'દુઃસ્વપ્નો આવતા હતા...', ચોરે 9 વર્ષ પછી રાધાકૃષ્ણ મંદિરના ઘરેણા પરત કર્યા

ચોરના હૃદય પરિવર્તન સાથે જોડાયેલા આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેને જાણ્યા પછી તમે કહેશો, શું આવું પણ થાય છે? આ મામલો ઓડિશાના ભુવનેશ્વરનો છે. નવ વર્ષ પહેલા અહીંના ગોપીનાથપુર ગામમાં એક મંદિર (રાધા-કૃષ્ણ)માંથી ચોર ભગવાનના ઘરેણાની ચોરી કરી ગયો હતો. પણ ભાઈ..., હવે ચોરનું મન બદલાઈ ગયું અને તેણે ચોરીના બધા દાગીના મંદિર પાસે પાછા મૂકી દીધા. આટલું જ નહીં, તેણે દાગીનાની સાથે એક ચિઠ્ઠી (નોટ) પણ છોડી દીધી હતી, જેમાં તેણે ન માત્ર તેના કૃત્ય બદલ માફી માંગી હતી પરંતુ દાગીના પરત કરવાનું કારણ પણ જણાવ્યું હતું. ઉપરાંત, તેણે તેને થયેલા પછતાવો બદલ કેટલાક પૈસા પણ છોડ્યા હતા. 

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, તે વર્ષના મે મહિનાની વાત છે. જ્યારે ગોપીનાથપુર ગામના રાધા-કૃષ્ણ મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણા (મુગટ, કાનની વીંટી, બંગડી અને વાંસળી)ની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે રૂ. 4 લાખ છે. પછી FIR પણ નોંધાવાઇ હતી, પણ પોલીસ ચોરને પકડી શકી નહીં! પરંતુ આટલા વર્ષો પછી 15મી મેની રાત્રે ગોપીનાથના મંદિરની બાજુમાં આવેલા ઘરની બહારથી ઘરેણાંની થેલી મળી આવી હતી, જેમાં એક પત્ર પણ હતો. 

અંગ્રેજી ભાષામાં લખેલી આ નોટ પર ચોરે લખ્યું, 'હું ઘરેણાં સાથે 301 રૂપિયા આપી રહ્યો છું. તેમાંથી 201 રૂપિયા મંદિરના દાન માટે છે. જ્યારે 100 રૂપિયા દંડ તરીકે ભરું છું.' તેણે કહ્યું કે, 'જ્યારે મંદિરમાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે મેં ઘરેણાંની ચોરી કરી હતી. પરંતુ દાગીનાની ચોરી કર્યા પછી, નવ વર્ષમાં મેં જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેથી જ મેં દાગીના પરત કરવાનું નક્કી કર્યું. હું મારું નામ, સરનામું કે ગામ નથી જણાવતો.' 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિના ઘરે બેગ રાખવામાં આવી હતી. તેણે 2014માં યજ્ઞ પણ કર્યો હતો. તેની ઓળખ દેવેશ કુમાર મોહંતી તરીકે થઈ હતી. દેવેશે કહ્યું, મે 2014માં ચોરી થયા બાદ અમે તરત જ લિંગરાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીઓએ અમારા મંદિરની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થાનિક લોકો તેમજ નજીકના ગામમાંથી યજ્ઞ કરવા આવેલા કેટલાક પૂજારીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ઝવેરાતનો કે ચોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 

જ્યારે, મંદિરના પૂજારી કૈલાશ પાંડાએ કહ્યું કે, ચોરાયેલા દાગીના પાછા મળવા એ કોઈ ચમત્કારથી ઓછું નથી. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ આટલા વર્ષો સુધી ચોરને પકડવામાં નિષ્ફળ રહી. તેથી અમે દાગીના મેળવવાની તમામ આશા છોડી દીધી હતી. બહુ મુશ્કેલીથી અમે ભગવાન માટે નવા ઘરેણાં ખરીદ્યા. ભગવાને ચોરને સજા કરી છે, જેણે પોતે ચોરી કરેલા દાગીના પરત કર્યા હતા. સારું તો, આ બાબતે તમારો અભિપ્રાય શું છે? ટિપ્પણીઓમાં અમને જણાવો. 

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.