છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા

બેંગલુરુના એક પ્રખ્યાત મંદિરે એક એવો નિર્ણય લીધો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. સદીઓ જૂના આ મંદિરે તેના પરિસરમાં લગ્ન કરાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તેનું કારણ પણ કંઈ ઓછું રસપ્રદ નથી. પૂજારીઓનું કહેવું છે કે, છૂટાછેડાના કેસોમાં ઝડપથી વધારો થતો થવાને કારણે તેઓ વારંવાર કોર્ટના ધક્કા ખાવાને કારણે કંટાળી ગયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ફરિયાદ કરી. હવે, આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.

Temple-Ban- Weddings
newspointapp.com

બેંગલુરુનું હલાસુરુ સોમેશ્વર સ્વામી મંદિર, જે શહેરના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય વારસા સ્થળોમાંનું એક ગણાય છે, તે ઘણા લાંબા સમયથી લગ્ન માટે પ્રિય સ્થળ રહ્યું છે. જો કે, મંદિર સમિતિનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, લગ્ન કરનારા ઘણા યુગલો છૂટાછેડા સમયે દસ્તાવેજ ચકાસણી અથવા સાક્ષીની જુબાની માટે મંદિરનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટે પૂજારીઓને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે, જેના કારણે મંદિર વ્યવસ્થાપનનો કાર્યભાર વધી ગયો છે અને તેમનો સમય બગડવા લાગ્યો છે.

Temple-Ban- Weddings
newsable.asianetnews.com

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, પૂજારીઓએ જણાવ્યું હતું કે, ઘણા યુગલો ઘરેથી ભાગી જાય છે અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મંદિરમાં લગ્ન કરી લે છે. પાછળથી, તેમના માતાપિતા આ મુદ્દો ઉઠાવતા હતા, અને ઘણી વખત કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવતા હતા. આ સમસ્યાથી બચવા માટે, મંદિરે લગભગ છ થી સાત વર્ષ પહેલાં 100 થી 150 લગ્ન કરાવ્યા પછી આ પ્રથા અટકાવી દેવામાં આવી હતી. મંદિર હજુ પણ અન્ય ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ હાલ પૂરતી લગ્નો કરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ આ નીતિ પર બીજી વખત વિચાર કરવો શક્ય છે.

Temple-Ban- Weddings
oneindia.com

સોશિયલ મીડિયા પર આ બાબતને વિચિત્ર કહેવામાં આવી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ પૂછ્યું છે કે, જ્યારે સ્થાનિક સંસ્થા લગ્નનો સત્તાવાર પુરાવો આપે છે ત્યારે છૂટાછેડાની કાર્યવાહી માટે પૂજારીઓને કોર્ટમાં કેમ બોલાવવામાં આવે છે. કેટલાક લોકોએ મજાક કરી છે કે, 'આજકાલ છૂટાછેડાનો દર જોઈને પૂજારીઓ પણ કંટાળી ગયા છે.' જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું હતું કે મંદિરને 'કલ્યાણ મંડપ'માં ફેરવવું જોઈએ નહીં અને લોકોએ ફક્ત આશીર્વાદ મેળવવા માટે આવવું જોઈએ. એકંદરે, આ નિર્ણય આશ્ચર્યજનક રહ્યો છે.

About The Author

Top News

માઇક્રોસોફ્ટ અને એમેઝોન ભારતમાં 4.71 લાખ કરોડનું રોકાણ કરશે

માઇક્રોસોફ્ટ પછી હવે ટેક જાયન્ટ એમેઝોને પણ ભારતમાં એક મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપનીએ ઘોષણા કરી છે કે તે ...
Business 
માઇક્રોસોફ્ટ અને એમેઝોન ભારતમાં 4.71 લાખ કરોડનું રોકાણ કરશે

સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે

અભિનેતા હોવા ઉપરાંત, સલમાન ખાન રોકાણકાર તરીકે પણ ખુબ સક્રિય રહે છે. તેમની કંપની, સલમાન ખાન પ્રોડક્શન્સ, ...
Entertainment 
સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે

જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 4 ડિસેમ્બર 2025...
Gujarat 
જમીન માપણી માટે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, હવે આ કામ માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે

'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ

મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેના વિરુદ્ધ ફરિયાદ (પરિવાદ) દાખલ કરવાનો...
National 
'25 વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂકી હોય છે...' કહેનાર અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કેસ દાખલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.