છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા

બેંગલુરુના એક પ્રખ્યાત મંદિરે એક એવો નિર્ણય લીધો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. સદીઓ જૂના આ મંદિરે તેના પરિસરમાં લગ્ન કરાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તેનું કારણ પણ કંઈ ઓછું રસપ્રદ નથી. પૂજારીઓનું કહેવું છે કે, છૂટાછેડાના કેસોમાં ઝડપથી વધારો થતો થવાને કારણે તેઓ વારંવાર કોર્ટના ધક્કા ખાવાને કારણે કંટાળી ગયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ફરિયાદ કરી. હવે, આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.

Temple-Ban- Weddings
newspointapp.com

બેંગલુરુનું હલાસુરુ સોમેશ્વર સ્વામી મંદિર, જે શહેરના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય વારસા સ્થળોમાંનું એક ગણાય છે, તે ઘણા લાંબા સમયથી લગ્ન માટે પ્રિય સ્થળ રહ્યું છે. જો કે, મંદિર સમિતિનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, લગ્ન કરનારા ઘણા યુગલો છૂટાછેડા સમયે દસ્તાવેજ ચકાસણી અથવા સાક્ષીની જુબાની માટે મંદિરનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટે પૂજારીઓને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે, જેના કારણે મંદિર વ્યવસ્થાપનનો કાર્યભાર વધી ગયો છે અને તેમનો સમય બગડવા લાગ્યો છે.

Temple-Ban- Weddings
newsable.asianetnews.com

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, પૂજારીઓએ જણાવ્યું હતું કે, ઘણા યુગલો ઘરેથી ભાગી જાય છે અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મંદિરમાં લગ્ન કરી લે છે. પાછળથી, તેમના માતાપિતા આ મુદ્દો ઉઠાવતા હતા, અને ઘણી વખત કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવતા હતા. આ સમસ્યાથી બચવા માટે, મંદિરે લગભગ છ થી સાત વર્ષ પહેલાં 100 થી 150 લગ્ન કરાવ્યા પછી આ પ્રથા અટકાવી દેવામાં આવી હતી. મંદિર હજુ પણ અન્ય ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ હાલ પૂરતી લગ્નો કરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ આ નીતિ પર બીજી વખત વિચાર કરવો શક્ય છે.

Temple-Ban- Weddings
oneindia.com

સોશિયલ મીડિયા પર આ બાબતને વિચિત્ર કહેવામાં આવી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ પૂછ્યું છે કે, જ્યારે સ્થાનિક સંસ્થા લગ્નનો સત્તાવાર પુરાવો આપે છે ત્યારે છૂટાછેડાની કાર્યવાહી માટે પૂજારીઓને કોર્ટમાં કેમ બોલાવવામાં આવે છે. કેટલાક લોકોએ મજાક કરી છે કે, 'આજકાલ છૂટાછેડાનો દર જોઈને પૂજારીઓ પણ કંટાળી ગયા છે.' જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું હતું કે મંદિરને 'કલ્યાણ મંડપ'માં ફેરવવું જોઈએ નહીં અને લોકોએ ફક્ત આશીર્વાદ મેળવવા માટે આવવું જોઈએ. એકંદરે, આ નિર્ણય આશ્ચર્યજનક રહ્યો છે.

About The Author

Top News

'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં ખાવાની થાળી પર પણ જોવા મળી રહી છે. તેલ અને ગેસના વધતા...
National 
'ગેસ સિલિન્ડર નથી, ખાવાનું નહીં મળે,' ઈરાન યુદ્ધની અસર દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં દેખાઈ!

અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે

મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયા વચ્ચે...
Entertainment 
અભિનેત્રી હંસિકાના 4 વર્ષમાં છૂટાછેડા, બહેનપણીના એક્સ-હસબન્ડ સાથે કર્યા હતા લગ્ન, પતિ પાસે રૂપિયો પણ નહીં લે

લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના મુંબઈ યુનિટે નાસિકમાં એક મોટી કાર્યવાહી કરીને 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાના આરોપમાં...
National 
લાખોનો પગાર પણ પેટ નથી ભરાતું, GSTના 2 અધિકારી 1.25 કરોડની લાંચ માંગેલી, પકડાયા

ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જે મહિલાને ડૉક્ટરો દ્વારા...
National 
ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.