'સાવધાન! ભારત ખૂબ જ ખતરનાક છે!', ઓસ્ટ્રેલિયન યુવકના દાવાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો

'થોભી જાઓ... ભારત ન જાવ, તે ખૂબ જ ખતરનાક છે!' આ વાંચીને તમને થોડું વિચિત્ર લાગશે અને તમને વિચારવા પર મજબુર કરી દેશે કે કોઈ આપણા દેશ વિશે આવું કેવી રીતે કહી શકે છે, જે દેશ  દાયકાઓથી 'અતિથિ દેવો ભવ' સંસ્કૃતિનું પાલન કરી રહ્યો છે. પરંતુ તમારો આ વિચાર એક બાજુ પર મૂકી દો અને સત્ય હકીકત સ્વીકારો કે કોઈ પણ વિદેશી ભારતની મુલાકાત લેવાની યોજના બનાવતા હોય છે તેને આ પ્રકારની ચેતવણીઓ મળે છે.

Australian-Duncan-Mcnaught1
indiatv.in

લોકો તેમને કહે છે, 'સાવધાન રહેજો,' 'ત્યાં ખુબ જ ભીડભાડ હોય છે,' 'ત્યાં આમ તેમ બધું વેરવિખેર પડેલું હોય છે.' પરંતુ ઓસ્ટ્રેલિયન પ્રવાસી ડંકન મેકનોટે તેમની ભારત મુલાકાતની એક તસવીર રજૂ કરી છે, જે વિશ્વભરના લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. ડંકને એક પછી એક વિશ્વની જૂની વિચારસરણીને તોડી પાડી અને બતાવ્યું કે ભારત ખરેખર ખતરનાક છે, પરંતુ તે રીતે નહીં જે રીતે દરેક વિચારે છે.

Australian-Duncan-Mcnaught3
aajtak.in

ડંકને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતની તેમની યાત્રાની રીલ શેર કરી અને દેશ વિશે એક જબરજસ્ત વાક્ય લખ્યું, જેણે સોશિયલ મીડિયા પર દરેકના દિલ જીતી લીધા. તેમણે કહ્યું, 'સાવધાન... ભારત ખતરનાક છે. ખતરનાક રીતે દયાળુ છે, ખતરનાક રીતે મજાનું, સંસ્કૃતિમાં ખતરનાક રીતે શ્રીમંત અને સુંદરતામાં ખતરનાક રીતે સમૃદ્ધ!'

https://www.instagram.com/reel/DRjpbfBE8YS/

તેમણે તેમના પોસ્ટ કેપ્શનમાં 'ખતરનાક' શબ્દનો ઉપયોગ ચેતવણી તરીકે નહીં, પરંતુ ભારતની વિશિષ્ટતા, સુંદરતા અને ભલાઈની ઉજવણી કરવા અને ભારતનું સાચું ચિત્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે કર્યો હતો. તેમની રીલ કોઈ પ્રવાસીના લાંબા ગાળાના દ્રષ્ટિકોણ જેવી નથી લાગતી, પરંતુ ભારતની શેરીઓ હરતો ફરતો અને દરેક સાથે હળીમળી જતા એક મિત્રની વાર્તા છે.

Australian-Duncan-Mcnaught4
indiatv.in

ડંકને ભારતની તેમની યાત્રા દરમિયાન ફક્ત મુખ્ય પ્રવાસન સ્મારકોની મુલાકાત જ નહોતી લીધી. તેમણે ભારતની ભીડભાડવાળી શેરીઓમાંથી પણ પ્રવાસ કર્યો હતો, જેમાં ઘણી વખત ન જવાની ચેતવણી આપવામાં આવે છે. તેમના વિડિયોમાં તેઓ ભારતના ભીડભાડવાળા રસ્તાઓ પર સ્થાનિક લોકો સાથે મસ્તી કરતા અને મજાક કરતા જોવા મળે છે. એટલું જ નહીં, તેમણે શેરીઓમાં બાળકો સાથે નાચતા પણ બતાવ્યા છે. આ ક્ષણો જોઈને, કોઈને ખ્યાલ આવે છે કે ભારતની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે, જે તરત જ અજાણી વ્યક્તિને મિત્ર બનાવી શકે છે. ભાષા તેમના માટે કોઈ અવરોધ નથી હોતી.

