અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે

ભારતના સૌથી સફળ T20 આંતરરાષ્ટ્રીય બૉલર અર્શદીપ સિંહ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ પોતાના જ ઘરેલુ મેદાન પર તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેને જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો છે. અર્શદીપે બીજી T20Iમાં એક એવી ભૂલ કરી, જેના કારણે ગૌતમ ગંભીર પણ ગુસ્સે થઇ ગયા હતા. અર્શદીપ સિંહે બીજી T20Iમાં પોતાની ત્રીજી ઓવર પૂરી કરવા માટે 13 બૉલ ફેંક્યા હતા. એવું લાગતું હતું કે તે બોલિંગ કરવાનું જ ભૂલી ગયો હોય.

Prada
indiatoday.in

દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 11મી ઓવરમાં અર્શદીપ સિંહને બૉલિંગ આપવામાં આવી હતી. ડી કોકે તેના પહેલા બૉલ પર જ છગ્ગો ફટકાર્યો, પરંતુ તેણે પછી 2 વાઈડ બૉલ ફેંક્યા, ત્યારબાદ તેને વધુ 5 વાઈડ બૉલ ફેંક્યા. અર્શદીપ સિંહે આ ઓવરમાં 13 બૉલ ફેંક્યા, જેમાં તેણે 18 રન આપ્યા હતા. અર્શદીપ સિંહને વાઈડ બૉલ ફેંકતો જોઈને જસપ્રીત બૂમરાહ તેને સમજાવવા આવ્યો, છતા તે સીધો બોલિંગ કરી ન શક્યો. જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં બેસીને ગુસ્સે થઈ રહ્યા હતા.

Prada2
indianexpress.com

અર્શદીપ સિંહે એક ઓવરમાં 7 વાઈડ બૉલ ફેંકીને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવી દીધો. અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આટલી લાંબી ઓવર ફેંકનાર પહેલો ભારતીય બની ગયો છે. તેના પહેલા અફઘાનિસ્તાનના નવીન ઉલ હકે પણ એક ઓવરમાં 13 બૉલ ફેંક્યા હતા. અર્શદીપ સિંહ સામાન્ય રીતે T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે, કારણ કે તેનો રેકોર્ડ આ વાતની સાક્ષી આપે છે, પરંતુ બીજી T20માં તેની લય ખરાબ રહી, જેના કારણે ભારતીય ટીમ ને પણ નુકસાન થયું. અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરમાં 54 રન આપ્યા. આ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા, તેણે 2022માં 62 રન આપ્યા હતા. તો મેચની વાત કરીએ તો ભારતીય ટીમને આ મેચમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.