગૌતમ ગંભીર પણ ગુસ્સે થઇ ગયા હતા. અર્શદીપ સિંહે બીજી T20Iમાં પોતાની ત્રીજી ઓવર પૂરી કરવા માટે 13 બૉલ ફેંક્યા હતા. એવું લાગતું હતું કે તે બોલિંગ કરવાનું જ ભૂલી ગયો હોય.

Prada
indiatoday.in

દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 11મી ઓવરમાં અર્શદીપ સિંહને બૉલિંગ આપવામાં આવી હતી. ડી કોકે તેના પહેલા બૉલ પર જ છગ્ગો ફટકાર્યો, પરંતુ તેણે પછી 2 વાઈડ બૉલ ફેંક્યા, ત્યારબાદ તેને વધુ 5 વાઈડ બૉલ ફેંક્યા. અર્શદીપ સિંહે આ ઓવરમાં 13 બૉલ ફેંક્યા, જેમાં તેણે 18 રન આપ્યા હતા. અર્શદીપ સિંહને વાઈડ બૉલ ફેંકતો જોઈને જસપ્રીત બૂમરાહ તેને સમજાવવા આવ્યો, છતા તે સીધો બોલિંગ કરી ન શક્યો. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં બેસીને ગુસ્સે થઈ રહ્યા હતા.

Prada2
indianexpress.com

અર્શદીપ સિંહે એક ઓવરમાં 7 વાઈડ બૉલ ફેંકીને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવી દીધો. અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આટલી લાંબી ઓવર ફેંકનાર પહેલો ભારતીય બની ગયો છે. તેના પહેલા અફઘાનિસ્તાનના નવીન ઉલ હકે પણ એક ઓવરમાં 13 બૉલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહ સામાન્ય રીતે T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે, કારણ કે તેનો રેકોર્ડ આ વાતની સાક્ષી આપે છે, પરંતુ બીજી T20માં તેની લય ખરાબ રહી, જેના કારણે ભારતીય ટીમ ને પણ નુકસાન થયું. અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરમાં 54 રન આપ્યા. આ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા, તેણે 2022માં 62 રન આપ્યા હતા. તો મેચની વાત કરીએ તો ભારતીય ટીમને આ મેચમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.

About The Author

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.