'દુઃસ્વપ્નો આવતા હતા...', ચોરે 9 વર્ષ પછી રાધાકૃષ્ણ મંદિરના ઘરેણા પરત કર્યા

On

ચોરના હૃદય પરિવર્તન સાથે જોડાયેલા આવા જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેને જાણ્યા પછી તમે કહેશો, શું આવું પણ થાય છે? આ મામલો ઓડિશાના ભુવનેશ્વરનો છે. નવ વર્ષ પહેલા અહીંના ગોપીનાથપુર ગામમાં એક મંદિર (રાધા-કૃષ્ણ)માંથી ચોર ભગવાનના ઘરેણાની ચોરી કરી ગયો હતો. પણ ભાઈ..., હવે ચોરનું મન બદલાઈ ગયું અને તેણે ચોરીના બધા દાગીના મંદિર પાસે પાછા મૂકી દીધા. આટલું જ નહીં, તેણે દાગીનાની સાથે એક ચિઠ્ઠી (નોટ) પણ છોડી દીધી હતી, જેમાં તેણે ન માત્ર તેના કૃત્ય બદલ માફી માંગી હતી પરંતુ દાગીના પરત કરવાનું કારણ પણ જણાવ્યું હતું. ઉપરાંત, તેણે તેને થયેલા પછતાવો બદલ કેટલાક પૈસા પણ છોડ્યા હતા. 

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, તે વર્ષના મે મહિનાની વાત છે. જ્યારે ગોપીનાથપુર ગામના રાધા-કૃષ્ણ મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણા (મુગટ, કાનની વીંટી, બંગડી અને વાંસળી)ની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે રૂ. 4 લાખ છે. પછી FIR પણ નોંધાવાઇ હતી, પણ પોલીસ ચોરને પકડી શકી નહીં! પરંતુ આટલા વર્ષો પછી 15મી મેની રાત્રે ગોપીનાથના મંદિરની બાજુમાં આવેલા ઘરની બહારથી ઘરેણાંની થેલી મળી આવી હતી, જેમાં એક પત્ર પણ હતો. 

અંગ્રેજી ભાષામાં લખેલી આ નોટ પર ચોરે લખ્યું, 'હું ઘરેણાં સાથે 301 રૂપિયા આપી રહ્યો છું. તેમાંથી 201 રૂપિયા મંદિરના દાન માટે છે. જ્યારે 100 રૂપિયા દંડ તરીકે ભરું છું.' તેણે કહ્યું કે, 'જ્યારે મંદિરમાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે મેં ઘરેણાંની ચોરી કરી હતી. પરંતુ દાગીનાની ચોરી કર્યા પછી, નવ વર્ષમાં મેં જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેથી જ મેં દાગીના પરત કરવાનું નક્કી કર્યું. હું મારું નામ, સરનામું કે ગામ નથી જણાવતો.' 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિના ઘરે બેગ રાખવામાં આવી હતી. તેણે 2014માં યજ્ઞ પણ કર્યો હતો. તેની ઓળખ દેવેશ કુમાર મોહંતી તરીકે થઈ હતી. દેવેશે કહ્યું, મે 2014માં ચોરી થયા બાદ અમે તરત જ લિંગરાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીઓએ અમારા મંદિરની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થાનિક લોકો તેમજ નજીકના ગામમાંથી યજ્ઞ કરવા આવેલા કેટલાક પૂજારીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ઝવેરાતનો કે ચોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 

જ્યારે, મંદિરના પૂજારી કૈલાશ પાંડાએ કહ્યું કે, ચોરાયેલા દાગીના પાછા મળવા એ કોઈ ચમત્કારથી ઓછું નથી. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ આટલા વર્ષો સુધી ચોરને પકડવામાં નિષ્ફળ રહી. તેથી અમે દાગીના મેળવવાની તમામ આશા છોડી દીધી હતી. બહુ મુશ્કેલીથી અમે ભગવાન માટે નવા ઘરેણાં ખરીદ્યા. ભગવાને ચોરને સજા કરી છે, જેણે પોતે ચોરી કરેલા દાગીના પરત કર્યા હતા. સારું તો, આ બાબતે તમારો અભિપ્રાય શું છે? ટિપ્પણીઓમાં અમને જણાવો. 

Related Posts

Top News

'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા રમઝાન દરમિયાન ઉપવાસ ન રાખવા બદલ ગુનેગાર ગણાવનાર મૌલવીએ હવે ફાસ્ટ બોલરની પુત્રીની હોળીની ઉજવણીને 'અવૈધ'...
Sports 
'શરિયત વિરુદ્ધ...', હવે શમીની પુત્રીના હોળી રમવા પર ગુસ્સે મૌલાના, રોઝા ન પાળવા બદલ ક્રિકેટરને કહ્યો ગુનેગાર

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.