છાપેમારી કરવા ગયેલી પોલીસને ગ્રામજનોએ દોડાવી દોડાવીને મારી, SP સહિત 12 ઇજાગ્રસ્ત

છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં છાપેમારી કરવા ગયેલી પોલીસ અને આબકારી ટીમને ગ્રામજનોએ ઘેરીને ઢોર માર માર્યો. આ ઘટનામાં આબકારી વિભાગના SI યોગેશ સોની સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. ઇજાગ્રસ્તોના માથા, હાથ અને પગના ભાગે ઇજા થઇ છે. બધા ઇજાગ્રસ્તોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સિંધનપુરી પોલીસ સ્ટેશન અંતર્ગત નવગાંવમાં પોલીસ અને આબકારી ટીમ ગેરકાયદેસર દારુની બાતમીના આધારે પહોંચી હતી.

આ દરમિયાન ટીમ પર ગ્રામજનોએ હુમલો કરી દીધો. હુમલો એટલી જબરદસ્ત રીતે કરવામાં આવ્યો કે આબકારી અને પોલીસ ટીમને ગ્રામજનોએ દોડાવી દોડાવીને મારી. હાલમાં મારમારીનો નોબત કેમ આવી તેનો ખુલાસો થઇ શક્યો નથી. ગ્રામજનો એટલા આક્રોશિત કેમ થઇ ગયા એ સ્પષ્ટ થઇ શક્યું નથી. આબકારી વિભાગનું કહેવું છે કે બાતમી મળી હતી કે, ગ્રામજનો દ્વારા નવગાંવમાં નદી કિનારો ગેરકાયદેસર મહુડાનો કાચો દારૂ બનાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધાર પર આબકારી ટીમ,  સિંધનપુરી પોલીસ સ્ટેશનની ટીમ અને હોમગાર્ડ જવાન સહિત 12 લોકોની ટીમ ગામમાં પહોંચી હતી. ત્યાં જઇને જોયું તો નદી કિનારે મહુડાનો દારૂ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ટીમે મહુડાનો દારૂ જપ્ત પણ કર્યો, આ બધુ જોઇને ગ્રામજનો અચાનક આક્રોશિત થઇ ગયા અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો. આ દરમિયાન ગ્રામજનોએ પોલીસ અને આબકારી ટીમની ગાડીઓને પણ તોડી દીધી.

ગ્રામજનોના હુમલાથી આબકારી વિભાગના SI યોગેશ સોની, મહિલા હોમગાર્ડ ભુનેશ્વરી ધુર્વે, મુખ્ય અરક્ષક જગદીશ સિંહ લોકનાથ, છોટેલાલ આરમો સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. બધા લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવી દેવામાં આવ્યા છે. DCP બોડલા જગદીશ ઉઇકેએ કહ્યું કે, આ ઘટનાને લઇને સિંધનપુરી પોલીસ સ્ટેશનમાં 20 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ગ્રામજનોએ આ વિષય પર અત્યાર સુધી પોતાનો પક્ષ રાખ્યો નથી. તપાસમાં એ જાણકારી સામે આવશે કે ગ્રામજનોનો હુમલો કરવાનું શું કારણ રહ્યું હશે. ઘટનાની જાણકારી મળતા જ બપોરે 12 વાગ્યે SP ડૉ. લાલ ઉમેંદ સિંહ ફોર્સ સાથે નવગાંવ પહોંચ્યા. હુમલો કરનારા ગ્રામજનોની ઓળખ કરવામાં આવી. હુમલો કરનારાઓની ઓળખ કરવા માટે ટીમ બપોરે 3 વાગ્યા સુધી રહી. આ કેસમાં 20 લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો હોવાની જાણકારી મળી રહી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.