દક્ષિણ આફ્રિકા જ ટીમ ઈન્ડિયાને સેમીફાઇનલની અપાવી શકે છે ટિકિટ; જાણો શું છે સમીકરણ

T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાને 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, જેથી સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ મુશ્કેલ થઇ ગયો છે. ગ્રુપ-1માં ભારતની સ્થિતિ એવી છે કે, તેણે હવે બાકીની બંને મેચ જીતવી પડશે અને સેમીફાઇનલમાં પહોંચવા માટે તેની નેટ રન રેટ (NRR) પર નિર્ભર રહેવું પડશે. રસપ્રદ વાત એ છે કે, દક્ષિણ આફ્રિકા જ આ ​​મુશ્કેલ સમયમાં ભારતનો તારણહાર સાબિત થઈ શકે છે અને સેમીફાઇનલમાં જગ્યા અપાવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ બાદ, ગ્રુપ-1ની સ્થિતિ આ મુજબ છે.

સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે સમીકરણ

દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી છે, 2 પોઈન્ટ અને +3.800ની શાનદાર NRR છે. તો, ભારતનો 0 પોઈન્ટ અને -3.800ની NRR છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વેએ હજુ સુધી તેમના સુપર-8 અભિયાન શરૂઆત કરી નથી. ભારત પાસે હવે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચ બાકી છે. જો ભારત આ બંને મેચ જીતે છે, તો તેના કુલ 4 પોઈન્ટ થઇ જશે. જોકે, NRR અહીં મુખ્ય ભૂમિકા ભજવશે. આટલી મોટી હાર બાદ, ભારતની NRR એટલી ખરાબ થઇ ગઇ છે કે માત્ર તેને જીતોથી સુધારવી મુશ્કેલ થઇ જશે.

Team India
BCCI

એવામાં, જો દક્ષિણ આફ્રિકા તેની બાકીની બંને મેચ (વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે) જીતી જાય, તો પ્રોટિયાઝના 6 પોઈન્ટ થઇ જશે અને તે ગ્રુપમાં ટોચ પર રહીને સેમીફાઇનલમાં જગ્યા નક્કી કરી લેશે. આ સ્થિતિમાં ભારત પાસે 4 પોઈન્ટ હશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેને મહત્તમ 2-2 પોઈન્ટ જ મળી શકશે. પરિણામે, ભારત 4 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા સ્થાને રહેશે, કારણ કે અન્ય ટીમોના પોઈન્ટ ઓછા હશે. જોકે, જો દક્ષિણ આફ્રિકા એક મેચ હારી જાય છે, તો ગ્રુપ પોઈન્ટ પર બરાબરી કરી શકે છે, જ્યાં NRR મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને ભારતની -3.800 NRR તેને નુકસાન પહોંચાડી શકે છે.

Team India
BCCI

આ હાર ટીમ માટે એક મોટો પાઠ છે. હવે, રોહિત-વિરાટ યુગ બાદ, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમે માત્ર જીત જ નહીં, પરંતુ વિરોધી ટીમોને મોટા માર્જિનથી હરાવવી પડશે. આગામી મેચોમાં, વાપસી કરવા માટે આખી ટીમને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં એકજૂથ થઇને કમબેક કરવાની જરૂર છે. જો ટીમ ઈન્ડિયા બંને મેચ મોટા માર્જિનથી જીતે છે, તો તેની નેટ રન રેટ પણ સુધરી શકે છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની હાર બાદ પણ, ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) કેસમાં મોટી રાહત મળી...
National 
નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...

આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ) આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ...
Opinion 
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

વોટ્સએપ યુઝર્સ... 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે; આ એપ હવે પહેલાની જેમ કામ નહીં કરે

દેશમાં 1 માર્ચ, 2026થી એક નવો નિયમ અમલમાં આવશે, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ...
Tech and Auto 
વોટ્સએપ યુઝર્સ... 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે; આ એપ હવે પહેલાની જેમ કામ નહીં કરે

‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય ક્રિકેટ અંગે વિવાદાસ્પદ નિવેદનોનો દોર શરૂ થયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી...
Politics 
‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન
Copyright (c) Khabarchhe All Rights Reserved.