સીરિઝ જીત્યા પછી હાર્દિકને યાદ આવ્યો કોહલી, બોલ્યો- વિરાટને કારણે...

વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતે વેસ્ટઈન્ડિઝને સીરિઝની છેલ્લી વનડેમાં 200 રનથી હરાવ્યું. તેની સાથે જ ભારતે 2-1થી સીરિઝ જીતી લીધી. આ વેસ્ટઈન્ડિઝમાં ભારતની સૌથી મોટી જીત છે. આ મેચમાં ભારતની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાએ કરી હતી. પંડ્યાએ આ મેચમાં 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા અને ભારતને 351 રન સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી. સીરિઝ જીતની સાથે જ પંડ્યા ખૂબ જ ખુશ જોવા મળ્યો. તેણે યુવા ખેલાડીઓ, વિરાટ-રોહિતની ગેરહાજરી અને પોતાની રમતને લઇ વાત કરી.

હાર્દિક પંડ્યાએ વિરાટ-રોહિતના બહાર બેસવાને લઇ પૂછવામાં આવેલા સવાલ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, દેખીતી વાત છે કે વિરાટ અને રોહિત ટીમના અભિન્ન અંગ છે. પણ ઋતુરાજ અને અક્ષર જેવા યુવા ખેલાડીઓને પણ ગેમ ટાઇમ મળે એ જરૂરી હતું. માટે આ સીરિઝમાં યુવાઓને એક્સપોઝર આપવામાં આવ્યું અને અમે જે જોવા માગતા હતા તે કરી શક્યા.

પોતાની બેટિંગને લઇ કહી આ વાત

પોતાની બેટિંગને લઈ પંડ્યાએ કહ્યું, હું ક્રીઝ પર થોડો સમય વિતાવવા માગતો હતો. વિકેટ સારી હતી. થોડા દિવસ પહેલા જ વિરાટ સાથે સારી વાત થઇ હતી. તેમણે અમુક વાતો કહી હતી. તેઓ ઈચ્છતા હતા કે હું વિકેટ પર થોડો સમય પસાર કરું. આ વાત મારા દિમાગમાં રહી ગઇ. હું બસ તકની રાહ જોઇ રહ્યો હતો અને એકવાર લય હાંસલ કર્યા પછી શોટ્સ રમી શકતો હતો. જ્યારે એક બોલ બેટની વચ્ચે આવ્યો તો ગેઇમ બદલાઇ ગઈ. મેં મારા કરિયરમાં આ વાત જોઇ છે.

આગળ પંડ્યા કહે છે કે, ઈમાનદારીથી કહું તો કેપ્ટનના રૂપમાં હું આ પ્રકારની મેચની રાહ જોતો હોઉ છું. જ્યાં અમુક વસ્તુઓ દાવ પર લાગી હોય છે. નહીં કે માત્ર એક મેચ. અમે જાણતા હતા કે જો આ મેચમાં અમે નિષ્ફળ રહ્યા તો નિરાશા હાથ લાગશે. જે રીતે યુવા ખેલાડીઓએ પોતાનું કેરેક્ટર દેખાડ્યું અને ક્રિકેટની મજા માણી, આ જ એ બાબત છે જે હું આ ટીમમાં જોવા માગું છું. દબાણનો સામનો કરવાની સાથે સાથે રમતની મજા માણવી. કારણ કે આના વિના તમે હીરો બની શકો નહીં.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.