છૂટાછેડાનું પ્રમાણ વધતા આ મંદિરે લગ્ન કરાવવા પર પ્રતિબંધ મૂક્યો, પૂજારીઓ આ કારણે કંટાળી ગયા હતા

બેંગલુરુના એક પ્રખ્યાત મંદિરે એક એવો નિર્ણય લીધો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. સદીઓ જૂના આ મંદિરે તેના પરિસરમાં લગ્ન કરાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તેનું કારણ પણ કંઈ ઓછું રસપ્રદ નથી. પૂજારીઓનું કહેવું છે કે, છૂટાછેડાના કેસોમાં ઝડપથી વધારો થતો થવાને કારણે તેઓ વારંવાર કોર્ટના ધક્કા ખાવાને કારણે કંટાળી ગયા છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ફરિયાદ કરી. હવે, આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.

Temple-Ban- Weddings
newspointapp.com

બેંગલુરુનું હલાસુરુ સોમેશ્વર સ્વામી મંદિર, જે શહેરના સૌથી જૂના અને સૌથી લોકપ્રિય વારસા સ્થળોમાંનું એક ગણાય છે, તે ઘણા લાંબા સમયથી લગ્ન માટે પ્રિય સ્થળ રહ્યું છે. જો કે, મંદિર સમિતિનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, લગ્ન કરનારા ઘણા યુગલો છૂટાછેડા સમયે દસ્તાવેજ ચકાસણી અથવા સાક્ષીની જુબાની માટે મંદિરનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઘણા કિસ્સાઓમાં, કોર્ટે પૂજારીઓને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે, જેના કારણે મંદિર વ્યવસ્થાપનનો કાર્યભાર વધી ગયો છે અને તેમનો સમય બગડવા લાગ્યો છે.

Temple-Ban- Weddings
newsable.asianetnews.com

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, પૂજારીઓએ જણાવ્યું હતું કે, ઘણા યુગલો ઘરેથી ભાગી જાય છે અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મંદિરમાં લગ્ન કરી લે છે. પાછળથી, તેમના માતાપિતા આ મુદ્દો ઉઠાવતા હતા, અને ઘણી વખત કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવતા હતા. આ સમસ્યાથી બચવા માટે, મંદિરે લગભગ છ થી સાત વર્ષ પહેલાં 100 થી 150 લગ્ન કરાવ્યા પછી આ પ્રથા અટકાવી દેવામાં આવી હતી. મંદિર હજુ પણ અન્ય ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ હાલ પૂરતી લગ્નો કરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ આ નીતિ પર બીજી વખત વિચાર કરવો શક્ય છે.

Temple-Ban- Weddings
oneindia.com

સોશિયલ મીડિયા પર આ બાબતને વિચિત્ર કહેવામાં આવી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ પૂછ્યું છે કે, જ્યારે સ્થાનિક સંસ્થા લગ્નનો સત્તાવાર પુરાવો આપે છે ત્યારે છૂટાછેડાની કાર્યવાહી માટે પૂજારીઓને કોર્ટમાં કેમ બોલાવવામાં આવે છે. કેટલાક લોકોએ મજાક કરી છે કે, 'આજકાલ છૂટાછેડાનો દર જોઈને પૂજારીઓ પણ કંટાળી ગયા છે.' જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું હતું કે મંદિરને 'કલ્યાણ મંડપ'માં ફેરવવું જોઈએ નહીં અને લોકોએ ફક્ત આશીર્વાદ મેળવવા માટે આવવું જોઈએ. એકંદરે, આ નિર્ણય આશ્ચર્યજનક રહ્યો છે.

About The Author

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.