ફ્લાઇટના ટોઇલેટમાંથી મળ્યું 2 કરોડ રૂપિયાનું 4 કિલો સોનું

હમણાં છેલ્લાં કેટલાંક સમયથી  દેશના એરપોર્ટ પરથી ગોલ્ડ મળી આવવાની અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલાં જ સુરત એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓને લાવારિસ સોનું મળી આવ્યું હતું. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી હતી કે એરપોર્ટના ટોઇલેટમાં કોઇ સોનું સંતાડીને જતું રહ્યું હતું અને પછી કસ્ટમે વિભાગે કબ્જો કરી લીધો હોય. આવી જ એક ઘટના દિલ્હી એરપોર્ટ પરની સામે આવી છે. કસ્ટમ વિભાગને ફલાઇટના ટોઇલેટમાંથી 2 કરોડ રૂપિયાનું લાવારિસ સોનું મળી આવ્યું છે.

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-2 પર પ્લેનના ટોઇલેટમાંથી લગભગ 2 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટના ટોઈલેટમાંથી 4 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે. ગોલ્ડને જપ્ત કરીને સીલ મારી દેવામાં આવ્યું છે.

કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાન ઇન્ટરનેશનલ રૂટ પર ચાલે છે. વિદેશ યાત્રાથી પરત ફરેલા આ વિમાને  ઘરેલું ઉડાન પણ ભરી હતી. એ પછી આજ સવારે વિમાન IGI ટર્મિનલ-2 પર પહોંચ્યું હતું. જ્યારે આ વિમાનનો ટાઇલેટની સફાઇ કરવામાં આવી રહી હતી ત્યારે સફાઇ કર્મચારીઓને કઇંક ચિપકાયેલું હોય તેવું દેખાયું હતું.

સફાઇ કર્મચારીઓએ કસ્ટમ વિભાગના અધિકારીઓની જાણકારી આપી હતી. વિમાનમાં પહોંચેલા કસ્ટમ અધિકારીઓએ વોશરૂમની નીચે લાગેલા સિંક નીચે ટેપથી ચિપકાડેલું પાઉચ દેખાયું હતું.  કસ્ટમ અધિકારીઓએ કહ્યુ કે, ગ્રે કલરનું પાઉચ દેખાયું જેને પછી બહારકાઢીને ચેક કરવામાં આવ્યું તો 4 લંબચોરસ ગોલ્ડ બાર્સ મળી આવ્યા હતા. જેનું વજન લગભગ 3969 ગ્રામ હતું.

જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોનાના 4 લંબચોરસ બારની કુલ કિંમત 1 કરોડ 95 લાખ છે. કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ તેની પેકિંગ સામગ્રી સાથે જપ્ત કરાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમની ટીમ વધુ તપાસ કરી રહી છે.

છેલ્લાં ઘણા સમયથી સોનાની દાણચોરી ચિંતાજનક હદે વધી રહી છે અને દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઇ, દિલ્હી પર તો અનેક વખત સોનાની દાણચોરી કરનારા પકડાયા છે. સુરત એરપોર્ટ પણ છેલ્લાં ઘણા સમયથી સોનાની દાણચોરી કરનારા પકડાઇ રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પકડાઇ જવાના ગભરાટમાં આવી રીતે સોનું છોડી જતા હોય છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.