ઘોંઘાટીયા અને ભીડભાડવાળી શેરીઓમાંથી બહાર નીકળીને, જ્યારે ડંકન અમૃતસર પહોંચ્યા ત્યારે તેને તેની હવામાં હળવાશ અને શાંતિ મળી, જે લોકો ઈચ્છા રાખતા હોય છે. ડંકનને સુવર્ણ મંદિરમાં આ શાંતિ મળી, જ્યાં તેમની યાત્રા વિરામ લીધી. અહીં જ્યારે બહારની દુનિયા ઝડપી ગતિએ ચાલી રહી હતી, ત્યારે મંદિરની અંદર તેમને આધ્યાત્મિક હળવાશ અને શાંતિ મળી. આ ઉપરાંત, તેમની યાત્રા ભારતની ભૌગોલિક વિવિધતાને પણ સંપૂર્ણ રીતે દર્શાવે છે. ક્યારેક તેમને બરફમાં ઝિપલાઈન કરતા જોવા મળ્યા, ક્યારેક પર્વતોમાં રોડ ટ્રીપનો આનંદ માણતા. કોઈપણ પ્રકારની રોકટોક વગર કોઈ પણ પાર્ટી કે મેળાવડામાં જોડાવાની તેમની ઇચ્છાશક્તિ આ યાત્રાને વધુ ખાસ બનાવે છે.

Australian-Duncan-Mcnaught1
tribuneindia.com

ડંકનના આ વર્તનને ભારતીયો અને વિશ્વભરના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો. એક યુઝરે ટિપ્પણી કરી, 'દુનિયાના બીજા છેડેથી આવ્યો છે અમારો ભાઈ.' તો કોઈએ લખ્યું, 'આખરે, કોઈ તો એવો છે કે જે ફક્ત વ્યૂઝ માટે નહીં, પણ તેની સંસ્કૃતિનો ખરેખર અનુભવ કરવા માટે ભારત આવ્યું છે.' સૌથી આકર્ષક ટિપ્પણી એ હતી, 'ભગવાનનો આભાર કે કોઈ કોઈ તો જૂની પુરાણી વિચારસરણી વગર ભારતમાં આવ્યું.'

About The Author

Related Posts

Top News

સુરતમાં ગુનો બને તે પહેલા જ પોલીસ પહોંચી ગયેલી, વીડિયોમાં જુઓ કેવી રીતે ટપોરીઓને ઉઠાવી લીધા

સુરતના ગોડાદરા વિસ્તારમાં, માત્ર 1000 રૂપિયાના સામાન્ય વિવાદે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે, પોલીસની તત્પરતાને કારણે...
Gujarat 
સુરતમાં ગુનો બને તે પહેલા જ પોલીસ પહોંચી ગયેલી, વીડિયોમાં જુઓ કેવી રીતે ટપોરીઓને ઉઠાવી લીધા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

IPLની સૌથી હાઇ-પ્રોફાઇલ ટીમોમાંથી એક અને વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હવે નવા હાથોમાં જતી રહી...
Sports 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમ 16,706 કરોડમાં વેચાઈ ગઈ, જાણો કોણે ખરીદી

કરિયાવરમાં 20 કરોડની માંગ, SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં પોસ્ટ કરાયેલા SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે. ચંદૌલી સદર SDM દિવ્યા ઓઝાના પિતા...
National 
કરિયાવરમાં 20 કરોડની માંગ,  SDM પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

IPL 2026માંથી 7 ટીમોના 11 સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા, એક તો ટીમનો કેપ્ટન છે

IPL 2026 શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. બધી ટીમો ટ્રોફી જીતવા માટે સખત તૈયારી કરી રહી છે...
Sports 
IPL 2026માંથી 7 ટીમોના 11 સ્ટાર ખેલાડીઓ બહાર થઈ ગયા,  એક તો ટીમનો કેપ્ટન છે

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.